
Kheda Crime: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા પર તેના જ મામા દ્વારા બળાત્કારની ઘટના સામે આવી છે, જેણે સમાજમાં મામા-ભાણીના પવિત્ર સંબંધોને કલંકિત કર્યા છે. આ ઘટનામાં આરોપી મામા ઈકબાલશા ઈબ્રાહીમશા દિવાને સગીરા પર બે-ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતુ. જેના પરિણામે સગીરા ગર્ભવતી બની અને તેણે મૃત ભ્રૂણને જન્મ આપ્યો. હવે આ મૃત ભ્રૂણના પિતાની ખાતરી કરવા માટે DNA ટેસ્ટ હાથ ધરવામાં આવશે.
સગીરા વેકેશન માણવા મામાના ઘરે ગઈ હતી
મળતી માહિતી અનુસાર, નડિયાદ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા વેકેશન દરમિયાન રજાઓ માણવા માટે આણંદ જીલ્લાના આંકલાવામાં તેના મામાના ઘરે હતી. આ દરમિયાન આરોપી મામા ઈકબાલશા ઈબ્રાહીમશા દિવાન (રહે. આંકલાવ)એ તેની સગી ભાણી પર બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આવું નીચ કૃત્ય આરોપીએ બે-ત્રણ વખત આચર્યું હતું. આ ઘટનાને પગલે સગીરા ગર્ભવતી બની, અને તેણે એક મૃત ભ્રૂણને જન્મ આપ્યો. જાણવા એવું પણ મળ્યું છે કે મામાએ ભાણીને પ્રેમમાં ફસાવ્યા બાદ આ કૃત્યુ આચર્યું છે.
વડોદરાથી આંકલાવ મહિલા સાથે ભજીયા ખાવા કોર્પોરેશનની ગાડીનો ઉપયોગ Sheetal Mistry એ કર્યો?
બાળકના પિતાની ઓળખ થશે
આ ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપી મામાની ધરપકડ કરી લીધી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ ગુનાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સગીરાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સગીરાના મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, અને મૃત ભ્રૂણના DNA ટેસ્ટ માટે નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટના આધારે બાળકના પિતાની ઓળખ થશે, જે આ કેસમાં આગળની કાર્યવાહી માટે નિર્ણાયક સાબિત થશે.
મામા-ભાણીના સંબંધોને કલંકિત કર્યા
આ ઘટનાએ સમાજમાં આઘાત અને આક્રોશ ફેલાવ્યો છે. મામા-ભાણીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી આ ઘટનાએ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સગીરાની માનસિક અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને સંબંધિત અધિકારીઓ આ કેસને ગંભીરતાથી હાથ ધરી રહ્યા છે.
પોલીસ હાલ આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરવા અને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે કામ કરી રહી છે. DNA રિપોર્ટના પરિણામો આવ્યા બાદ આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સમાજ માટે એક ચેતવણીરૂપ છે કે આવા ગુનાઓ સામે સખત પગલાં લેવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.