
ધનશ્રી વર્મા(Dhanashree Verma) ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તે તેના ડાન્સ વીડિયો માટે નહીં પણ યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના સંબંધો પર નિવેદન આપીને લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તેણે યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડા પછીના તેના જીવન વિશે પણ વાત કરી. ધનશ્રી વર્માએ ફરાહ ખાનના વ્લોગ પર આ બધી વાતો કહી.
ડાન્સર હોવા હોવા ઉપરાંત ધનશ્રી વર્મા એક દંત ચિકિત્સક પણ છે. તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો કે છૂટાછેડા પછી પણ તે યુઝવેન્દ્ર ચહલના સંપર્કમાં છે. તેણેએ તેના વ્યાવસાયિક જીવન વિશે પણ જણાવ્યું. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે રણબીર કપૂરની પણ સારવાર કરી છે. ધનશ્રીના ઘરની પ્રશંસા કર્યા પછી ફરાહ ખાને તેના અંગત જીવન વિશે પ્રશ્નો પૂછ્યા. તેણે પૂછ્યું, ‘શું આ પહેલી વાર છે જ્યારે તમે એકલા રહી રહ્યા છો? પહેલા તમે તમારા માતાપિતા સાથે હતા. પછી તમે યુઝવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા અને તેમની સાથે રહ્યા. ફરાહ ખાને તેની વાતચીતમાં સંકેત આપ્યો કે છૂટાછેડા પછી તેનું જીવન કેટલું બદલાઈ ગયું છે.
ધનશ્રી યુઝવેન્દ્ર ચહલના સંપર્કમાં
ધનશ્રીએ માર્ચમાં ક્રિકેટરને છૂટાછેડા આપી દીધા હતા. તેઓ લગભગ ચાર વર્ષ સાથે હતા. અભિનેત્રી હાલમાં યુઝવેન્દ્રના સંપર્કમાં છે. તેણે નિરાંતે જવાબ આપ્યો કે હવે તેમની વચ્ચે બધું બરાબર છે. છૂટાછેડા પછી તે યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના સંબંધો વિશે એક સુંદર વિગતો શેર કરી. તેણે કહ્યું, ‘હું મેસેજ દ્વારા યુજીના સંપર્કમાં રહું છું.
યુઝવેન્દ્ર માટે ધનશ્રીનું નિવેદન સરળ પણ અસરકારક છે જે દર્શાવે છે કે છૂટાછેડા છતાં, તેમના સંબંધોમાં ગરિમા અને આદર છે. ચાહકો પણ તેના વખાણ કરી રહ્યા છે. કામ વિશે વાત કરીએ તો, ધનશ્રી અશ્નીર ગ્રોવરના રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ માં સ્પર્ધક હશે જે 6 સપ્ટેમ્બરે એમેઝોન એમએક્સ પ્લેયર પર બતાવવામાં આવશે.
ધનશ્રીએ રણબીર કપૂરની સારવાર કરી છે
ફરાહના વ્લોગમાં સૌથી રસપ્રદ ખુલાસો એ હતો કે તેણે રણબીર કપૂરની દંત ચિકિત્સક તરીકે સારવાર કરી હતી. તેણે કહ્યું, ‘મેં ત્રણ વર્ષ પ્રેક્ટિસ કરી. બાંદ્રા અને લોખંડવાલામાં એક ક્લિનિક હતું. મેં એક વાર રણબીર કપૂરની સારવાર પણ કરી હતી.’ ફરાહે તરત જ તોફાની સ્મિત સાથે કહ્યું, ‘તમે તેના મોંની અંદર જોયું? તે કેવું હતું? શું અલગ હતું?’ ધનશ્રીએ હસીને કહ્યું, ‘તે મારું કામ હતું. તે એકદમ સ્વસ્થ હતો.’
આ પણ વાંચો:
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી?
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી?
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Ahmedabad: સુરક્ષાની વાતો વચ્ચે જુહાપુરામાં છરીથી હુમલો, 2 લોકો ઈજાગ્રસ્ત, વીડિયો વાયરલ
Gujarat Politics: ભરૂચની દૂધધારા ડેરી ચૂંટણી પહેલાં BJPમાં મોટા ડખા, મનુસખ વસાવાનો મોદીને પત્ર
Bharuch: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી, કૌભાંડમાં દરેકને ટકાવારી મળી : મનસુખ વસાવા
Vadodara: શરીર સંબંધ બાંધે નહીં તો તારો નગ્ન વીડિયો ગ્રુપમાં મૂકી દઈશ: યુવતીને એક શખ્સે આપી ધમકી