
નાણા મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં 500 રૂપિયાના નકલી નોટોમાં 317% ની વૃદ્ધિ થઈ છે, અમદાવાદ, સુરત, માલદા, ગૌહાટી, બૅન્ગલુરુ અને અન્ય શહેરોમાં નકલી ચલણી નેટવર્કના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે.
2016માં 500 અને 1,000 રૂપિયાના નોટોના વિમુદ્રિકરણ (નોટબંધી)નું મુખ્ય ઉદ્દેશ્ય નકલી નોટોના પ્રચલન પર નિયંત્રણ લાવવાનું હતું, પરંતુ દેશમાં ‘ફેક ઈન્ડિયન કરન્સી નોટ’ (એફઆઈસીએન)નો પ્રચલન નોટબંધી બાદ પણ એક પડકાર બન્યો છે, રાષ્ટ્રીય અપરાધ નિયંત્રણ બ્યુરો (એનસીઆરબી)એ તેના 2023ના રિપોર્ટમાં જણાવ્યું છે કે 2016થી અત્યાર સુધીમાં દેશભરમાં કાયદા અમલ એજન્સીઓ દ્વારા 245.33 કરોડ રૂપિયાની મૂલ્યવાળી ‘ફેક ઈન્ડિયન કરન્સી નોટ’ જપ્ત કરવામાં આવી છે.
31 માર્ચ, 2024 સુધીમાં જથ્થાના હિસાબે 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યા સૌથી વધારે 5.16 લાખ હતી, જ્યારે 10 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 2.49 લાખ ઓછી હતી. શક્ય છે કે મે 2023 માં 2,000 રૂપિયાની નોટોને બંધ કરવામાં આવી જેના પછી કુલ ચલણમાં 500 રૂપિયાની નોટોની હિસ્સેદારી 77.1% થી વધી 86.5% થઇ ગઈ હતી.
ઠગ ટોળકી સામાન્ય રીતે ઉચ્ચ મૂલ્યવર્ગની ચલણને નિશાન બનાવે છે, આ જ કારણ છે કે 500, 200 અને 100 રૂપિયાની નોટોની નકલી ચલણ નાના મૂલ્યવર્ગની નોટોની તુલનામાં વધુ સામાન્ય છે.
આ વૃદ્ધિ છતાં આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યસભામાં દેશમાં નકલી ચલણના કુલ પ્રચલન વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે તમામ મૂલ્ય વર્ગોમાં નકલી ચલણમાં કુલ મળીને 30% નો ઘટાડો નોંધાયો છે. જે નાણાકીય વર્ષ 2019 માં 3,17,384 મિલિયન નકલી ચલણી નોટ સામે નાણાકીય વર્ષ 2024માં 2,22,639 મિલિયન નકલી ચલણી નોટ મળી છે.
તેમ છતાં જો આપણે મૂલ્યવર્ગ પ્રમાણે ડેટા જોઈએ, તો 500 રૂપિયાની નોટોની (નવી શ્રેણી) સંખ્યા 2018-19માં 21,865 નોટોથી વધીને હાલની વર્ષ 2023-24માં 85,711 થઈ છે. અસલમાં 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યા સતત વધી રહી છે અને 2020-21માં 39,453 થઈ ગઈ, 2021-22માં બમણું થઈને 79,669 થઈ અને ત્યાર બાદ 2022-23માં 91,910 થઈ ગઈ હતી.
આંકડાઓની તપાસ કરતાં ખ્યાલ આવે છે કે કૂલ નોટોની સંખ્યા જે કુલ સંખ્યા દર્શાવે છે તે ખરેખર 100 રૂપિયાની નકલી નોટોની ચાર ગણી ઘટતી સંખ્યાને કારણે છે- 2018-19માં 2,21,201ની ઊંચા સ્તરેથી 2023-24માં 66,130 સુધીની નકલી ચલણી નોટોને રિપોર્ટ કરવામાં આવી છે. આ ઘટતી સંખ્યા જે કુલ સંખ્યા પર અસર કરે છે તે વધારે મૂલ્યવાન 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યા વધી રહી છે તેના ઉપરથી પણ ધ્યાન દૂર કરે છે.
