Mahesana: સરકારી આરોગ્ય કેન્દ્ર બારોબાર કેવી રીતે વેચાઈ ગયું ? 70 વર્ષ સુધી ઉંઘમાં રહી સરકાર

  • Gujarat
  • September 18, 2025
  • 0 Comments

Mahesana: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખરવડા-મગરોડા ગામમાં 70 વર્ષથી કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની જમીન ખાનગી હાથમાં વેચાઈ જતાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ આરોગ્ય કેન્દ્ર, જે સર્વે નંબર 11 પર બાંધવામાં આવ્યું હતું, તેની જમીન હવે કાનૂની રીતે હરેશ લવજીભાઈ ચૌધરીના નામે થઈ ગઈ છે. આ જમીન અગાઉ ગૌરવકુમાર ચૌધરીની માલિકીમાં હતી, જેમણે તેને હરેશ ચૌધરીને વેચી દીધી. મહત્વનું છે કે, આ ચોંકાવનારી ઘટના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વતનમાં જ બની છે જેથી મુદ્દો વધું ચર્ચાનો વિષય બન્યો છે.

સરકારની બેદરકારીનો ભોગ બન્યું આરોગ્ય કેન્દ્ર!

આશરે 70 વર્ષ પહેલાં રાઈબેન ચૌધરી નામની મહિલાએ આ જમીન આરોગ્ય કેન્દ્ર માટે દાનમાં આપી હતી. જોકે, સરકારે તે સમયે જમીનની માલિકી પોતાના નામે ટ્રાન્સફર કરી ન હતી, જેના કારણે જમીન કુટુંબની માલિકીમાં જ રહી. આ બેદરકારીના પરિણામે, 70 વર્ષ બાદ રાઈબેનના ભાણીયા ગૌરવ ચૌધરીએ આ જમીન હરેશ ચૌધરીને વેચી દીધી. આના કારણે આરોગ્ય કેન્દ્રનું આખું કેમ્પસ, જેમાં 7 અલગ-અલગ મકાનોનું બાંધકામ થયેલું છે, હવે ખાનગી માલિકી હેઠળ આવી ગયું છે.

દર્દીઓને હાલાકી 

આ ઘટનાથી આરોગ્ય કેન્દ્રની કાનૂની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. મગરોડા PHCના ડૉ. હિતેશ વલોણે જણાવ્યું કે, “આ મામલે તાલુકા આરોગ્ય અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવામાં આવી છે. ઉપરી અધિકારીઓની સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું કે, આ આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 100થી વધુ દર્દીઓની OPD હોય છે અને વર્ષે 4-5 ડિલિવરી પણ થાય છે.

આ ઘટનાએ સરકારી બેદરકારી અને જમીનની માલિકીના રેકોર્ડની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે. હવે આરોગ્ય કેન્દ્રનું ભવિષ્ય અને તેની સેવાઓની સાતત્યતા અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે.

આ પણ વાંચો:   

BJP MP Bansuri Swaraj: ભાજપા સાંસદ બાંસુરી સ્વરાજે રાષ્ટ્રગીતનું કર્યું અપમાન? રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે…

Pakistan fake football team: પાકિસ્તાનીઓએ તો હદ કરી! વિદેશ જવા નકલી ફૂટબોલ ટીમ બનાવી, જાપાનમાં પકડાઈ જતા આબરુના થયા ધજાગરા

 Dahod: જજની નકલી ઓળખ આપી છેતરપિંડી કરતો મહાઠગ પકડાયો, કોર્ટ કેસનો નિકાલ લાવી આપવાની કરી હતી વાત

Anirudhsinh Jadeja case: ભૂગર્ભમાં ઉતરેલા અનિરુદ્ધસિંહ જાડેજા આવશે બહાર, આજે કરશે સરેન્ડર

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

  • March 23, 2026
  • 1 views
Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”

Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

  • March 23, 2026
  • 6 views
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 12 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 10 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 11 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર