
Pakistan News: ભારતીય ધરતી પર હિંસા ફેલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શનિવારે ઈદની નમાજ પછી લશ્કર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ચાકુ માર્યા બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા આતંકવાદી ઠેકાણા મુરિદકેમાં નાશ પામેલા લશ્કર મુખ્યાલય પાસે બિલાલનું મોત થયું હતું.
હત્યા પાછળનો હેતુ જાણી શકાયો નથી, પરંતુ સૂત્રોને શંકા છે કે તે કૌટુંબિક વિવાદનું પરિણામ હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હત્યામાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બિલાલે આતંકવાદી સંગઠનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે મુરીડકે શાખામાં આતંકવાદીઓની ભરતી માટે જવાબદાર હતો. તેનું કામ યુવાનોને ઓળખવાનું અને તેમને સંગઠન માટે તૈયાર કરવાનું હતું તે યુવાનોના બ્રેઇન વોશ કરતો હતો. જોકે, તે ભારતમાં કોઈ પણ કેસમાં વોન્ટેડ યાદીમાં નહોતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કમાન્ડર બિલાલ આરીફ સલાફી 2005 થી લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો અને લશ્કર માટે પૈસા એકઠા કરતો હતો જેનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે થતો હતો. આ આતંકવાદી કમાન્ડર પણ તેના પરિવાર સાથે મુરીદકેની તૈયબા કોલોનીમાં રહેતો હતો જ્યાં લશ્કરના અન્ય કમાન્ડરો રહેતા હતા.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







