Gandhinagar: આરોગ્યકર્મીઓ હડતાળ સમેટે તો ચર્ચા કરીશુંઃ આરોગ્યમંત્રી, 2200 કર્મીઓ સસ્પેન્ડ

Gandhinagar: 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈ અડગ છે. બીજી બાજુ સરકાર પણ અડગ રહી છે. 2200 જેટલાં આરોગ્યકર્મીઓને નોકરીમાંથી કાઢી નાખ્યા છે.

Gandhinagar: આરોગ્યકર્મીની હડતાળને આજે 12 દિવસ થઈ ગયા છે. તેઓ ગાંધીનગરમાં પોતાનો હક લઈને જ જંપવાની વાત કરે છે. સરકારે અત્યાર સુધી 2100થી વધુ આરોગ્યકર્મીઓને છૂટા કરી દીધી છે. જ્યારે 5 હજારથી વધુને કારણ દર્શક નોટીસ ફટકારી છે. ખાતાકીય તપાસ પણ કરવા સરકાર જોર લગાવી રહી છે અને આરોગ્યકર્મીઓને ફરજ પર પરત ફરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે જુલમી સરકારની આ કાર્યવાહીની આરોગ્યકર્મીઓ પર કોઈ અસર દેખાતી નથી. તેઓ પોતાની માગોને લઈ અડગ જોવા મળી રહ્યા છે.

ગુરુવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે આરોગ્યકર્મીઓએ જે માંગણીઓ કરી હતી, તેમાંથી 1 માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી. તે સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી.  કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી.

‘2 દિવસમાં ફરજ પર પાછા ફરો’

આરોગ્યમંત્રી ઋષિકેશે વધુમાં કહ્યુ હતુ કે આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં ફરજ પર પરત ફરો, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સરકાર ચલાવી લે નહીં. બીજી બાજુ આરોગ્યકર્મીચારીઓ સખત વિરોધ નોંધાવી રહ્યા છે. જેથી સરકારની ઊંઘ ઉડી ગઈ છે.

કેમ સરકાર આરોગ્યકર્મીઓની માંગો સ્વીકારતાં નથી?

1. એકને આપે તો બીજાને આપવું પડે

જો સરકાર આરોગ્યકર્મચારીઓની માંગણીઓ સ્વીકારે તો અન્ય જાહેર ક્ષેત્રોના કર્મચારીઓ પણ સમાન માંગણીઓ સાથે આગળ આવી શકે છે. આ સરકાર માટે એક દાખલો બની શકે છે, જે ભવિષ્યમાં વધુ હડતાળો અને માંગણીઓને આમંત્રણ આપી શકે છે.

2. નાણાકીય અસરો

આરોગ્યકર્મચારીઓની માંગણીઓ જેવી કે ગ્રેડ-પે સુધારણા અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ, તેનો અમલ કરવાથી સરકાર પર નાણાકીય બોજ વધી શકે છે. સરકાર આવા ખર્ચને ટાળવા અથવા નિયંત્રણમાં રાખવા માંગતી હોઈ શકે છે.

3. રાજકીય વિચારણાઓ

સરકારનું વલણ રાજકીય પરિબળોથી પણ પ્રભાવિત હોઈ શકે છે. માંગણીઓ સ્વીકારવાથી સરકાર નબળી દેખાઈ શકે છે, જે તેની સત્તા અને નિયંત્રણની છબીને અસર કરી શકે છે. વિપક્ષ, જેમ કે કોંગ્રેસ પાર્ટી, આરોગ્યકર્મચારીઓને સમર્થન આપી રહી છે અને સરકારની ટીકા કરી રહી છે, જે સરકારના સખત વલણને વધુ મજબૂત કરી શકે છે.

સરકાર આરોગ્યકર્મચારીઓની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી કારણ કે તે આવશ્યક સેવાઓમાં વિક્ષેપ, નાણાકીય બોજ, રાજકીય પરિણામો અને ભવિષ્યની હડતાળોની શક્યતાઓથી ચિંતિત છે. જોકે, આરોગ્યકર્મચારીઓ પોતાની લડાઈ ચાલુ રાખવા નિશ્ચિત છે, અને આ સંઘર્ષ હજુ ચાલુ છે.

આ પણ વાંચોઃ Ahmedabad: હરિયાણાથી પોલીસકર્મીઓના મૃતદેહ વતન લવાયા

આ પણ વાંચોઃ Ahmedabad: ચાંદખેડામાં કાર AMTS બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ, એકનું મોત

આ પણ વાંચોઃ Ahmedabad: વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં પ્રદર્શન કરતાં NSUI કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચોઃ Valsad: બાળક અને પત્નીને ઝેર આપી પતિએ કર્યો આપઘાત, શું છે કારણ?

Related Posts

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા
  • May 5, 2026

Naroda Sub Registrar Bribery Case: અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર (નરોડા-6) કચેરીમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી એક સફળ…

Continue reading
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી
  • May 5, 2026

Stock Market Cyber Fraud: અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને ચૂનો લગાવતી એક મોટી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી લોકોનો વોટ્સએપ મારફતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 4 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 6 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 8 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 10 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 6 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”

  • May 4, 2026
  • 9 views
Mamata Banerjee on Election Result: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો વચ્ચે મમતા બેનર્જીનું પહેલું નિવેદન, કહ્યું- “અંતિમ રાઉન્ડ બાદ ટીએમસી જ જીતશે”