ફટાકડાનો ઈતિહાસ, ભારતમાં ફટાકડા ફોડવાની શરૂઆત કેવી રીતે થઈ? | Fireworks History

  • India
  • April 3, 2025
  • 0 Comments

Fireworks History: સાબરકાંઠાના ડીસામાં ફટકાડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 21 લોકોના કરુણ મોત થઈ ગયા છે. જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ છે. કેટલાંક પર ગોડાઉનનું ધાબૂ તૂટી પડતાં કાટમાળ નીચે દટાઈ ગયા હતા. 1 એપ્રિલે બનેલી ઘટના ગુજરાત સહિત ભારતને હચમચાવી નાખ્યું છે. ત્યારે આજે જાણો કે ભારતમાં ફટાકડાના ઉપયોગની શરુઆત  કેવી રીતે થઈ?

ફટાકડાની શોધ ચીનાઓએ કરી હતી અને ત્યાંથી આરબો મારફતે યુરોપમાં પ્રસરી હતી તેમ માનવામાં આવે છે. ભારતમાં ફટાકડા સળગાવવાની શરૂઆત ઈસ્લામી સામ્રાજ્યોના ઉદયની સાથે સાથે થઈ હતી. દારૂખાનાની ઉત્પત્તિ 9મી સદીમાં ચીનમાં થઈ હતી. મંગોળ ચીન પર પોતાના હુમલા વખતે બારૂદના ઉપયોગથી પરિચિત થઈ ગયા. આ ટેક્નીકને મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા અને વર્ધમાન ભૂમિ અને સુદૂર પૂર્વમાં કોરિયા અને જાપાન સુધી લઈ ગયા.

દિલ્હીમાં આગમન

જ્યારે માંગલોએ ભારતમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું તો તે આ જ્વલંત ટેક્નીકને પોતાની સાથે લાવ્યા હતા. પછી 13મી શતાબ્દીના મધ્યમાં દિલ્હીમાં શરૂ કર્યું હતું. મધ્યયુગીન ઈતિહાસકાર ફરિશતાએ પોતાની પુસ્તક તારિખ-એફરિશ્તા માર્ચ 1258માં એક ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે. હુલગુ ખાનના દૂતના સ્વાગત માટે કરવામાં આવ્યો હતો. તે દિલ્હીમાં સુલ્તાન નસીરૂદ્દીન મહમૂદના દરબારમાં થયો હતો. એક અવસર માટે 3,000 કોર્ટ લોડ ફટાકડા લાવવામાં આવ્યા હતા.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લેફ્ટનેન્ટ કર્નલ જે બાદમાં જનરલ પણ બન્યા જોન બ્રિગ્સ, તેમણે આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. જોકે તે એ સમજાવવામાં અસમર્થ હતા કે ફરિસ્તાનું આતિશબાજી સાથે શું મતલબ છે અને તેમણે પછી એ અનુમાન લગાવ્યું કે તે મોહમ્મદ બિન કાસિમ અને મહમૂદ ગજની દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ગ્રીક આગ હશે.

મુગલો પહેલા ભારત આવેલા પોર્ટુગલ પણ ફટાકડાનો ઉપયોગ કરતા હતા. બીજાપુરના અલી આદિલ શાહની 1570ની પ્રમુખ કૃતિ નુમુઝ ઉલ-ઉલૂમમાં ફટાકડા પર એક અભ્યાસ પણ છે. ડૉ.કેથરીન બટલર સ્કોફીલ્ડ જે કિંગ્સ કોલેજ, લંડનમાં અભ્યાસ કરે છે તેમનું કહેવું છે કે મુગલો અને તેમના રાજપૂત સમકાલીનોએ મોટી સંખ્યા પર ફટાકડાનો ઉપયોગ કર્યો છે. શાહજહાં અને ઓરંગજેબના શાસનકાળના ઈતિહાસમાં લગ્ન, જન્મદિવસના વજન, રાજ્યાભિષેક અને શબ-એ-બારાત જેવા ધાર્મિક તહેવારો માટે ઉપયોગ કરવામાં આવતા ફટાકડાનું વર્ણન પણ આપણને ઈતિહાસમાં મળે છે.

