
Political News: આપણે સૌ જાણીએ છીએ કે ચૂંટણીઓ આવે એટલે નેતાઓ અને તેમના સમર્થકો પ્રજા પાસે વોટ માંગવા નીકળી પડે છે બાદમાં જે વચનો આપ્યા હોય તે ભૂલી જતા હોય છે ત્યારે આ બધા વચ્ચે મધ્ય પ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ પોતે ચૂંટણી દરમિયાન આપેલા વચનો મામલે નિખાલસ કબુલાત કરતા કહ્યું હતું કે, ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વચનો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પાસે પૈસા નથી અને હાલ નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેથી કેન્દ્ર સરકારે રાજ્યોને મદદ કરવા માટે આગળ આવવું જોઈએ.
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, ચૂંટણીઓ દરમિયાન ઘણી જાહેરાતો કરવામાં આવે છે,પ્રજાને વચનો આપવામાં આવે છે પણ આ વચનો પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારની નાણાંકીય સ્થિતિ સક્ષમ હોતી નથી, રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ભોપાલમાં યોજાયેલી શહેરી વિકાસ મંત્રીઓની પ્રાદેશિક બેઠકમાં મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ મુજબ જણાવ્યું હતું
તેઓએ જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો કે રાજ્યના બજેટની સ્થિતિ ઘણી નબળી છે પરિણામે ચૂંટણી દરમિયાન બજેટ અંગે જે અપેક્ષાઓ હતી તે વાસ્તવિક બની નહોતી પરિણામે કેન્દ્ર સરકાર મદદ કરેતો કઈક થાય તેમ છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









