
Godhra: ગોધરામાં શાંતિ ડોહોળાય તેવા અસમાજિક તત્વોએ પ્રાયસ કર્યા છે. ગોધરાના ભામૈયા ગામે એક મહાદેવાના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. શિવલિંગ સહિત માતાજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભે જ આવી ઘટના સામે આવતાં ભક્તોમાં રોષ ભભૂક્યો છે. આ કૃત્ય આચરનાર શખ્સોને ઝડપી લેવામાં આવી તેવી માંગ ઉઠી છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકમાં ભામૈયા ગામે રંગેશ્વર મહાદેવના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. અસમાજિક તત્વો દ્વારા શિવલિંગ પણ તોડી નાખવામાં આવ્યું છે. સાથે જ મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિને પણ ખંડિત કરાઈ છે. સાથે જ ચોરી પણ થઈ છે.
રંગેશ્વર મહાદેવ મંદિરમાં અસામાજિકતત્ત્વોએ શિવજીની પંચ ધાતુમાંથી બનાવેલી આશરે રુ. 1 લાખથી વધુ કિંમતની જલધારી, ત્રિસૂલ ત્રિશુલ, આરતી અને પૂજાની સામગ્રીની ચોરી કરી ભાગી ગયા છે. ભામૈયા ગામના રંગેશ્વર મહાદેવ મંદિરમાં પહેલા પણ ચોરી થઈ છે.
તાળુ તોડી ચોરી
ચોર શખ્સોએ મંદિરનું તાળું તોડીને ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ જઈને જોતાં મંદિરમાં તાળું તૂટેલું પડ્યું હતુ. આ રંગેશ્વર મંદિર 100 વર્ષ જૂનુ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ ગોધરા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિ તત્વોને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીમાં બે શખ્સો બાઈક પર રાત્રે જતાં હોવાનું દેખાય છે.
આ પણ વાંચોઃ Banaskantha: અમદાવાદમાંથી રિક્ષા ચોરી કરી બનાસકાંઠામાં વેચતો શખ્સ ઝડપાયો!
આ પણ વાંચોઃ Surendranagar: શિકાગો જેવું સુરેન્દ્રનગરમાં ગન કલ્ચર!, સૌથી વધુ ગેરકાયદે હથિયા અને ગુનાખોરી
આ પણ વાંચોઃ Jamnagar: રિક્ષાચાલકનું રહસ્યમય મોત: આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ
આ પણ વાંચોઃ વિરોધ વચ્ચે ગુજરાતમાં ટોલ ટેક્સમાં વધારો, જાણો કેટલો ટોલ ટેક્સ? | toll tax