Gandhinagar: આરોગ્યકર્મીઓ હડતાળ સમેટે તો ચર્ચા કરીશુંઃ આરોગ્યમંત્રી, 2200 કર્મીઓ સસ્પેન્ડ

  • Gujarat
  • March 28, 2025
  • 0 Comments

Gandhinagar: 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ અડગ છે. બીજી બાજુ સરકાર પણ અડગ રહી છે. 2200 જેટલાં આરોગ્યકર્મીઓને નોકરીમાંથી કાઢી નાખ્યા છે.

Gandhinagar: આરોગ્યકર્મીની હડતાળને આજે 12 દિવસ થઈ ગયા છે. તેઓ ગાંધીનગરમાં પોતાનો હક લઈને જ જંપવાની વાત કરે છે. સરકારે અત્યાર સુધી 2100થી વધુ આરોગ્યકર્મીઓને છૂટા કરી દીધી છે. જ્યારે 5 હજારથી વધુને કારણ દર્શક નોટીસ ફટકારી છે. ખાતાકીય તપાસ પણ કરવા સરકાર જોર લગાવી રહી છે અને આરોગ્યકર્મીઓને ફરજ પર પરત ફરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે જુલમી સરકારની આ કાર્યવાહીની આરોગ્યકર્મીઓ પર કોઈ અસર દેખાતી નથી. તેઓ પોતાની માગોને લઈ અડગ જોવા મળી રહ્યા છે.

ગુરુવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે આરોગ્યકર્મીઓએ જે માંગણીઓ કરી હતી, તેમાંથી 1 માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી. તે સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી.  કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી.

‘2 દિવસમાં ફરજ પર પાછા ફરો’

આરોગ્યમંત્રી ઋષિકેશે વધુમાં કહ્યુ હતુ કે આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં ફરજ પર પરત ફરો, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સરકાર ચલાવી લે નહીં. બીજી બાજુ આરોગ્યકર્મીચારીઓ સખત વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી સરકારની ઊંઘ ઉડી ગઈ છે.

કેમ સરકાર આરોગ્યકર્મીઓની માંગો સ્વીકારતાં નથી?

1. એકને આપે તો બીજાને આપવું પડે

જો સરકાર આરોગ્યકર્મચારીઓની માંગણીઓ સ્વીકારે તો અન્ય જાહેર ક્ષેત્રોના કર્મચારીઓ પણ સમાન માંગણીઓ સાથે આગળ આવી શકે છે. આ સરકાર માટે એક દાખલો બની શકે છે, જે ભવિષ્યમાં વધુ હડતાળો અને માંગણીઓને આમંત્રણ આપી શકે છે.

2. નાણાકીય અસરો

આરોગ્યકર્મચારીઓની માંગણીઓ જેવી કે ગ્રેડ-પે સુધારણા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ, તેનો અમલ કરવાથી સરકાર પર નાણાકીય બોજ વધી શકે છે. સરકાર આવા ખર્ચને ટાળવા અથવા નિયંત્રણમાં રાખવા માંગતી હોઈ શકે છે.

3. રાજકીય વિચારણાઓ

સરકારનું વલણ રાજકીય પરિબળોથી પણ પ્રભાવિત હોઈ શકે છે. માંગણીઓ સ્વીકારવાથી સરકાર નબળી દેખાઈ શકે છે, જે તેની સત્તા અને નિયંત્રણની છબીને અસર કરી શકે છે. વિપક્ષ, જેમ કે કોંગ્રેસ પાર્ટી, આરોગ્યકર્મચારીઓને સમર્થન આપી રહી છે અને સરકારની ટીકા કરી રહી છે, જે સરકારના સખત વલણને વધુ મજબૂત કરી શકે છે.

સરકાર આરોગ્યકર્મચારીઓની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી કારણ કે તે આવશ્યક સેવાઓમાં વિક્ષેપ, નાણાકીય બોજ, રાજકીય પરિણામો અને ભવિષ્યની હડતાળોની શક્યતાઓથી ચિંતિત છે. જોકે, આરોગ્યકર્મચારીઓ પોતાની લડાઈ ચાલુ રાખવા નિશ્ચિત છે, અને આ સંઘર્ષ હજુ ચાલુ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: હરિયાણાથી પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

આ પણ વાંચોઃ Ahmedabad: ચાંદખેડામાં કાર AMTS બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ, એકનું મોત

આ પણ વાંચોઃ Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચોઃ Valsad: બાળક અને પત્નીને ઝેર આપી પતિએ કર્યો આપઘાત, શું છે કારણ?

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