Ahmedabad Plane Crash ની ઘટનામાં તુર્કીનો હાથ ! બાબા રામ દેવે વ્યક્ત કરી આશંકા

  • India
  • June 14, 2025
  • 0 Comments

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન 2025ના રોજ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ દરમિયાન બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 268 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જો કે આ તો સરકારી આંકડા છે હકીકતમાં મોતનો આંકડો 300 કરતા વધું કહેવાય છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. અનેક લોકો આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે બાબા રામદેવે પણ અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના મામલે નિવેદન આપ્યું છે. તેમણે આ દુર્ઘટના અંગે ષડયંત્રની આશંકા વ્યક્ત કરી છે.

અમદાવાદ પ્લેન દુર્ઘટના પર બાબા રામ દેવે શું આશંકા વ્યક્ત કરી?  

તેમણે કહ્યું કે વિમાનના જાળવણીનું કામ અગાઉ તુર્કીની એક એજન્સી દ્વારા કરવામાં આવતું હતું, અને આ બાબતની તપાસ થવી જોઈએ કે ક્યાંક તુર્કીએ આ દુર્ઘટના દ્વારા ભારત સાથે દુશ્મની તો નથી કાઢી. તેમણે એવું પણ સૂચન કર્યું કે ભારતે એવિએશન સેક્ટરમાં વિદેશી હસ્તક્ષેપને સંપૂર્ણપણે ખતમ કરવું જોઈએ. રામદેવે આ નિવેદન 14 જૂન 2025ના રોજ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં આપ્યું હતું.

હજુ આ મામલે તપાસ ચાલું છે બાબા રામદેવનું આ સમયે નિવેદન આપવું તેના કરતા તેમને ચુપ રહેવું જોઈએ. બાબા રામદેવે યોગ બાદ હવે એવિએશનમાં પણ ડૉક્ટરેટ મેળવી લીધી લાગે છે. તેઓ એવી રીતે આશંકા વ્યક્ત કરી રહ્યા છે જાણે કે તેમને બધી ખબર જ હોય.

બાબા રામદેવના વિવાદ

રામદેવે 2021 માં એક વાયરલ વીડિયોમાં એલોપથીને “નકામું અને બેકાર વિજ્ઞાન” ગણાવી અને દાવો કર્યો કે લાખો લોકો એલોપથિક દવાઓ અને ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ પામ્યા. તેમણે એમ પણ કહ્યું કે રેમડેસિવિર અને ફેવિપિરાવિર જેવી દવાઓ કોવિડ-19ની સારવારમાં નકામી છે.આ નિવેદને ભારતીય ચિકિત્સા સમુદાયને નારાજ કર્યો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ તેમની સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી અને આને “વૈજ્ઞાનિક ચિકિત્સાનું અપમાન” ગણાવ્યું. જો કે, રામદેવે પછીથી માફી માંગી અને કહ્યું કે તેમનો ઇરાદો ડોક્ટરોનું અપમાન કરવાનો નહોતો, પરંતુ તેમની છબીને નુકસાન થયું.

કોરોનિલને કોવિડ-19ની દવા ગણાવવી

રામદેવે પતંજલિની આયુર્વેદિક દવા “કોરોનિલ” ને કોવિડ-19નો “ઇલાજ” અને “WHO પ્રમાણિત” દવા હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે આ 100% અસરકારક છે અને તેને મંત્રીઓના સમર્થન સાથે લોન્ચ કરવામાં આવી. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ સ્પષ્ટ કર્યું કે તેઓએ કોરોનિલને પ્રમાણિત કરી નથી. IMA અને અન્ય વૈજ્ઞાનિકોએ આને “ખોટો દાવો” ગણાવ્યો, કારણ કે તેનો કોઈ નક્કર ક્લિનિકલ ટ્રાયલ ડેટા નહોતો જેના કારણે સરકારે પતંજલિને દાવાઓ સુધારવાનો આદેશ આપ્યો, અને સુપ્રીમ કોર્ટે પછીથી પતંજલિની ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો.

