Surat: ભાજપની શિસ્તતાના લીરેલીરા ઉડ્યા, કાર્યાલયમાં જ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતાં પોલીસે…

Surat BJP office fighting: પોતાને શિસ્ત ગણતી ભાજપ પાર્ટીના કાર્યકરોએ તેના લીરેલીરા ઉડાવી નાખ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મુખ્ય ભાજપ કાર્યાલયમાં ભાજપ નેતાઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે સુરત મહાનગરના ખજાનચી શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ મથકમાં વોર્ડ નંબર-2ના કાર્યકર દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને ધક્કામુક્કીની ફરિયાદ નોંધાવી છે.

મળતી જાણકારી અનુસાર બુધવારે સાંજે ઉધના BJP કાર્યાલયમાં નિયમિત ચા-નાસ્તાનો સમય ચાલુ હતો. વોર્ડ નંબર-2ના સક્રિય કાર્યકર દિનેશ સાવલિયાએ કાર્યાલય મંત્રી શૈલેષ પટેલ અને પટાવાળા સાથે નાસ્તાની વ્યવસ્થા અંગે બોલાચાલી કરી હતી. નાની-મોટી બોલાચાલીથી શરૂ થયેલી આ રકઝક કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકરોના ધ્યાનમાં આવી, અને તેમાંથી એક પગલું આગળ વધીને મામલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આનાથી વાત વધુ વણસી ગઈ.

સુરત મહાનગર BJPના ખજાનચી શૈલેષ જરીવાલા, જેઓ તે સમયે કાર્યાલયમાં હાજર હતા, તેમણે દિનેશ સાવલિયાને માથાકૂટ ન કરવા કહ્યું હતુ. જેથી ઉશ્કેરાયેલા સાવલિયાએ ‘તું કોણ મને કહેવાવાળો’ જેવા આક્રમક શબ્દો કહ્યા અને તરત જ જરીવાલા સાથે ધક્કામુક્કી શરૂ કરી દીધી. આ રકઝક એટલી વધી કે તે મારામારીમાં બદલાઈ ગઈ, જેમાં બંને પક્ષો વચ્ચે હાથ-પાવનો ઉપયોગ થયો.

કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકરો અને કર્મચારીઓએ આ ઝઘડાને અલગ કરવા પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધી મામલો તો ગંભીર બની ગયો હતો. આ ઘટના દરમિયાન કોઈએ તરત મોબાઈલથી વીડિયો રેકોર્ડ કર્યો, જે પછીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ ગયો.

આ મામલે તરત જ કાર્યવાહી કરતાં ખજાનચી શૈલેષ જરીવાલાએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં દિનેશ સાવલિયા વિરુદ્ધ મારામારી અને ધક્કામુક્કીના ગુનો નોંધાવ્યો છે. પોલીસ તપાસમાં જણાવ્યા મુજબ, આ ઘટના બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી, અને વીડિયોમાં દેખાતા પુરાવા આધારે તપાસ આગળ વધી રહી છે. શિસ્તબદ્ધતા અને એકતા માટે જાણીતી પાર્ટીની ઈજ્જતના લીરેલીરા ઉડાવ્યા છે.

આ પણ વાંચો:

આતે ભાજપ કાર્યાલય કે મચ્છી બજાર? ભાજપના બે કાર્યકરો વચ્ચે જોરદાર મારમારીનો વીડિયો વાયરલ

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?

સુરત: બીજેપીના પૂર્વ ધારાસભ્યના પત્રથી વિકાસના નામે બણગા ફૂંકતી ભાજપ સરકારની ખુલી ગઈ પોલ

UP Politics: ‘આ સાઠગાંઠ નથી તો શું છે?’, માયાવતીએ ભાજપની પ્રશંસા કરતાં અખિલેશ યાદવ શું બોલ્યા?

Akhilesh Yadav: અખિલેશ યાદવ પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને મળ્યા!, સાંસદ મોહિબુલ્લાહ નદવી કેમ ન આવ્યા?

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”