Dev Deepavali: આજે દેવ દિવાળી, જાણો દિવાળી-દેવ દિવાળી વચ્ચેનો તફાવત?

  • Dharm
  • November 5, 2025
  • 0 Comments

Dev Deepavali: આપણા દેશમાં પ્રાચીન ધાર્મિક તહેવારોનું આગવું મહત્વ રહેલું છે ત્યારે આજે દેવ દિવાળી છે જે કારતક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ઉદયાતિથિ અને પ્રદોષ કાળના મુહૂર્ત મુજબ આ પવિત્ર તહેવાર આજે તા. 5 નવેમ્બર, 2025ના રોજ ઉજવવામાં આવશે.

દેવ દિવાળીને દેવ દીપાવલી, ત્રિપુરારી પૂર્ણિમા અને કારતક પૂર્ણિમાથી પણ ઓળખવામાં આવે છે. આજના પાવન દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે,હરી અને હરની એકસાથે પૂજા કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

આજના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરીને દેવતાઓને તેના ભયમાંથી મુક્ત કર્યા હતા જે વિજયની ખુશીમાં દેવતાઓએ દિવાળીની જેમ આજે દેવ દિવાળીની દીવા પ્રગટાવીને ઉજવણી કરી હતી. જેથી કાશી (વારાણસી)માં ગંગાના ઘાટ પર હજારો દીવાઓનો પ્રકાશ કરવામાં આવે છે.

આ પવિત્ર તિથિએ ગંગામાં સ્નાન કરવું, દીવા દાન કરવું અને ભગવાન શિવની પૂજા કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસને પૂર્વજોના આત્માની શાંતિ, મુક્તિની પ્રાપ્તિ, ધન અને સમૃદ્ધિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતા કાર્યો સામાન્ય દિવસો કરતાં અનેક ગણું વધારે ફળ આપે છે.

દિવાળીના બરાબર 15 દિવસ બાદ દેવ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે,માન્યતા છે કે આજેપણ દેવી-દેવતાઓ પ્રાચીન નગરી કાશીમાં અદ્રશ્ય રૂપે આવે છે અને દિવાળી ઉજવી આર્શીવાદ આપે છે તેથી આજના દિવસે વારાણસીના બધા ઘાટો ઉપર દીવાડાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે, ગંગાના કિનારે દીવા પ્રગટાવવાનું અત્યંત શુભ અને પુણ્યશાળી માનવામાં આવે છે.

આ તહેવાર હિન્દુ ધર્મની ખાસ તિથિઓમાંની એક છે, જે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભક્તિભાવ સાથે ઉજવાય છે. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા તિથિ તા. 4 નવેમ્બર, મંગળવારના રોજ રાત્રે 10:36 વાગ્યે શરૂ થઈને બીજા દિવસે આજે તા.5 નવેમ્બર, બુધવારના રોજ સાંજે 6:48 વાગ્યે સમાપ્ત થશે.

પંચાંગ મુજબ, હિંદુ ધર્મમાં તહેવારો ઉદયાતિથિ અનુસાર ઉજવવામાં આવતા હોવાથી, દેવ દિવાળીનો મહાપર્વ આજે તા.5 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે. દેવ દિવાળી દરમિયાન પૂજા અને દીવા પ્રગટાવવા માટે પ્રદોષ કાળ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે દેવ દીપાવલીના પ્રદોષ સમયગાળા દરમિયાન પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
આ દિવસે સાંજે 5:15 થી 7:50 વાગ્યા સુધી પૂજા કરવાથી લાભથઈ શકે છે.

આપને જણાવી દઈએ કે દિવાળી અને દેવ દિવાળી પર્વ વચ્ચે શુ તફાવત છે? દિવાળી કાર્તિક અમાવસ્યા પર ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને અયોધ્યા પાછા ફર્યા તે દિવસથી ઉજવાય છે. જ્યારે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો જે વિજયની ખુશીમાં દેવોએ ઉજવણી કરી હતી એટલે દેવોએ દિવાળી ઉજવી તેથી દેવ દિવાળી નામ પડ્યું જે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.

દિવાળી પર લક્ષ્મી પૂજાનું મહત્વ છે. દેવ દિવાળી પર ભગવાન શિવની પૂજા અને ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે.

આ પણ વાંચો:

UP: અયોધ્યામાં દિવાળી પછી ગરીબોના જીવનમાં ઘેરાયેલું અંધકાર ઉજાગર થયું, જુઓ

 banaskantha: દિવાળી ઉપર ઉઘરાણા કરવા નીકળી પડતા પત્રકારોનો વધ્યો ત્રાસ! ડીસામાં વેપારીને ધમકાવતા વેપારીનું મોત,છ કથિત પત્રકારો સામે ફરિયાદ

Related Posts

Hanuman Jayanti 2026: આજે ભગવાન શ્રી હનુમાન જયંતિની ઠેર ઠેર ભવ્ય ઉજવણી ; ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
  • April 2, 2026

Hanuman Jayanti 2026: આજે ગુજરાત સહિત સમગ્ર દેશ-દુનિયામાં વસતા ભારતીય સમુદાયમાં અનેરો ઉત્સાહ છે આજે ભગવાન શ્રી હનુમાન જયંતિ છે, જેની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે…

Continue reading
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ
  • March 26, 2026

Ram Navami 2026: વડોદરા (Vadodara) માં આજે ભગવાન રામનવમી પર્વ અંતર્ગત ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે સાથેજ શોભાયાત્રાઓના આયોજન કરાયા છે, શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 13 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા