કોંગ્રેસ પાર્ટીનું મૂળ નેતૃત્વ ગુજરાતે આપ્યું: રાહુલ ગાંધી

  • India
  • March 9, 2025
  • 0 Comments
  • કોંગ્રેસ પાર્ટીનું મૂળ નેતૃત્વ ગુજરાતે આપ્યું: રાહુલ ગાંધી

ગુજરાત કોંગ્રેસને નવજીવન આપવા માટે રાજ્યમાં આવેલા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં અનેક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં રહીને બીજેપીને મદદ કરનારા નેતાઓ વિશે પણ ટિપ્પણી કરી હતી. આવા નેતાઓની હકાલપટ્ટી પણ કરવાની વાત કરી છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત સમાચારોમાં ચમકી રહી છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઈ રહ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓના માથા ઉપર તલવાર પણ લટકી રહી છે.

આ વચ્ચે રાહુલ ગાંધીએ એક્સ પર પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, કોંગ્રેસ પાર્ટીનું મૂળ નેતૃત્વ ગુજરાતે આપ્યું હતું, જેણે આપણને વિચારવાનું, લડવાનું અને જીવવાનું શીખવ્યું. ગાંધીજી વિના કોંગ્રેસ પાર્ટી દેશમાં આઝાદી લાવી શકી ન હોત અને ગુજરાત વિના ગાંધીજી પણ ન હોત. તેમનાથી એક ડગલું પાછળ ગુજરાતે આપણને સરદાર પટેલજી આપ્યા.

આજે એ જ ગુજરાત રસ્તો શોધી રહ્યું છે. અહીંના નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, ખેડૂતો – દરેક જણ મુશ્કેલીમાં છે. હીરા, કાપડ અને સિરામિક ઉદ્યોગો બર્બાદ થઈ રહ્યા છે. ગુજરાતના લોકો કહી રહ્યા છે કે આપણને એક નવા વિઝનની જરૂર છે, કારણ કે છેલ્લા 20-25 વર્ષથી ચાલી રહેલ વિઝન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.

ગુજરાત એક નવો વિકલ્પ શોધી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ પક્ષ તેને દિશા બતાવવામાં સક્ષમ નથી. આ સત્ય છે, અને મને તે કહેવામાં કોઈ શરમ કે ડર નથી. આપણે કોંગ્રેસની એ જ વિચારધારા તરફ પાછા ફરવું પડશે, જે ગુજરાતની વિચારધારા છે – જે ગાંધીજી અને સરદાર પટેલજીએ આપણને શીખવ્યું હતું.

આપણે લોકોની વચ્ચે જવું પડશે અને તેમની વાત સાંભળવી પડશે. આપણે એ બતાવવું પડશે કે આપણે ફક્ત સૂત્રોચ્ચાર કરવા માટે જ નહીં, પરંતુ તેમની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે આવ્યા છીએ. ‘ભારત જોડો યાત્રા’ દ્વારા અમે સાબિત કર્યું કે કોંગ્રેસ જનતા સાથે સરળતાથી જોડાઈ શકે છે. જેવી આપણે આ પરિવર્તન લાવીશું અને આપણી ફરજો નિભાવવાનું શરૂ કરીશું, ગુજરાતના લોકો આપણી સાથે ઉભા રહેશે.

આ પણ વાંચો- અમેરિકામાં હિન્દુ મંદિરમાં થયેલી તોડફોડ પર કોંગ્રેસ અને વિદેશ મંત્રાલયે શું કહ્યું?

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 4 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 6 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 23 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 6 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 7 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 7 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!