
dwarka: હાલ કોના પર વિશ્વાસ કરવો તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. કારણ કે દેવ ભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં એક મિત્ર એ જ બીજા મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. મોતને ઘાટ ઉતાર્યા બાદ સોનાની ચેઈન લૂંટી લીધી હતી. બાદમાં લાશને ઠેકાણે પાડી દીધી હતી. હાલ પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જામ ખંભાળિયામાં 19 માર્ચે 16 વર્ષીય સગીર કેતન અનીલભાઇ વાઘેલાનો મૃતદેહ એક ખાડામાંથી મળી આવ્યો હતો. પોલીસે સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમમાં સગીરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતુ. જે બાદ આ હત્યા કોણે કરી, કયા કારણોસર કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરિવારે કહ્યું હતુ કે અમારા દિકરાએ આપઘાત કર્યો નથી. તે બાદ પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી હતી. અને તેના શંકાસ્પદ મિત્રોની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને હત્યારાનું પગેરું મળી આવ્યુુ હતુ કે આ હત્યા તેના મિત્રએ જ કરી છે.
જે બાદ આરોપી મિત્ર હર્ષની રાજસ્થાનથી ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપીએ સોનાના ચેઇનની લૂંટી ગળું કાપી હત્યા કરી નાખી હતી. હાલ ધરપકડ કરાયેલા મિત્રની કડક પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather
આ પણ વાંચોઃ Anand: પાલિકા કારોબારી ચેરમેનની પત્ની અને સોશિલય મિડિયા ઈન્ફ્લુએન્સર રિદ્ધિ પટેલનું મોત
આ પણ વાંચોઃ Anand: સરદારના નામે લાભ લેતાં એકેય ધારાસભ્ય કરમસદ અંગે કેમ ન બોલ્યા?
આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?