પેટ્રોલના ભાવ પર ટિપ્પણી

2018 માં જ્યારે પેટ્રોલના ભાવ લિટર દીઠ 80 રૂપિયાની આસપાસ હતા, ત્યારે રામદેવે કહ્યું કે લોકોએ “પેટ્રોલના ભાવ પર રોવું બંધ કરવું જોઈએ” અને 100 રૂપિયા સુધી સહન કરવું શીખવું જોઈએ, કારણ કે આ વૈશ્વિક સ્તરે સામાન્ય છે.આ નિવેદનને સામાન્ય જનતાએ અસંવેદનશીલ ગણ્યું, કારણ કે વધતા ભાવ મધ્યમ વર્ગ માટે બોજ હતા. X પર લોકોએ તેમને “ધનિકોના પ્રવક્તા” અને “જનતાથી કપાયેલા” ગણાવ્યા. આ નિવેદને તેમની છબીને “અસંવેદનશીલ” તરીકે વધુ મજબૂત કરી

જનસંખ્યા નિયંત્રણ અને ધર્મ પર નિવેદન

2019 રામદેવે કહ્યું કે ભારતમાં જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનવો જોઈએ, અને જે લોકો “અમારા ધર્મને નથી માનતા” તેમને દેશમાં રહેવાનો અધિકાર ન હોવો જોઈએ. તેમના આ નિવેદનને સાંપ્રદાયિક અને ભેદભાવપૂર્ણ ગણવામાં આવ્યું. આ નિવેદને તેમના સમર્થકોને પણ અસહજ કર્યા, અને તેમની છબી પર સવાલ ઊભા થયા.

મહિલાઓના કપડાં પર ટિપ્પણી

2022 એક જાહેર કાર્યક્રમમાં રામદેવે મહિલાઓના કપડાં પર ટિપ્પણી કરતાં કહ્યું કે “મહિલાઓ સાડીમાં સારી લાગે છે, સલવાર સૂટમાં પણ ઠીક લાગે છે, અને મારી સામે તો કપડાં વિના પણ સારી લાગે છે.”આ નિવેદનને અશ્લીલ અને મહિલાઓ માટે અપમાનજનક ગણવામાં આવ્યું. X પર #BoycottPatanjali ટ્રેન્ડ થયું, અને લોકોએ આને “સંસ્કૃતિના ઠેકેદાર” ની દંભી ટિપ્પણી ગણાવી. જો કે રામદેવે સ્પષ્ટતા કરી કે તેમનો અર્થ ખોટો સમજવામાં આવ્યો, પરંતુ તેમની છબીને વધુ નુકસાન થયું.

બાબા રામદેવના નિવેદનો ઘણીવાર વિવાદાસ્પદ બને છે, કારણ કે તેઓ વૈજ્ઞાનિક, સામાજિક, અથવા રાજનૈતિક મુદ્દાઓ પર નક્કર પુરાવા કે નિષ્ણાતતા વિના બોલે છે. તેમની ટિપ્પણીઓ X પર મીમ્સ, વ્યંગ્ય, અને ટ્રોલિંગનું કારણ બને છે, જેનાથી તેઓ “મજાકનું પાત્ર” બની જાય છે. તેમ છતા તેઓ નિવેદનો આપવાનું ચાલું રાખે છે.

 વિમાન દુર્ઘટના બાદ બાબા બાગેશ્વર સામે સવાલ 

જો કે મોટા ભાગના બાબાઓનું એવું જ હોય છે તેમને કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેવું હોય છે. જેથી તેઓ મોટા મોટા દાવાઓ કરતા હોય છે જેમકે બાબા બાગેશ્વર જેમના માટે એવું માનવામાં આવે છે કે, તેમને કંઈ પણ બનવાનું હોય તો અગાઉથી ખબર પડી જાય છે.

કેટલીક પોસ્ટમાં બાબા બાગેશ્વરના સમર્થકોના નિવેદનને શેર કરવામાં આવ્યું જેમાં તેમણે અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે તેને “હૃદયદ્રાવક” ગણાવ્યું અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં હોવા બદલ તેમનો બચાવ કરતા કહ્યું કે તે સમયે તેઓ ભારતમાં નહોતા, અને તેમની શક્તિઓને અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવી રહી હતી.કેટલીક પોસ્ટમાં એવું પણ ઉમેર્યું હતું કે બાબાએ ભગવાન બાલાજીના ચરણોમાં પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ લોકો બાબા બાગેશ્વર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે, તેમની પાસે ચમત્કારિક શક્તિઓ છે જેના દ્વારા તેઓ આગાહી કરવાનો દાવો કરે છે ત્યારે તો તેમણે આ વિમાન દુર્ઘટના વિશે અગાઉથી કેમ ન કહ્યું ? જો બાબાને અગાઉથી બધું ખબર હોત, તો તેમણે સરકારને આ અકસ્માત વિશે ચેતવણી આપી હોત, જેનાથી લોકોના જીવ બચી શક્યા હોત.

