Dev Deepavali: આજે દેવ દિવાળી, જાણો દિવાળી-દેવ દિવાળી વચ્ચેનો તફાવત?

  • Dharm
  • November 5, 2025
  • 0 Comments

Dev Deepavali: આપણા દેશમાં પ્રાચીન ધાર્મિક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે આજે દેવ દિવાળી છે જે કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ઉદયાતિથિ અને પ્રદોષ કાળના મુહૂર્ત મુજબ આ પવિત્ર તહેવાર આજે તા. 5 નવેમ્બર, 2025ના રોજ ઉજવવામાં આવશે.

દેવ દિવાળીને દેવ દીપાવલી, ત્રિપુરારી પૂર્ણિમા અને કારતક પૂર્ણિમાથી પણ ઓળખવામાં આવે છે. આજના પાવન દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે,હરી અને હરની એકસાથે પૂજા કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

આજના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરીને દેવતાઓને તેના ભયમાંથી મુક્ત કર્યા હતા જે વિજયની ખુશીમાં દેવતાઓએ દિવાળીની જેમ આજે દેવ દિવાળીની દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી. જેથી કાશી (વારાણસી)માં ગંગાના ઘાટ પર હજારો દીવાઓનો પ્રકાશ કરવામાં આવે છે.

આ પવિત્ર તિથિએ ગંગામાં સ્નાન કરવું, દીવા દાન કરવું અને ભગવાન શિવની પૂજા કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસને પૂર્વજોના આત્માની શાંતિ, મુક્તિની પ્રાપ્તિ, ધન અને સમૃદ્ધિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા કાર્યો સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધારે ફળ આપે છે.

દિવાળીના બરાબર 15 દિવસ બાદ દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે,માન્યતા છે કે આજેપણ દેવી-દેવતાઓ પ્રાચીન નગરી કાશીમાં અદ્રશ્ય રૂપે આવે છે અને દિવાળી ઉજવી આર્શીવાદ આપે છે તેથી આજના દિવસે વારાણસીના બધા ઘાટો ઉપર દીવાડાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે, ગંગાના કિનારે દીવા પ્રગટાવવાનું અત્યંત શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે.

આ તહેવાર હિન્દુ ધર્મની ખાસ તિથિઓમાંની એક છે, જે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તિભાવ સાથે ઉજવાય છે. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા તિથિ તા. 4 નવેમ્બર, મંગળવારના રોજ રાત્રે 10:36 વાગ્યે શરૂ થઈને બીજા દિવસે આજે તા.5 નવેમ્બર, બુધવારના રોજ સાંજે 6:48 વાગ્યે સમાપ્ત થશે.

પંચાંગ મુજબ, હિંદુ ધર્મમાં તહેવારો ઉદયાતિથિ અનુસાર ઉજવવામાં આવતા હોવાથી, દેવ દિવાળીનો મહાપર્વ આજે તા.5 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે. દેવ દિવાળી દરમિયાન પૂજા અને દીવા પ્રગટાવવા માટે પ્રદોષ કાળ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે દેવ દીપાવલીના પ્રદોષ સમયગાળા દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
આ દિવસે સાંજે 5:15 થી 7:50 વાગ્યા સુધી પૂજા કરવાથી લાભથઈ શકે છે.

આપને જણાવી દઈએ કે દિવાળી અને દેવ દિવાળી પર્વ વચ્ચે શુ તફાવત છે? દિવાળી કાર્તિક અમાવસ્યા પર ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને અયોધ્યા પાછા ફર્યા તે દિવસથી ઉજવાય છે. જ્યારે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો જે વિજયની ખુશીમાં દેવોએ ઉજવણી કરી હતી એટલે દેવોએ દિવાળી ઉજવી તેથી દેવ દિવાળી નામ પડ્યું જે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.

દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્વ છે. દેવ દિવાળી પર ભગવાન શિવની પૂજા અને ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.

આ પણ વાંચો:

UP: અયોધ્યામાં દિવાળી પછી ગરીબોના જીવનમાં ઘેરાયેલું અંધકાર ઉજાગર થયું, જુઓ

 banaskantha: દિવાળી ઉપર ઉઘરાણા કરવા નીકળી પડતા પત્રકારોનો વધ્યો ત્રાસ! ડીસામાં વેપારીને ધમકાવતા વેપારીનું મોત,છ કથિત પત્રકારો સામે ફરિયાદ

Related Posts

Mahashivratri: આજે મહાશિવરાત્રી ; જાણો શિવ ઉપાસના અને પૂજાનું મહત્વ
  • February 15, 2026

Mahashivratri: આજે મહાશિવરાત્રી પર્વ છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શુભ મુહૂર્ત દરમિયાન જલાભિષેક અને તેમની પૂજા કરવાની પરંપરા છે. આજે શિવ ઉપાસનાનો તહેવાર છે જે…

Continue reading
 Dharma: આજે દેવઉઠી અગિયારસે આટલું કરવાથી ઘરમાં સુખ-શાંતિ-વૈભવની પ્રાપ્તિ થાય છે,તુલસી માતાના છોડને આ વસ્તુઓ અર્પણ કરો
  • November 1, 2025

 Dharma: આપણા દેશમાં પ્રાચીન રામાયણ-મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતિમાં અનેક તહેવારોનું મહત્વ રહેલું છે ત્યારે દેવઉઠી અગિયારસે તુલસી પૂજનનું મહત્વ રહેલું છે અને તુલસીના છોડને નાડાછડી બાંધી લાલ ચૂંદડી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”