
Kheda News: નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલના રેલવે બ્રિજ પાસે મોડી રાત્રે એક લક્ઝરી બસમાં ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ડ્રાઈવરે સૂચકતા દાખવી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. લક્ઝરી બસમાં 20થી 25 મુસાફરો સવાર હોવાનું કહેવાઈ છે. તમામના જીવ બચી ગયા છે. આ ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળ્યો છે. જોકે આખી લક્ઝરી બસ સળગી જતાં ભારે નુકસાન થયું છે.
મળતી જણાકરી અનુસાર ગત મોડી રાત્રે એક બસ પાવાગઢથી બાવળા જતી હતી. તે દરમિયાન નડિયાદ-આણંદ રોડ આવેલા ભૂમેલ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે એકાએક લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તાત્કાલિક તમામ મુસાફરોને ઉતારી દીધા હતા. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે લક્ઝરી બસ બળીને રાખ થઈ ગઈ છે.
ઘટનાની આણંદ અને નડિયાદ ફાયર વિભાગની ટીમને કરાઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી. નડિયાદ ફાયરબ્રિગેડના ફાયર ઑફિસર દીક્ષિત પટેલે જણાવ્યું કે ઘટના સ્થળેથી આણંદ ફાયરબ્રિગેડના કોલ કરાયો હતો. જે બાદ 112 દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં જતા બસમાં 20થી 25 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. જો ડ્રાઈવરે સમયસૂકતા ના વાપરી હોત તો મોટી જાનહિની થઈ શકી હોત.
રાજસ્થાનમાં બસમાં આગ લાગતાં 20 મુસાફરોના મોત
બીજી તરફ મંગળવારે રાજસ્થાનના જેસમેરમાં ચાલતી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ગયા છે. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ બસ આગની લપેટમાં આવી ગઈ. ઘટના સમયે બસમાં 57 લોકો સવાર હતા. ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ. ગ્રામજનો અને રાહદારીઓની ઉપસ્થિતિએ અનેક મુસાફરોના જીવ બચાવ્યા હતા.
આ પણ વાંચો:
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?
City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?