આમ બની બેસેલા બાબાઓ જેઓ પહેલા મોટા મોટા દાવાઓ કરે છે અને પછીથી કોઈ સવાલ ઉઠાવે ત્યારે ગોળ ગોળ વાતો કરીને લોકોને મુર્ખ બનાવતા હોય છે. તેમ છતા ઘણા લોકો આવા બાબાઓ પર આંધળો વિશ્વાસ કરતા હોય છે.

શું અમદાવાદ પ્લેન અકસ્માતનું સેલેબી એવિએશન સાથે કનેક્શન હોઈ શકે છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક એ આઠ એરપોર્ટમાંનું એક હતું જ્યાં તુર્કીનું સેલેબી એવિએશન ગ્રાઉન્ડ હેન્ડલિંગ, કાર્ગો મેનેજમેન્ટ અને અન્ય ઉચ્ચ-સુરક્ષા સંબંધિત કાર્યો સંભાળતું હતું. ગ્રાઉન્ડ હેન્ડલિંગ એટલે વિમાનના લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન ગ્રાઉન્ડ સેવાઓ, જેમ કે મુસાફરોના સામાનનું લોડિંગ-અનલોડિંગ, વિમાનની સફાઈ અને તકનીકી સહાય.

શું ગઈકાલના અકસ્માતનો સેલેબી એવિએશન સાથે કોઈ સંબંધ હોઈ શકે છે, જેના પર સત્તાવીસ દિવસ પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? ઉલ્લેખનીય છે કે દરેક એરપોર્ટ પર સેલેબીના સરેરાશ હજાર કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા છે.

ઉડ્ડયન ઇતિહાસમાં, અગાઉ પણ કેટલાક વિમાન અકસ્માતો ઓવરલોડિંગ અથવા કાર્ગોના સ્થળાંતરને કારણે થયા છે.

સોશિયલ મીડિયા પર કેટલાક અપ્રમાણિત દાવાઓ અનુસાર, સેલેબીની હકાલપટ્ટી પછી, અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતું અદાણી ગ્રુપ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ માટે બિડ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેના કારણે “અદાણી-અંબાણી” સામેની ઝુંબેશની ભૂમિકા પણ તપાસનો એક પાસું હોઈ શકે છે.

શું એરબસનો કાર્ગો વધારે વજન ધરાવતો હતો, જેના કારણે વિમાન ટેકઓફ પછી તરત જ નીચે આવવા લાગ્યું?

અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિએ કહ્યું છે કે ટેકઓફ પછી ત્રીસ સેકન્ડ પછી એક મોટો અવાજ આવ્યો. વિમાનમાં ગુરુત્વાકર્ષણ કેન્દ્ર જાળવવા માટે, કાર્ગોને વ્યવસ્થિત જગ્યાએ સ્થિર કરવામાં આવે છે, જેમાં બેદરકારી કાર્ગોને ખસેડી શકે છે, જે વિમાનનું સંતુલન બગાડી શકે છે. તે અવાજ કાર્ગોને પાછળના ભાગમાં ખસેડવાને કારણે પણ હોઈ શકે છે.

સેલેબી એવિએશન પર પ્રતિબંધ પછી, જવાબદાર લોકોએ અસરગ્રસ્ત એરપોર્ટની સંવેદનશીલતા પ્રત્યે સતર્ક રહેવું જોઈતું હતું. શક્ય હતું કે અકસ્માત ટાળી શકાયો હોત. કારણ ગમે તે હોય, મોટાભાગની શક્યતાઓ ગુનાહિત બેદરકારી અથવા કોઈ કાવતરું તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચો:

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

  • Related Posts

    Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’
    • May 6, 2026

    Punjab Bomb Blast: પંજાબના જલંધર અને અમૃતસરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધમાકાએ માત્ર સરહદી રાજ્યની સુરક્ષા જ નહીં, પરંતુ રાજ્યના રાજકારણમાં પણ ભૂકંપ લાવી દીધો છે. આ ઘટના બાદ આશ્ચર્યજનક રીતે…

    Continue reading
    Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ
    • May 6, 2026

    Shehzad Poonawalla: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ ફરી એકવાર વિપક્ષી ‘ઈન્ડિયા ગઠબંધન’ (INDI Alliance) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

    • May 6, 2026
    • 7 views
    Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

    Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

    • May 6, 2026
    • 6 views
    Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

    Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

    • May 6, 2026
    • 9 views
    Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

    Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

    • May 6, 2026
    • 8 views
    Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

    Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

    • May 6, 2026
    • 12 views
    Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

    Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

    • May 6, 2026
    • 9 views
    Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા