
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ધમધમાટ ચાલુ જ છે. બે મહિના અગાઉ હોસ્પિટલ દ્વારા જરુર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરતા બે દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. જેમાં પોલીસે 5 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આજે ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવવાના કેસમાં ખ્યાતિ હોસ્ટિપટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો છે. જ્યા તેના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. હવે શહેરના કેટલા ડોકટરો સાથે સાંઠગાંઠ, તેમજ ટેક્નીકલ તપાસ હાથ ધરાશે. જ્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર છે. રિમાન્ડ દરમિયાન હવે નવા અનેક ખુલાસા થઈ શકે છે. મુખ્ય આરોપી કાર્તિક હજુ ફરાર છે. તેનો પત્તો લાગ્યો નથી. ત્યારે તેને શોધી કાઢવા ચિરાગ રાજપૂતની વધુ પૂછપરછ કરાશે. સાથે જ અન્ય ડોક્ટરોની સંડોવળી પણ બહાર આવવાની આશંકા છે.
આ પણ વાંચોઃ લોકોને ખડખડાટ હસાવનાર અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ અટેક આવ્યો!
મુખ્ય આરોપી કાર્તિક પટેલ ક્યારે ઝડપાશે?
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે તાજેતરમાં આગોતરા જામીન માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. તે મામલે અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી પણ દર્શાવી હતી. જો કે આ અલજીમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સરકારી વકીલે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, હાલ કાર્તિક પટેલ ક્યાં છે તે અંગે અરજીમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી.
ઉલ્લેખનીય છે કે, કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને કાર્તિક પટેલની સિગ્નેચરથી જ હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહારો થતા હોવાનો આરોપ છે. ત્યારે હવે પોલીસ તંત્ર આ મુખ્ય આરોપીને ક્યારે પકડશે તેવા સવાલ ઉઠ્યા છે.
જુઓ વિડિયો