Kheda: નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસમાં વિકરાળ આગ, પાવાગઢથી બાવળા જતી હતી

  • Gujarat
  • October 15, 2025
  • 0 Comments

Kheda News: નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલના રેલવે બ્રિજ પાસે મોડી રાત્રે એક લક્ઝરી બસમાં ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ડ્રાઈવરે સૂચકતા દાખવી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. લક્ઝરી બસમાં 20થી 25 મુસાફરો સવાર હોવાનું કહેવાઈ છે. તમામના જીવ બચી ગયા છે. આ ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળ્યો છે. જોકે આખી લક્ઝરી બસ સળગી જતાં ભારે નુકસાન થયું છે.

મળતી જણાકરી અનુસાર ગત મોડી રાત્રે એક બસ પાવાગઢથી બાવળા જતી હતી. તે દરમિયાન નડિયાદ-આણંદ રોડ આવેલા ભૂમેલ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે એકાએક લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તાત્કાલિક તમામ મુસાફરોને ઉતારી દીધા હતા. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે લક્ઝરી બસ બળીને રાખ થઈ ગઈ છે.

ઘટનાની આણંદ અને નડિયાદ ફાયર વિભાગની ટીમને કરાઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી. ​​​​​​​નડિયાદ ફાયરબ્રિગેડના ફાયર ઑફિસર દીક્ષિત પટેલે જણાવ્યું કે ઘટના સ્થળેથી આણંદ ફાયરબ્રિગેડના કોલ કરાયો હતો. જે બાદ 112 દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં જતા બસમાં 20થી 25 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. જો ડ્રાઈવરે સમયસૂકતા ના વાપરી હોત તો મોટી જાનહિની થઈ શકી હોત.

રાજસ્થાનમાં બસમાં આગ લાગતાં 20 મુસાફરોના મોત

બીજી તરફ મંગળવારે રાજસ્થાનના જેસમેરમાં ચાલતી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ગયા છે.  જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ બસ આગની લપેટમાં આવી ગઈ. ઘટના સમયે બસમાં 57 લોકો સવાર હતા. ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ. ગ્રામજનો અને રાહદારીઓની ઉપસ્થિતિએ અનેક મુસાફરોના જીવ બચાવ્યા હતા.

આ પણ વાંચો:

Jaisalmer Fire News: જેસલમેરમાં દુઃખદ અકસ્માત, ચાલતી બસમાં આગ લાગી; 15 મુસાફરો બળીને ભળથું, કુલ 57 લોકો હતા સવાર

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

 

 

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 3 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત