Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • World
  • December 13, 2025
  • 0 Comments

Messi Event: કોલકાતામાં લોકપ્રિય ફૂટબોલર મેસ્સીની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકો વચ્ચે મેસ્સી જલ્દી સ્ટેડિયમ છોડી જતા રહેતા રોષે ભરાયેલા ચાહકોએ તોડફોડ કરી હતી અને ભારે અંધાધૂંધી સર્જાઈ હતી.પોલીસે એરપોર્ટ પર કાર્યક્રમના મુખ્ય આયોજક શતાદ્રુ દત્તની ધરપકડ કરી હતી.

પોલીસ મહાનિર્દેશક રાજીવ કુમારે પ્રેસને જણાવ્યું હતું કે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.પ્રખ્યાત ફૂટબોલર મેસ્સીના કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી અંધાધૂંધી અંગે એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) જાવેદ શમીમે જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ હવે સામાન્ય છે. તપાસનો બીજો તબક્કો ચાલી રહ્યો છે.

FIR નોંધવામાં આવી છે અને મુખ્ય આયોજકની ધરપકડ કરવામાં આવી છે,આયોજકો ટીકીટના પૈસા પરત કરવા સંમત થયા છે,જાવેદ શમીમે કહ્યું સ્થિતિ થાળે પડી રહી છે,ટ્રાફિક હવે સામાન્ય છે,બધા પોત પોતાના ઘરે પાછા ફર્યા છે,આ ઘટના ફક્ત સોલ્ટ લેક સ્ટેડિયમ પૂરતી મર્યાદિત છે,આજે સોલ્ટ લેક સ્ટેડિયમમાં જે કંઈ બન્યું તેના માટે જે કોઈ જવાબદાર છે તેઓ તમામ સામે પગલાં લેવામાં આવશે.

■સ્ટેડિયમમાં આખરે ચાહકો આટલા ગુસ્સે કેમ થયા?અને તોડફોડ કેમ કરી?

સ્ટેડિયમમાં તોડફોડ અને ચાહકો દ્વારા તોફાન મચાવવાના કારણમાં જણાવા મળ્યું છે કે
ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી અહીં આવવાના હોવાથી મોટી સંખ્યામાં ચાહકોએ મોંઘી ટીકીટ ખરીદી હતી પણ મેસ્સી થોડીવારમાં જ અચાનક સ્ટેડિયમ છોડીને જતા રહેતા ચાહકો નારાજ થઈ ગયા હતા અને સ્ટેડિયમમાં બૂમાબૂમ અને અંધાધૂંધી સર્જાઈ હતી.
પોતાના મનપસંદ સ્ટાર ફૂટબોલરને જોવા માટે ખૂબ જ મોંઘી ટિકિટ ખરીદી ચાહકો ઉમટ્યા હતા અને લેપ ઓફ ઓનર પછી મેસ્સી વહેલા જતા રહેતા ચાહકોએ ખુરશીઓ અને બોટલો ફેંકીને વિરોધ કર્યો હતો અને તોડફોડ થતાં અરાજકતા ફેલાઈ ગઇ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો.

લિયોનેલ મેસ્સીની કોલકાતાની મુલાકાત દરમિયાન ચાહકોએ ₹5,000 થી લઈ ₹25,000 સુધીની મોંઘી ટીકીટ લીધી હતી અને મેસ્સીને જોવા માટે તેઓ રાતભર જાગ્યા હતા, પણ રાજકારણીઓ, મંત્રીઓ અને VIPથી ઘેરાયેલા મેસ્સીને ચાહકો દૂરથી પણ સારી રીતે જોઈ શક્યા નહીં તેથી ચાહકો ગુસ્સે થયા હતા અને તોડફોડ કરી હતી.

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા
  • March 22, 2026

War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર…

Continue reading
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!
  • March 22, 2026

Pakistan News: ભારતીય ધરતી પર હિંસા ફેલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શનિવારે ઈદની નમાજ પછી લશ્કર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ચાકુ માર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSSના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 1 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSSના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 7 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 8 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 14 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 5 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!