
Jai Vasavada audio clip: છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતના લેખક અને કૉલમિસ્ટ જય વસાવડા( Jai Vasavada )નો વાઈરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ કોઈક સાથે રાજકારણ પર ચર્ચા કરતી વખતે નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિશે જે ટિપ્પણીઓ કરે છે, તેના કારણે વિવાદ સર્જાયો છે અને લોકો, ખાસ કરીને ભાજપા સમર્થકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ખાનગીમાં આ રીતે મોદી-શાહ વિશે વાત કરતા માણસને ભાજપા-સરકારના કાર્યક્રમોમાં સ્ટેજ શા માટે આપવામાં આવે છે.
ઓડિયોમાં જય વસાવડા કહે છે કે, “લોકો કહે છે કે આપણે સરકાર વિરુદ્ધ નથી લખતા પણ હમણાં જ ટેક્સ પર સરકારની વિરુદ્ધ લખ્યું હતું અને મોદી ‘જોતો’ પણ હશે છતાં તેણે સિલ્વર પાસ મોકલ્યું. “આગળ કહે છે કે, “ટેક્સ પર આટલો આકરો લેખ લખ્યો તો પણ ‘મન કી બાત’માં મને જ બોલાવ્યો હતો.”
“મોદી વિરુદ્ધ લેખ લખ્યા….મોદી જોતો જ હશે.. તો ય મને કાર્ડ મોકલાવ્યું… VVIP પાસ. સિલ્વર. આગળની બે લાઇનમાં બેસવાનું… અને મન કી બાત માં પણ બોલાવ્યો મને….”
આગળ પણ મોદી વિશે તુંકારો ચાલુ જ રાખે છે અને કહે છે કે, “આપણે તો હિંદુત્વના મુદ્દે પણ કેટલું આકરું-આકરું લખ્યું છે….જોકે મોદી તો હિંદુત્વવાદી છે જ નહીં ને…ઓલો (તોગડિયા વિશે તુંકારો) એમ જ કહે છે ને કે મોદી હિંદુત્વવાદી છે જ નહીં.” ઑડિયોમાં આગળ એમ પણ કહે છે કે મોદીને ક્યારે શું કરવું એની આવડત છે અને હિંદુ-મુસ્લિમવાળું કે દાઉદવાળું કશુંક કાઢશે અને મુદ્દો ભટકાવી દેશે.
આગળ જય વસાવડા કોઈક ‘સરકારવિરોધી લેખ’નો ઉલ્લેખ કરીને કહે છે કે તેનું શું કરવું જોઈએ. જવાબમાં સામેની વ્યક્તિ તેમને હાલ ન લખવાની સલાહ આપે છે. સાથે શ્રેયાંશભાઈનો (ગુજરાત સમાચારના તંત્રી શ્રેયાંશ શાહ) પણ ઉલ્લેખ આવે છે. અહીં જય વસાવડા અમિત શાહનો ઉલ્લેખ કરે છે.
તેઓ કહે છે, “એક વખત તો આપણે અમિત શાહની કુંડળી પણ કાઢી લીધી હતી (હાસ્ય) પણ શ્રેયાંશભાઈએ છાપ્યો જ નહીં.” આગળ કહે છે કે, “ત્યારે તો ઓલો જેલમાં જવાનો હતો ત્યારે આપણે કચકચાવીને લખ્યું હતું. ‘પ્રપંચતંત્ર’ મને હજુ યાદ છે, એ લેખનું ટાઇટલ પણ મેં આપ્યું હતું.”
આ ઓડિયો વાઈરલ થયા બાદ ભાજપા અનો મોદી ભક્તોના પેટમાં તેલ રેડાયું છે. અને જય વસાવાડાનો ભારે વિરોધ કરી રહ્યા છે.
જય વસાવડા હાલ ગુજરાત સમાચાર” દૈનિકમાં સહિત અનેક જગ્યાએ કોલમ લખે છે. અને હાલમાં જ ગુજરાત સમાચાર પર ED-ITની રેડ પડી હતી. જેમાં ગુજરાત સમાચારના માલિક શ્રેયાંશ શાહનો પણ ઉલ્લેખ આવે છે. જેમાં મોદી-શાહ વિરુધ્ધના લખાણ અંગે ચર્ચા કરવામાં આવે છે. જેમાં જય વસાવાડા મોદી-શાહ અંગે તુકારા સાથે વાત કરે છે. ત્યારે કહેવાય છે કે 2018 ઓડિયોક્લિપ હાલમાં વાઈરલ થઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું જય વસાવડા હોળીનું નાળિયેર બનાવામાં આવી રહ્યા છે. શું લાગે શ્રેયાંશ શાહ સાથે જય વસાવડાને પણ સાથે લપેટામાં લેવા માગે છે? જુઓ વીડિયોમાં ચર્ચા.
આ પણ વાંચો:
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE
રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft
અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack
Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા
‘કાજોલ દિકરી માટે રાક્ષસ સામે લડી’, Maa ફિલ્મનું ટ્રેલર રિલીઝ, શું છે કહાની?
Surat: મનપાની કચરા ગાડીએ બાળકને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત, બહેનોનો બચાવ
Prayagraj: રોજગાર મેળવવા યુવાનોનો રાત્રે જોરદાર વિરોધ, ભાજપા સરકાર સામે આક્રોશ
ડીંગુચા પરિવાર મોત મામલો: US કોર્ટે એક ગુજરાતી માસ્ટરમાઈન્ડને 10 વર્ષની સજા ફટકારી
‘ટ્રમ્પને ટેરિફમાં ફેરફારો કરવાનો કોઈ હક નથી’, US કોર્ટની લાલ આંખ
રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather
ટ્રમ્પથી એલન મસ્કે મોં મચકોડ્યું, સંબંધોમાં કેમ પડી તિરાડ? | America
Ahmedabad: હવે બાપુનગરમાં દબાણો હટાવવાનું કામ ચાલુ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અકાલી દળના વરિષ્ઠ નેતા સુખદેવ સિંહ ઢીંડસાનું નિધન | Sukhdev Singh Dhindsa
MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે