
Jammu-Kashmir: ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સેનાના ગોળીબારમાં એક ટ્રક ચાલક સહિત બે નાગરિકોના મોત થયા છે. શંકાસ્પદ આતંકવાદી હુમલામાં સેનાના જવાનના મોતના થોડા દિવસો પછી આ ઘટના ઘટી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બુધવારે શ્રીનગર-બારામુલા હાઇવે પર સંગ્રામા વિસ્તારમાં એક ટ્રક ચાલક નાકબંધી તોડીને ભાગવા જતાં એક પછી એક 9 ગોળીઓ છોડવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં મૃત જાહેર કર્યો હતો. ફાયરિંગ કરતાં ટ્રકના ટાયરોની હવા નીકળી ગઈ હતી.
બુધવારે સાંજે શ્રીનગર-બારામુલા હાઇવે પર સંગ્રામા વિસ્તારમાં એક કાર શોરૂમ નજીક આગ લાગી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછી નવ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં ડ્રાઇવર ઘાયલ થયો હતો. ટ્રકના આગળના બંને ટાયર ફાટી ગયા હતા.
ડ્રાઈવરની ઓળખ થઈ
ડ્રાઈવરની ઓળખ સોપોરના ગોરીપોરા ગામનો રહેવાસી વસીમ અહમદ મલ્લા તરીકે થઈ છે. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને બારામુલ્લાની સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાંઆવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરાયો છે.
કેમ ગોળીબાર કરાયો?
સેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘એક શંકાસ્પદ ટ્રક ખૂબ જ ઝડપે આવતો જોવા મળ્યો હતો. જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે અટકાયો ન હતો. ચેકપોસ્ટ પાર કરતી વખતે તેની ગતિ વધારી દીધી હતી. જેથી સૈનિકોએ 23 કિલોમીટરથી વધુ સમય સુધી વાહનનો પીછો કર્યો હતો. ટાયરને નિશાન બનાવીને ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેથી આગ પણ લાગી ગઈ હતી.