
Corruption Bridge: રાજકોટ ધોરીમાર્ગ પરથી 450 દબાણો દૂર કરાવવામાં સરકાર નિષ્ફળ રહી હતી. તેથી કેટલાક ભાગ બનાવવામાં નિષ્ફળતા મળી હતી. તેથી ફરી સરવે કરવો પડ્યો હતો.
4 ટોલ નાકા થશે
પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે રાજ્ય હસ્તકના ટોલ વેરા( toll tax) બંધ કરાવી દીધા હતા. કમાઉ દીકરો સૌને વહાલો લાગે એવી ગુજરાતી વાત ખોટી ઠેરવી હતી. હવે, ગુજરાત સરકાર બામણબોર-બગોદરાના ટોલ બૂથ બંધ થશે તેની સામે નવા 4 ટોલ શરૂ થશે. રાજકોટથી અમદાવાદ તરફ જતાં પ્રથમ ટોલનાકું માલિયાસણ ગામથી દોઢ કિલોમીટર દૂર બનાવવામાં આવશે. આ ટોલ બૂથથી 61 કિ.મી. એ સાયલાના આયા ગામ પાસે બનશે. ત્યાંથી 62 કિ.મી. એ પાણશીણા ગામ પાસે બનશે. 50 કિ.મી. દૂર બાવળા પહેલાં વેરો લેવાશે. આમ તો જુલાઈ 2021થી કામ પૂરું થવાનું હતું ત્યારે જ વાહનો પર વેરો લેવાનો હતો. ટોલ પ્લાઝા માટે માર્કિંગ કરી દેવાયું હતું. તેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જમીન સંપાદનમાં ખેડૂતોએ એવોર્ડ લેવાનો ઈનકાર કર્યો હતો. ટોલ પ્લાઝા નિયમ વિરૃદ્ધ છે.
14 ફંટાતો કામચલાઉ રસ્તો – સમયની અને વાહનની બરબાદી
2019માં વરસાદને લીધે વ્યાપક નુકશાન થયું હતું. સાયલા, લીંબડી, ડોલિયા સહિતના જંકશન ઉપર અનેક સ્થળે 160 ગાબડા પડયા હતા. તેથી 14 ફંટાતો કામચલાઉ રસ્તો આપવા પડ્યા હતા. વરસાદને કારણે આ કામ બે મહિનાથી બંધ હતું. બેટીના પુલ પાસે નદીમાં પાણી ભરાયા હોવાથી આ સ્થળે પાયાનું કામ બંધ હતું. બામણબોર વચ્ચે રસ્તામાં એકબાજુ મોટા ગાબડા પડયા હોવાથી એક જ સાઈડમાંથી પસાર થવું પડે છે. 2019 પછી પણ રસ્તાને પહોળો કરવા માટે જમીન સંપાદનનું કામ પણ બાકી હતું.
છેલ્લા આઠેક વર્ષથી આ રૂટમાં લિબડી પાસેનો રસ્તો મગરમચ્છની પીઠ સમાન બની ગયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર પાસે ભારે ટ્રાફિકને કારણે લાંબી લાઈન જોવા મળતી હતી.
આ પણ વાંચોઃ
Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન કેમ ન મળ્યા?, આ રહ્યા કારણો?









