Junagadh: ગિરનાર પર્વત પર 150 લોકો ફસાયા, ભારે વરસાદની વચ્ચે પોલીસ અને વન વિભાગે આ રીતે કર્યા રેસ્ક્યું

Junagadh: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે જટાશંકર મહાદેવ મંદિરે દર્શનાર્થે આવેલા લગભગ 150 લોકો પાણીના તેજ પ્રવાહમાં ફસાયા હતા. હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, સ્થાનિક તંત્ર દ્વારા પૂરતી સાવચેતીનાં પગલાં ન લેવાતાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

ગિરનાર પર્વત પર 150 લોકો ફસાયા

મળતી માહિતી મુજબ જટાશંકર મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા યાત્રાળુઓ અને પર્યટકો ચોમાસાની મોસમમાં ઝરણાંનો આનંદ માણવા ગયા હતા. પરંતુ, અચાનક ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધોધના પાણીનો પ્રવાહ વધી ગયો, જેના કારણે લોકો ફસાઈ ગયા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પર્યટકોને બચાવવા માટે પોલીસ અને વન વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે જોખમી પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

નિયમોનું કડક પાલન નહીં

મહત્વનું છેકે, ગિરનાર પર્વત જૈન અને હિંદુ ધર્મના લોકો માટે પવિત્ર યાત્રાધામ છે, અને ચોમાસામાં અહીંની કુદરતી સુંદરતા પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે. તહેવારોની રજાઓ દરમિયાન દૂર-દૂરથી લોકો અહીં ધોધમાં ન્હાવા અને જંગલનો આનંદ માણવા આવે છે. જોકે, આ વિસ્તારમાં વારંવાર ભારે વરસાદને કારણે લોકો ફસાઈ જવાની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા છે, જેમાં લોકોને વરસાદી પાણીના પ્રવાહથી સાવધ રહેવા જણાવાયું છે. જોકે, આ નિયમોનું કડક પાલન ન થતું હોવાથી પર્યટકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ ઘટનાએ તંત્રની તૈયારી અને ચેતવણીના પગલાંની અસરકારકતા પર સવાલો ઉભા કર્યા છે.

લોકોને સાવચેત રહેવા સુચના

આ ઘટના બાદ, વન વિભાગ અને પોલીસે લોકોને ચોમાસા દરમિયાન ગિરનાર પર્વતની મુલાકાત લેતી વખતે વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે યાત્રાળુઓ અને પર્યટકોને હવામાનની આગાહીનું ધ્યાન રાખવા અને ચેતવણીના બોર્ડનું પાલન કરવા જણાવ્યું છે, જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.

આ ઘટના એ ચેતવણી છે કે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનો આનંદ માણતી વખતે સલામતીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, નહીં તો નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો 

Surendranagar: બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્ષના ધાબા પરથી શંકાસ્પદ હાલતમાં મળી મહિલાની લાશ, પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ

Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ

UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું

Sofiya Qureshi-Vyomika Singh In KBC: આઝાદ ભારતમાં પહેલીવાર સેનાની વર્દી પહેરી ટીવીના મનોરંજક કાર્યક્રમમાં જવાની પરવાનગી આપતી મોદી સરકાર

 

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 3 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 5 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 5 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 8 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 7 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો