
Nitin Gadkari News: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્પષ્ટતાથી બોલવા માટે જાણીતા છે. તમે ક્યારેય તમે કોઈ જાતિ, પાર્ટી વિરુધ્ધ બોલતાં નહીં જોયા હોય. તે માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે ઘણી વાર કહ્યું છે કે તેઓ પોતાની સિધ્ધાંતો પર રાજકારણ કરે છે. ગમે તે થાય, તે પોતાના કેટલાક રાજકીય સિદ્ધાંતો સાથે સમાધાન કરી શકે નહીં. ભલે તેમને ચૂંટણી હારવી પડે અથવા આના કારણે તેમનું મંત્રી પદ પણ ગુમાવવું પડે. તેમના શબ્દોમાંથી ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
ગડકરીએ શનિવારે તેમના ગૃહ વિસ્તારમાં એક લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે તેઓ જાહેર ચર્ચાઓમાં ધર્મ અને જાતિને લાવતા નથી કારણ કે તેમનું માનવું છે કે લોકો ‘સમાજની સેવા’ને બીજા બધા કરતા વધારે મહત્વ આપે છે. તેમણે કહ્યું, “જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને લાત મારીશ.” તેમણે યાદ અપાવતાં કહ્યું કે ગયા વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ જ કહ્યું હતુ. તેમણે વધુમાં કહ્યું ભલે ચૂંટણી હારી જવ અથવા મંત્રી પદ ગુમાવવું પડે પણ મારા માર્ગથી ભટકીશ નહીં.
ધર્મ અને જાતિના આધારે કોઈ ભેદભાવ નહીં
ગડકરીએ કહ્યું કે અમે ક્યારેય જાતિ અને ધર્મના આધારે ભેદભાવ કરતા નથી. હું રાજકારણમાં છું અને અહીં ઘણું બધું કહેવામાં આવે છે. પણ મેં નક્કી કર્યું કે હું મારી રીતે કામ કરીશ અને મને કોણ મત આપશે તેની ચિંતા નહીં કરું. તેમણે એમ પણ કહ્યું કે મારા મિત્રોએ મને કહ્યું હતું કે તમારે આવું ન કહેવું જોઈતું હતું, પરંતુ મેં આ સિદ્ધાંત અપનાવ્યો કે હું મારા જીવનમાં આ માર્ગ પર ચાલીશ. ભલે હું ચૂંટણી હારી જાઉં કે મંત્રી પદ ન મળે, મને કોઈ ફરક પડશે નહીં.
આ પણ વાંચોઃ અમેરિાકાનો યમનના હુતી બળવાખોરો પર હવાઈ હુમલો, 19ના મોત, ટ્રમ્પે શું કહ્યું?
આ પણ વાંચોઃ વસ્ત્રાલ ઘટના ઈફેક્ટ: 100 કલાકમાં ગુજરાતના ગુંડાતત્વોની યાદી બનાવવા આદેશ