ઇન્ડિયન નેવીને મળી સ્વદેશી INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરની ખતરનાક ત્રિપુટી

  • India
  • January 15, 2025
  • 1 Comments
  • ઇન્ડિયન નેવીને મળી સ્વદેશી INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરની ત્રિપુટી

પીએમ મોદીએ ત્રણ અગ્રણી નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરને મુંબઈના નેવલ ડોકયાર્ડમાં લોન્ચ કર્યા છે. આ યુદ્ધ જહાજોનું સમર્પણ એ ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક તાકાત વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. માહિતી અનુસાર, તેઓ સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે.

INS સુરત: ચોથું અને છેલ્લું સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર

INS સુરત એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 15B હેઠળ બનાવવામાં આવેલ ચોથું અને છેલ્લું સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર છે. તે 17 મે 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધ જહાજમાં અદ્યતન રડાર સિસ્ટમ અને સ્ટીલ્થ ફિચર્સ છે જે તેને દુશ્મન પર ગુપ્ત રીતે હુમલો કરવાની ક્ષમતા આપે છે. તે 7400 ટનના ડિસ્પ્લેસમેન્ટ સાથે 164 મીટર લાંબુ છે અને તે દરિયાની અંદરની મિસાઈલથી લઈને ટોર્પિડોઝ સુધીના તમામ પ્રકારના શસ્ત્રોથી સજ્જ છે. તેની ‘કમ્બાઈન્ડ ગેસ એન્ડ ગેસ’ (COGAG) પ્રોપલ્શન સિસ્ટમ સાથે, આ જહાજ 30 knots (56 km/h)ની ઝડપે દોડી શકે છે.

INS નીલગિરી એ ભારતીય નૌકાદળના પ્રોજેક્ટ 17A હેઠળનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ છે જે દરિયાઈ સુરક્ષાને નવી દિશા આપશે. 28 સપ્ટેમ્બર 2019ના રોજ તેને લોન્ચ કરવામાં આવ્યું હતુ. તેનું વજન 6670 ટન છે અને તેની લંબાઈ 149 મીટર છે. INS નીલગિરીને ખાસ કરીને રડાર સિગ્નેચર ઘટાડવા માટે બનાવવામાં આવ્યું છે, જેથી તે દુશ્મનની નજરથી બચી શકે. આ જહાજ સુપરસોનિક સપાટીથી સપાટી અને મધ્યમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલોથી સજ્જ છે, જેના કારણે તે સમુદ્રમાં સ્થિત વિવિધ જોખમોનો સામનો કરવામાં સક્ષમ હશે.

INS વાઘશિર: સ્કોર્પિન-ક્લાસની છઠ્ઠી સબમરીન

INS વાઘશિર એ ભારતીય નૌકાદળના સ્કોર્પિન-ક્લાસ પ્રોજેક્ટ 75 હેઠળ બાંધવામાં આવેલી છઠ્ઠી અને છેલ્લી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન છે. તેને ખાસ કરીને ગુપ્ત કામગીરી માટે તૈયાર કરવામાં આવી છે જેથી તે દુશ્મનના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના અવાજ વિના તેના મિશનને પાર પાડી શકે. આ 67 મીટર લાંબી અને 1550 ટનની સબમરીન વાયર-ગાઇડેડ ટોર્પિડોઝ, એન્ટિ-શિપ મિસાઇલ અને અદ્યતન સિસ્ટમથી સજ્જ છે.

આ યુદ્ધ જહાજો અને સબમરીનમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓ માટે વિશેષ સુવિધાઓ બનાવવામાં આવી છે. ભારતીય નૌકાદળમાં સમાનતાને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પગલું ભારતીય નૌકાદળમાં મહિલાઓની ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે. INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરના સામેલ થવાથી ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક તાકાતમાં નોંધપાત્ર વધારો થશે.

આ યુદ્ધજહાજો અને સબમરીન માત્ર ભારતના દરિયાઈ હિતોનું જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવશે. સ્વદેશી ઉત્પાદનનું આ ઉત્તમ ઉદાહરણ ભારતીય સંરક્ષણ ક્ષેત્રની આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

આ પણ વાંચો-સોનિયા ગાંધીએ કર્યું કોંગ્રેસના નવા હેડક્વાર્ટર ઇન્દિરા ભવનનું ઉદ્ધાટન

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

One thought on “ઇન્ડિયન નેવીને મળી સ્વદેશી INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરની ખતરનાક ત્રિપુટી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ બદબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 1 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ બદબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 7 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 15 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 25 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 30 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 29 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