
Engineer Tarini Das: બિહારની નીતિશ સરકારે મકાન બાંધકામ વિભાગના મુખ્ય એન્જિનિયર તારિણી દાસને સેવામાંથી દૂર કરી દીધો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા દરમિયાન એન્જિનિયરના ઘરેથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હતા. નોટો ગણવા માટે 4 મશીનો મંગાવવા પડ્યા હતા. નિવૃત્તિ પછી, રાજ્ય સરકારે તારિણી દાસને બે વર્ષ વધુ નોકરી કરવા માટે મોકો આપ્યો હતો. જોકે બે વર્ષમાં નિવૃતિ થાય તે પહેલા જ કાળી ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી ગયો છે. કાળા નાણાંનો પર્દાફાશ થયા પછી ઈજનેરને તેના પદ પરથી સરકારે દૂર કરી દીધો છે. તેના વિરુધ્ધ ખાતાકિય તપાસ શરુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક મોટા જજ યશવંત વર્માના ઘરમાંથી કરોડો રુપિયા સળગી જવાનો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ આ બીજી ઘટના સામે આવી છે.
તાજેતરમાં EDએ તારિણી દાસ સહિત 7 લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 11.64 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. IAS સંજીવ હંસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 27 માર્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ED એ 28 માર્ચે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમે કોન્ટ્રાક્ટર રિશુ શ્રીની ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા. એન્જિનિયર તારિણી દાસના ઘરેથી જપ્ત કરાયેલી રકમ ટેન્ડર બિલ ક્લિયર કરવાના બદલામાં આપવામાં આવી હતી. જોકે, ED એ સ્પષ્ટ કર્યું નથી કે કયા સ્થળેથી કેટલી રોકડ મળી આવી છે.
રોકડ રકમના બંડલ મળ્યા બાદ મુખ્ય એન્જિનિયર તારિણી દાસને પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. નિવૃતિને વયે ભ્રષ્ટાચારના કાળા કામો બહાર આવતાં એન્જિનયિરની મુશ્કલીઓ વધી ગઈ છે. હાલ આ એન્જિનિયર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ યશવંત વર્મા પકડાયા બાદ સુપ્રિમના જજોને સંપતિ જાહેર કરવાનો વારો આવ્યો! | Supreme Court Property
આ પણ વાંચોઃ Narmda: પોલીસમાં બે કેટેગરી, એક પગાર લઈ નોકરી કરે, બીજા ભાજપની ચમચાગીરી કરે: ચૈતર વસાવા
આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશના નેમાવર ઘાટ પર 18 ચિતાઓ સળગી, સ્વજનોનું હૈયાફાટ રુદન, ડીસા ફટાકડા ફેક્ટરીમાં થયા મોત | funeral
આ પણ વાંચોઃ Mehsana: ડીસાની ઘટના બાદ મહેસાણાનું વહીવટી તંત્ર જાગ્યું, ફટાકડાની દુકાનોમાં તપાસ