અથવા, નાણા રાજ્ય મંત્રી દ્વારા રજૂ કરેલા આંકડામાં આ નકલી નોટોની ગણતરી નથી જે પોલીસ અથવા અન્ય કાયદા અમલ એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવી છે, પરંતુ તેમાં માત્ર તે નોટો સમાવેશ થાય છે જે બેન્કિંગ સિસ્ટમમાં રિપોર્ટ કરવામાં આવી છે.
આઠ વર્ષ પહેલા 500 અને 1000 રૂપિયાના નોટોને ચલણમાંથી પાછા લાવવાના જાહેર હેતુમાંનો એક નકલી ચલણ પર નિયંત્રણ લાવવાનો હતો. કેટલાક આધારહીન દાવા કરવામાં આવ્યા કે ‘મોટી નોટોની નોટબંધીના કારણે આતંકવાદી ફંડિંગ શૂન્ય થઈ ગઈ છે, સુરક્ષા દળો પર પથ્થરમારો બંધ થયો છે, અને પૂર્વોત્તરમાં નક્સલ પ્રવૃત્તિઓ અને ઉગ્રવાદને ઝટકો લાગ્યો છે’ કારણ કે નકલી ચલણ થકી હવે આ પ્રવૃત્તિઓને નાણાકીય સહાયતા કરી શકતી નથી.
હકીકત એ છે કે નકલી ચલણ પણ નવી ચલણ જેટલી જ ચલણમાં છે અને આ એવી બાબચ નથી જેને એક ઝટકામાં સમાપ્ત કરી શકાય.
23 જૂન, 2024 ના રોજ સુરક્ષા દળોએ છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓના નકલી નોટોના મોટા જથ્થા અને તેમને છાપવા માટે વપરાતા ઉપકરણો બરામદ કર્યા હતા. નક્સલીઓ કથિત રીતે લાંબા સમયથી બસ્તર વિસ્તારના આંતરિક વિસ્તારના સાપ્તાહિક બજારોમાં નકલી નોટોનો ઉપયોગ કરતા હતા અને ભોળા-ભાળા આદિવાસીઓને ઠગતા હતા. પ્રથમ વખત રાજ્યમાં નક્સલીઓના નકલી નોટો મળી છે, જે ત્રણ દાયકાથી વધુ સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
લાંબા સમયથી નકલી ભારતીય ચલણનો મુખ્ય સ્રોત પાકિસ્તાનમાં આઈએસઆઈ એજન્સી રહી છે. બીજો સ્રોત ભારત-બાંગ્લાદેશ સરહદ પાર છે, જ્યાં માલદા નકલી કરન્સી વિતરણ કેન્દ્ર છે. 29 મે, 2023 ના રોજ દક્ષિણ બંગાળ ફ્રન્ટિયરમાં બોર્ડર આઉટપોસ્ટ-નવાદા ખાતે બીએસએફના જવાનોએ નકલી ભારતીય ચલણની તસ્કરી કરવાનો પ્રયાસ નિષ્ફળ કર્યો અને એક પેકેટ બરામદ કર્યું જેમાં 500 રૂપિયાની 200 નોટો હતી, જેમની કિંમત 1 લાખ રૂપિયા હતી. તેમને સરહદે લાગેલી તારો પરથી ફેંકીને ભારતમાં તસ્કરી કરીને લાવવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષાના નિહિતાર્થે અને આંતરરાષ્ટ્રીય સંબંધોને ધ્યાનમાં રાખીને નકલી ચલણ સાથે સંબંધિત કિસ્સાઓ સામાન્ય રીતે એનઆઈએને સોંપવામાં આવે છે.
નકલી ચલણના અન્ય કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જ્યાં તેને બનાવનારા દેશમાં જ મળી આવ્યા છે. આ વર્ષે માર્ચમાં મધ્ય પ્રદેશનો એક એવો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં વ્યક્તિએ જેલમાં રહેવા દરમિયાન વ્યાવસાયિક કુશળતાના રૂપમાં છાપકામ (પ્રિન્ટિંગ) ટેકનિક શીખી હતી, અને તેની મુક્તિ પછી નિયમિત રૂપે ચલણ નોટોની નકલીંગ કરી રહ્યો હતો. જ્યારે તેને બજારમાં નકલી નોટોની સપ્લાય કરતી વખતે પોલીસએ પકડી લીધો ત્યારે તેના ઘરની અંદરથી 200 રૂપિયાની 95 નકલી નોટો મળી આવી.
