
Jignesh Mevani: ગુજરાતમાં ડ્રગ્સ-દારૂ બંધ કરાવવા મેદાને પડેલા યુવા નેતા જીગ્નેશ મેવાણીએ થરાદમાં દારૂ-ડ્રગ્સ મુદ્દે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરીને ભારે તહેલકો મચાવ્યા બાદ હવે તેઓએ આંદોલનના દ્વિતીય ચરણમાં ખેડા જિલ્લાના ફાગવેલ ગામેથી સરકારને લલકાર કરી કહ્યું હતું કે મંત્રીઓને ડ્રગ્સ-કૂટણખાનામાંથી મોટી કમાણી થઈ રહી છે.
આજે 20મી ડિસેમ્બરે બીજા તબક્કામાં શરૂ થયેલી જન આક્રોશ યાત્રાના પ્રારંભે સૌ પ્રથમ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કપડવંજ તાલુકાના ફાગવેલ ધામ ખાતે વીર ભાથીજી મહારાજના મંદિરે શાસ્ત્રોક્ત વિધિસર ધ્વજારોહણ કરાયા બાદ ભાથીજીના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ જિજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી.
મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં 25 લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે અને મુખ્યમંત્રી ચૂપ છે. નશાના રવાડે ચડેલા લોકો ઘરનાં વાસણો પણ વેચી રહ્યા છે, છતાંપણ મંત્રીઓને કોઈ ફેર પડતો નથી.ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઉમેર્યુ કે તેઓની દારૂ ઝૂબેશ દરમિયાન પોલીસ પરિવારને આગળ કરી અવાજ દબાવવાનો પ્રયાસ જરૂર કર્યો પણ તે લોકો દ્વારા જનતામાં જાગૃતિ લાવવા દારૂ-ડ્રગ્સ માટે જાગૃતિની એક અપીલ પણ ન થઈ.
તેઓએ ઉમેર્યુ કે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ટ્રેક્ટર યાત્રા બાદ ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ રેલીને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે હવે જન આક્રોશ રેલીનું આ બીજું ચરણ છે, જે અહીંથી યાત્રા નીકળી દાહોદ જશે.યાત્રામાં આજ મુદ્દો રહેશે ગુજરાતમાં રાજકીય પરિવર્તનનો સંકલ્પ લઈને કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘જન આક્રોશ યાત્રા’ના દ્વિતીય ચરણનો ખેડા જિલ્લાના ફાગવેલથી પ્રારંભ થયો છે અને લોકોને વ્યસન છોડવા અપીલ કરવામાં આવશે અને ગુજરાતમાં ઘુસી ગયેલા દારૂ-ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









