Jagganath Rath Yatra: પુરીની રથયાત્રામાં ભક્તોમાં નાસભાગ, 3ના મોત, 50થી વધુને ઈજાઓ

  • India
  • June 29, 2025
  • 0 Comments

Jagganath Rath Yatra: આજે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ગુંડીચા મંદિર પાસે ભાગદોડની સ્થિતિ સર્જાતા અરાજકતા ફેલાઈ ગઈ. સવારના અંધારામાં થયેલી ભાગદોડમાં સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું. આ ઘટનામાં 3 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 50 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ટ્રકોના પ્રવેશને કારણે નિયંત્રણ બગડ્યું!

મળતાં અહેવાલો અનુસાર આજે(29 જૂન, 2025) રવિવારે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે જ્યારે હજારો શ્રદ્ધાળુઓ દેવદર્શન માટે ગુંડીચા મંદિર પાસે હાજર હતા, ત્યારે બે ટ્રકોના અજાણતામાં પ્રવેશવાના પ્રયાસથી વાતાવરણ બગડી ગયું. સાંકડી જગ્યા, પહેલેથી જ ભારે ભીડ, રથ પાસે વિખરાયેલા ખજૂરના લાકડા અને સુરક્ષા દળોની મર્યાદિત તૈનાતી, આ બધા કારણો મળીને ભાગદોડનું કારણ બન્યા.

મૃતકોની ઓળખ 

સ્થાનિક મીડિયા અનુસાર જીવ ગુમાવનારા 3 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. પ્રેમકાંત મોહંતી (80 વર્ષ), બસંતી સાહુ (36 વર્ષ), પ્રભાતી દાસ (42 વર્ષ). તેમના પરિવારના સભ્યો અને નજીકના ભક્તોમાં શોક અને ભયનું વાતાવરણ છે.

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો

ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને અકસ્માતને દુ:ખદ ગણાવ્યો છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. સરકાર ઉચ્ચ સ્તરીય તપાસ કરશે અને આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 750 ભક્તો થાક અને ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા

Image

ઉલ્લેખનીય છે કે અહીં એક દિવસ પહેલા લગભગ 750 ભક્તો થાક અને ગરમીને કારણે બેભાન થઈ ગયા હતા. તેમાંથી 230 લોકોને તાત્કાલિક પુરીની ID હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 520 થી વધુ ભક્તોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે બીમાર એક વ્યક્તિને કટકની SCB મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો:
 

Related Posts

Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?
  • June 29, 2025

US court summons Gautam Adani: અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ ન્યૂયોર્કની પૂર્વીય જિલ્લા કોર્ટને જણાવ્યું છે કે ભારતના અધિકારીઓએ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ફેડરલ સિક્યોરિટીઝ ઉલ્લંઘનના કેસમાં હજુ સુધી…

Continue reading
UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો
  • June 29, 2025

UP: ભાજપના રાજમાં ઉત્તર પ્રદેશના હમીરપુરથી માનવતાને શરમાવે તેવી એક તસવીર સામે આવી છે. અહીં યમુના પુલ પર સમારકામના કામને કારણે વાહનોનો પ્રવેશ બંધ છે. આમ છતાં ભાજપના ધારાસભ્યની કાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

  • June 29, 2025
  • 13 views
તલોદ GIDC માં આવેલી રબર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ | Talod rubber factory fire

Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

  • June 29, 2025
  • 14 views
Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

  • June 29, 2025
  • 27 views
દ્વારકામાં વેપારીઓનો વિરોધ: 4 ફૂટની રેંકડી દેખાય, 14 ફૂટના ગેરકાયદેસર બાંધકામો નહીં? | Traders movement

UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

  • June 29, 2025
  • 37 views
UP: બંધ પુલ પરથી ભાજપ MLA ની ગાડી જવા દીધી, માતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને રોકી, 1 કિમી ચાલીને મૃતદેહ લઈ જવાયો

બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular

  • June 29, 2025
  • 46 views
બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ હટાવવા પૂર્વ CM શિવરાજસિંહેેે માંગ કેમ કરી? | Secular

Batsman Death: પંજાબમાં સીક્સ મારતાં જ બેટ્સમેન ઢળી પડ્યો, થયું મોત!

  • June 29, 2025
  • 63 views
Batsman Death: પંજાબમાં સીક્સ મારતાં જ બેટ્સમેન ઢળી પડ્યો, થયું મોત!