તો અન્ય એક કેસમાં અમદાવાદના એક સોના વેપારીને ઠગ ટોળકીએ 2.1 કિલો ગ્રામ સોનાના બદલામાં અનુપમ ખેરના ચહેરાવાળી નકલી નોટો આપી હતી.
સરકારે જણાવ્યું છે કે નોટબંધી પછી જપ્ત કરવામાં આવેલી એફઆઇસીએનની નીચી ગુણવત્તા છે, જે દર્શાવે છે કે ચલણ નોટોની સુરક્ષા વિશિષ્ટતાઓ પરિષ્કૃત છે અને નવી નોટોની નકલ કરવી ઘણું અઘરું કામ છે.
સરકારના નિવેદન પછી પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું એફઆઈસીએનની માત્રા એટલી ખતરનાક હતી કે નોટબંધીની જરૂરત ઉભી થઈ ગઈ? નકલી નોટોનો કોઈપણ આંકડો એકમાત્ર અનુમાન છે અને આવી રીતે કોઈપણ પગલું સફળતાના માપ વિશે સ્પષ્ટ હોતો નથી.
લાગત-લાભ વિશ્લેષણ પ્રમાણે એફઆઈસીએનના પરિમાણ પર નોટબંધી વિરુદ્ધ છે કારણ કે નવી નોટોનું છાપકામ, એટીએમ મશીનોના મોડરેશન, જૂની નોટોની બદલીમાં બગાડેલ માનવ કલાકોની કિંમત વગેરેના સંદર્ભમાં નોટબંધીની આર્થિક કિંમત હજાર કરોડો રૂપિયા છે.
એફઆઈસીએનનો મોટો હિસ્સો પડોશી દેશોમાંથી છપાયેલ અને તસ્કરી કરેલ છે. સુરક્ષા સમીક્ષા બેઠક (21 નવેમ્બર) દરમિયાન પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિવિધ માર્ગોથી રાજ્યમાં પ્રવેશ કરનારા એફઆઈસીએન પર ચિંતા વ્યક્ત કરી અને રાજ્ય પોલીસને રાજ્ય અને જિલ્લા સીમાઓ પર તપાસ વધારવા જણાવ્યું – ‘અમારી આંતરરાષ્ટ્રીય સીમાઓ (બાંગ્લાદેશ સાથે) કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં છે. એફઆઈસીએનની તસ્કરી કેવી રીતે થઈ રહી છે? તેઓ કાર્યવાહી કેમ નથી કરી રહ્યા?’
જ્યારે સુધી નકલી મોની નો મૂળ સ્રોત અથવા મોટા પાયે પુરવઠા કરનારા પર નિયંત્રણ મૂકવામાં નથી આવે, ત્યારે સુધી નકલી ચલણની સમસ્યા ચાલુ રહેશે.
શું છે નિરાકરણ
આ પરિસ્થિતિમાં નકલી ચલણી નોટોની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરી શકાય એ સવાલ છે.
પ્રોફેસર અરુણ કુમારના જણાવ્યા મુજબ, “નકલી નોટોનું ચલણ સંપૂર્ણપણે રોકી શકાય નહીં. માત્ર તેનું પ્રમાણ જ ઘટાડી શકાય.”
તેઓ કહે છે કે “આ માટે બૅન્કોએ વધારે સતર્ક રહેવું પડશે. બૅન્કોએ સુનિશ્ચિત કરવું પડશે કે નકલી નોટો તેમના સુધી આવે તો તેઓ તેને ત્યાં જ રોકી લેશે અને બજાર સુધી પહોંચવા ન દે.”