બીજો ઇતિહાસ

ચીન

છઠ્ઠી સદીમાં ચીનમાં એક રસોયા દ્વારા ફટાકડાંની શોધ થઈ. તે રસોઈયાથી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી વખતે ભૂલથી પોટેશિયમ નાઈટ્રેટ આગમાં પડી ગયું. પરિણામે તેમાંથી રંગબેરંગી જ્વાળાઓ નીકળી, ત્યારબાદ તેમાં કોલસા અને સલ્ફરનો ભૂકો નાખવાથી બહુ મોટો ધડાકો થયો અને રંગીન જ્વાળાઓ નીકળતી રહી. આ ધડાકાની સાથે બારૂદની શોધ થઈ અને આકર્ષક ફટાકડાની શરૂઆત થઈ.

ત્યારબાદ ચીનના સૈનિકોએ પોટેશિયમ નાઈટ્રેટ, કોલસો અને સલ્ફર આ બધાના મિશ્રણનો ઉપયોગ વાંસની ભૂંગળીમાં ભરીને વિસ્ફોટ કરવા માટે કર્યો. ચીનનો ઇતિહાસ કહે છે કે 2200 વર્ષ પહેલા લોકો વાંસને આગમાં નાખતા, વાંસ અંદરથી ખોખલું હોય અને તેનામાં ગાંઠો ખૂબ જ હોવાથી, તે ગરમ થતા તેની ગાંઠો ફૂટતી અને તેનો અવાજ જોરદાર ધમાકા સાથે આવતો.

છઠ્ઠી સદીમાં ચીનમાં થયેલ ફટાકડાની શોધ ઈ.સ.1200 થી ઈ.સ.1700 સુધીમાં આખી દુનિયામાં લોકોની પસંદ બની ગયા. દરેક ખુશીના પ્રસંગો તેમજ તહેવારોમાં આતિશબાજીની શરૂઆત અહીંથી જ થઈ. આજે પણ 199 દેશોમાં નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડીને જ થાય છે. આપણે ત્યાં દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા ત્યાર પછી ઘણા વર્ષે શરૂ થઈ.

ભારતમાં 12મી સદીમાં બંગાળના બૌદ્ધ ધર્મગુરુ દીપાકરે ફટાકડાની આતિશબાજી શરૂ કરી. તેઓ ફટાકડા ફોડવાનું જ્ઞાન ચીનના તિબ્બેટ પ્રવાસ દરમિયાન શીખી લાવ્યા હતા. શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહમાં આતિશબાજી કરવામાં આવી હતી.

કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એક એવા મિશ્રણની વાત મળે છે કે જેને બાળવાથી તેજ જ્વાળા ઉત્પન્ન થાય છે, આ મિશ્રણને વાંસની નળીમાં નાખીને બાળવાથી ફટાકડા ફૂટે છે. આમ ભારતમાં ફટાકડાનો ઇતિહાસ 13મી સદીથી પણ વધારે જૂનો છે, જેની ઝલક વર્ષો જૂની પેન્ટિંગમાં ફૂલઝડી અને આતિશબાજીના દ્રશ્યો દ્વારા જોવા મળે છે.

બાબરે 1519 માં જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે તેણે બારૂદનો ઉપયોગ કર્યો હતો અને શાહજહાંના દીકરાના લગ્ન 1633 માં થયા ત્યારે આતિશબાજી થઈ હતી એવા પેન્ટિંગ્સ પણ જોવા મળે છે.તેથી ભારતમાં 12મી સદીથી ફટાકડા હોવાનું પ્રમાણ મળે છે.

આ પણ વાંચોઃ ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA

આ પણ વાંચોઃ વક્ફ બીલ લોકસભામાં પાસ, હવે રાજ્યસભામાંથી પાસ કરવું પડશે| Rajya Sabha Waqf Bill

આ પણ વાંચોઃ ભારતની ફટાકડાની ફેક્ટરીઓ જીવલેણ બની રહી છે? | Fireworks factories

આ પણ વાંચોઃ Jamnagar: એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન તૂટી પડ્યુ, પાયલોટનું મોત

Related Posts

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો
  • August 5, 2025

120 Bahadur: 120 બહાદુર’નું ટીઝર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તર પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા મેજર શૈતાન સિંહ ભાટીની ભૂમિકામાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં 120 ભારતીય સૈનિકોની…

Continue reading
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?
  • August 5, 2025

Satyapal Malik passed away: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેમણે મંગળવારે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 4 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 3 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 12 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

  • August 5, 2025
  • 14 views
Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

  • August 5, 2025
  • 14 views
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 22 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court