
LPG: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ તેલ અને ગેસની આયાત ખોરવાઈ જતા તેની ગંભીર અસરો ભારતના બજાર ઉપર પડી છે ગેસનો પૂરવઠો ખોરવાઈ જતા લોકો એજન્સી તરફ ભાગ્યા છે અને લાઈનો લગાવીને ઉભા છે જે રીતે કોરોના વખતે થયું તેવું હાલ જોવા મળી રહ્યું છે દેશમાં અંધાધૂંધીનો માહોલ છે અને બોટલો મળતી નથી કોમર્શિયલ ગેસ પણ નહીં મળતા રેસ્ટોરન્ટ અને ખાણી પીણીની લારીઓ બંધ થઈ છે અથવા ભાવો વધ્યા છે.
જોકે,સરકાર તો ‘સબ સલામત’ની પીપુડી વગાડ્યા કરે છે અને આ બધી અફવા હોવાનું કહે છે પણ ઠેરઠેર લાઈનો હકીકત શુ છે તેની પોલ ખોલે છે હાલ ગુજરાત સહિત દેશભરમાં ગેસ એજન્સીઓ બહાર લોકોની ભર ઉનાળે ધોમ તડકામાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે અને ઓનલાઈન બુકિંગમાં પણ સમસ્યાઓ આવી રહી છે ગેસ સિલિન્ડરની સપ્લાયમાં વિલંબ થતા ગૃહિણીઓમાં ચિંતા ફેલાઈ છે.
કોમર્શિયલ ગેસની અછતને લીધે પણ અનેક શહેરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવાની નોબત આવી છે અથવા ભોજનના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં મચેલી અફરા તફરીમાં માહોલમાં પણ નેતાઓ શાંત છે કેમકે તેમનો મેળ પડી જવાનો છે પણ જનતામાં ચિંતા છે ત્યારે સિનિયર પત્રકાર મયુર જાનીએ આ અંગે શીતલ પી સિંઘનો આ મામલે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ હાલમાં સર્જાયેલી સ્થિતિ અને સરકારના ખોટા દાવા અંગે વિસ્તુત છણાવટ કરી હતી આ વીડિયો જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!