નકલી નોટોની ઓળખ મુશ્કેલ બનતી જાય છે. તેથી નિષ્ણાતો જણાવે છે કે સામાન્ય લોકોએ પણ ચલણી નોટોનો ઉપયોગ કરતી વખતે વધારે સાવધ રહેવું જરૂરી છે.
સરકાર શું કહે છે
સરકારનું કહેવું છે કે બનાવટી ચલણી નોટોનો સ્રોત, તેના બજારમાં પ્રવેશ અને તેનું છાપકામ કરતા ગુનેગારો અને તેને સર્ક્યુલેટ કરવાના સંપૂર્ણ ગેરકાયદે નેટવર્ક પર કેન્દ્ર તથા રાજ્ય સરકારોની ગુપ્તચર તથા સલામતી એજન્સીઓ ચાંપતી નજર રાખે છે તેમજ કાયદાનુસાર કાર્યવાહી કરે છે.
ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ ક્રમાંક 489 (ઈ-એ) મુજબ, કરન્સી નોટોની છેતરપિંડી ગુનો છે. એ ઉપરાંત ઉચ્ચ ગુણવતાવાળી નકલી ભારતીય પેપર કરન્સી, સિક્કા કે અન્ય કોઈ સામગ્રીના ઉત્પાદન, દાણચોરી કે હેરફેરને અનલૉફૂલ ઍક્ટિવિટી (પ્રિવેન્શન) ઍક્ટ – 1967 હેઠળ એક આતંકવાદી કૃત્ય બનાવવામાં આવ્યું છે.
દેશમાં બનાવટી ચલણી નોટોની સમસ્યાના સામના માટે રાજ્યો તથા કેન્દ્રની વિવિધ સલામતી એજન્સીઓ વચ્ચે ગુપ્ત માહિતીના આદાનપ્રદાનના હેતુસર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એફઆઈસીએન સમન્વય સમૂહની રચના કરી છે. એ ઉપરાંત ટેરર ફન્ડિંગ અને નકલી ચલણના મામલાઓની કેન્દ્રીત તપાસ માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં એક ટેરર ફંન્ડિંગ ઍન્ડ ફેક કરન્સી સેલની રચના પણ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર એમ પણ કહે છે કે બનાવટી નોટોના વપરાશ પર લગામ તાણવા માટે નવી સર્વેલન્સ તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના પર 24 કલાક નજર રાખવા માટે વધારાના કર્મચારીઓની તહેનાતી, આંતરરાષ્ટ્રીય સરહદે નજર રાખવા માટે ચોકીઓની સ્થાપના, સીમા પર વાડના નિર્માણ અને સઘન પેટ્રોલિંગ વડે આંતરરાષ્ટ્રીય સરહદે સલામતી મજબૂત બનાવવાનું કામ કરવામાં આવ્યું છે.
નકલી નોટોની દાણચોરી અને તેનું સર્ક્યુલેશન અટકાવવા માટે ભારત અને બાંગ્લાદેશે એક કરાર કર્યો છે. એ ઉપરાંત નકલી ચલણ સંબંધી મામલાઓ ઓળખ, તપાસ અને અસરકારક અદાલતી કાર્યવાહી માટે બાંગ્લાદેશ તથા નેપાળના પોલીસ અધિકારીઓ માટે ભારત ટ્રેનિંગ કાર્યક્રમો યોજી રહ્યું છે.
ભારત સરકારની નકલી ચલણી નોટોનું ચલણ રોકવાની તમામ કોશિશો પૂરતી નહોય તેવી રીતે પ્રતિવર્ષે મોટી સંખ્યામાં નકલી ચલણી નોટો મળવાનું સામે આવી રહ્યું છે. તો એક પાસું તે પણ ધ્યાને લેવા જેવું છે કે, દેશમા ન પકડાયેલી નકલી ચલણી નોટ પણ અસલી મૂલ્યની નોટ સાથે કેટલા પ્રમાણમાં સર્ક્યૂલેટ થઈ રહી છે તે બાબતે કોઈ અનુમાન લગાવી શકાતું નથી. આમ નકલી ચલણી નોટના રાક્ષસને ડામવામાં ભારત સરકારની નોટબંધી પણ કામ આવી નથી.







