Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

Junagadh: જૂનાગઢના માણાવદર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. માણાવદર વિધાનસભાના ઈન્ચાર્જ દિનેશ ખાટરિયાએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આમ હવે ભાજપના જ નેતાઓ એકબીજા સામે બંડ પોકારતા મામલો ગરમાયો છે.

દિનેશ ખાટરિયાના આક્ષેપો

દિનેશ ખાટરિયાએ આરોપ લગાવ્યો છે કે માણાવદર રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના ટેકેદારોએ નાણાંકીય ગેરરીતિઓ આચરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં નાણાંનો દુરુપયોગ થયો છે, જેના કારણે રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થયા બાદ પણ તે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી અને ધૂળ ખાઈ રહ્યું છે. ખાટરિયાએ વધુમાં કહ્યું કે માણાવદર નગરપાલિકા આ રિવરફ્રન્ટનો કબજો લેવા તૈયાર છે, પરંતુ આનાથી સ્થાનિક લોકો પર આર્થિક બોજ વધશે. તેમણે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ટોણો મારતા કહ્યું કે, “માણાવદરની ચિંતા ન કરે, અહીંની ચિંતા કરવા માટે ધારાસભ્ય અરવિંદ લાડાણી છે.”

અરવિંદ લાડાણીએ શું કહ્યું ?

ભાજપ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, જેમાં તેમણે માણાવદર રિવરફ્રન્ટ માટે ગ્રાન્ટ ફાળવવાની માંગણી કરી છે. લાડાણીનું કહેવું છે કે જો નગરપાલિકાએ આ રિવરફ્રન્ટનો કબજો લેવો પડશે, તો તેનો ખર્ચ સ્થાનિક લોકો પર પડશે, જે ન્યાયી નથી. તેમણે રાજ્ય સરકાર પાસેથી નાણાંકીય સહાયની માંગ કરી છે, જેથી આ પ્રોજેક્ટ લોકો માટે ઉપયોગી બને. આ સાથે અરવિંદ લાડાણીએ ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ પણ આપી છે તેમણે કહ્યું કે, એવું હશે તો મોરેમોરો પણ સામા આવવા તૈયાર છીએ.

રિવરફ્રન્ટની હાલની સ્થિતિ

માણાવદરના નવલાલા પુલથી બાંટવા રોડ સુધી ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા રૂ. 20 કરોડના ખર્ચે રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયો હોવા છતાં, કોઈ વહીવટી તંત્ર તેની જવાબદારી લેવા તૈયાર નથી, જેના કારણે રિવરફ્રન્ટ બંધ હાલતમાં છે અને તેની જાળવણી થઈ રહી નથી. આ સ્થિતિએ સ્થાનિક લોકોમાં નારાજગી ઉભી કરી છે, કારણ કે આ પ્રોજેક્ટનો હેતુ પર્યટન અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ તે હજુ અધૂરો લાગે છે.

ભાજપમાં આંતરિક વિખવાદ

આ ઘટના ભાજપની આંતરિક રાજકીય ખેંચતાણને ઉજાગર કરે છે. એક તરફ જવાહર ચાવડા, જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી અને પાંચ વખતના ધારાસભ્ય રહ્યા છે, તેમની સામે પક્ષના જ નેતા દિનેશ ખાટરિયા અને અરવિંદ લાડાણીએ આક્ષેપો કર્યા છે. આ પહેલાં પણ ચાવડા અને લાડાણી વચ્ચે રાજકીય મતભેદો સામે આવ્યા છે, ખાસ કરીને 2024ની પેટાચૂંટણી દરમિયાન, જ્યાં લાડાણીએ ચાવડા પર ભાજપ વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે રિવરફ્રન્ટ મામલે દિનેશ ખાટરિયાના આક્ષેપોએ આ વિવાદને વધુ તીવ્ર બનાવ્યો છે.

જવાહર ચાવડા તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

દિનેશ ખાટરિયાના આક્ષેપોનો હજુ સુધી જવાહર ચાવડા તરફથી કોઈ જવાબ આવ્યો નથી, પરંતુ આ મામલો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગોપાલ ઇટાલિયા, જેઓ AAPના વિસાવદર બેઠકના ધારાસભ્ય છે, તેમને આ વિવાદમાં ખેંચવામાં આવ્યા છે, જે ભાજપની આંતરિક લડાઈને વધુ હવા આપે છે. જો કે ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ભાજપમાં જુથવાદ કોને નળશે અને કોને ફળશે?

માણાવદર રિવરફ્રન્ટ મામલે ભાજપના આંતરિક વિવાદે પક્ષની એકતા પર સવાલો ઉભા કર્યા છે. જવાહર ચાવડા સામે દિનેશ ખાટરિયા અને અરવિંદ લાડાણીના આક્ષેપો એ દર્શાવે છે કે પક્ષમાં જૂથવાદ અને નેતાઓ વચ્ચેની ખેંચતાણ હજુ યથાવત છે. આ ઘટના નજીકના ભવિષ્યમાં જૂનાગઢ અને માણાવદરના રાજકારણમાં અસર કરી શકે છે, ખાસ કરીને જ્યારે સ્થાનિક ચૂંટણીઓ નજીક આવી રહી છે.

આ પણ વાંચો:

‘રસ્તા પર ખાડા પડે તો, ફોન ન કરવાના, પાવડો-તગારો, લઈ આવો અને જાતે પુરી દો : Kuber Dindor

Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

Dahod: અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ! રસ્તો તો બની ગયો, પરંતુ તંત્ર વીજળીનો થાંભલો હટાવવાનું ભૂલી ગયું

Bihar Accident: બિહારમાં યાત્રાળુઓથી ભરેલી પિકઅપ વાન પલટી , 5 લોકોના મોત

Related Posts

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા
  • August 5, 2025

Banaskantha: પાલનપુરમાં જાતિનો દાખલો ન મળવાથી આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને જાતિના દાખલાને લઈ કલેક્ટર કચેરીમાં જઈ વિરોધ કર્યો. કેમકે આદિવાસી સમાજના સરકારી નોકરી મેળવનાર લોકોને સમયસર દાખલા મળતાં…

Continue reading
મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah
  • August 5, 2025

દિલીપ પટેલ દેશના ગૃહ પ્રધાન અમિત શાહ(Amit shah) એક સમયે ગુજરાતના ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની ધરપકડ સીબીઆઈએ કરી હતી. શાહ એ મોદી(Narendra Modi) ના સૌથી મજબૂત સાથીદાર હતા છતાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

  • August 5, 2025
  • 2 views
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

  • August 5, 2025
  • 11 views
મોદીએ સાથી અમિત શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

  • August 5, 2025
  • 8 views
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ? હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

  • August 5, 2025
  • 15 views
Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ?  હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

  • August 5, 2025
  • 27 views
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

Gujarat: પોલીસ હવે અરજદારને CCTV ફૂટેજ આપવામાં બહાના નહીં બનાવી શકે, નહીં તો…

  • August 5, 2025
  • 16 views
Gujarat: પોલીસ હવે અરજદારને CCTV ફૂટેજ આપવામાં બહાના નહીં બનાવી શકે, નહીં તો…