
AAP MLA Chaitar Vasava Arrested: ભરૂચ જિલ્લાના દેડીયાપાડામાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ વાતાવરણ તંગ બન્યું છે. ચૈતર વસાવા અને ભાજપ નેતા તથા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થયેલા ઘર્ષણના પગલે આ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે, અને સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે.
દેડીયાપાડામાં કલમ 144 લાગુ
સમર્થકોના આક્રોશ અને ભેગી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, દેડીયાપાડામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેના હેઠળ ચારથી વધુ લોકો એકસાથે ભેગા થઈ શકે નહીં. આ નિર્ણયથી વિરોધ પ્રદર્શન પર અંકુશ આવે તેવી શક્યતા છે. નર્મદા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે કલમ 144નો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દેડીયાપાડા ખાતે SRPની ટુકડીઓ તૈનાત
પોલીસે રાજપીપળા અને દેડીયાપાડા ખાતે SRPની ટુકડીઓ તૈનાત કરી છે, અને ટોળાને વિખેરવા બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. ચૈતર વસાવાની ધરપકડ બાદ સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
MLA Chaitar Vasava Arrested: ચૈતર વસાવાની ધરપકડ બાદ ડેડીયાપાડામાં તણાવ, કલમ 144 લાગુ#ChaitarVasava #AamAadmiParty #gujaratpolice #GopalItalia #DistrictCourt #Dediyapada #Gujarat #thegujaratreport pic.twitter.com/c1ALC5GSeA
— The Gujarat Report (@TGujarat_Report) July 6, 2025
ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા રોકતા પોલીસ સાથે બોલાચાલી
MLA ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા ત્યારે ગોપાલ ઈટાલિયા અને પોલીસ વચ્ચે કોર્ટના ગેટ આગળ તુ-તુ મેં મેં થઈ હતી. પોલીસ દ્વારા એડવોકેટ ગોપાલ ઈટાલીયાને પણ સુનાવણીમાં જતાં રોકવામાં આવ્યા હતા. ત્યારે ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા રોકતા પોલીસ સાથે બોલાચાલી થઈ હત. ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ છે કે, ભાજપ ડરી ગઈ છે એટલે ભાજપના ઈશારે પોલીસ તંત્રએ કોર્ટને છાવણીમાં ફેરવ્યું છે
ઘારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ ના મંજુર
જો કે, આ બધાની વચ્ચે પોલીસ ચૈતર વસાવાને રાજપીપળા લઈ ગઈ હતી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે ઘારાસભ્ય ચૈતર વસાવાના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે નામદાર કોર્ટે ના મંજુર કર્યા છે.
રાજપીપળા કોર્ટ બહાર ગોપાલ ઇટાલીયા ને પોલીસે રોકતા મામલો ઉગ્ર બન્યો.#GopalItalia #chaitarvasava #narmdapolice #TANASHAHI #BoycottBJP pic.twitter.com/Ul9UgNtTJP
— Kamlesh Chauhan (@Kammy04714235) July 6, 2025
શું છે સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરી (ATVT)ની સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનાને પગલે સંજય વસાવાની ફરિયાદના આધારે દેડીયાપાડા પોલીસે ચૈતર વસાવા સામે ગુનો નોંધી, નર્મદા પોલીસે તેમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ચૈતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે LCB ઓફિસ પાસે એકઠા થયા, જેના કારણે પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
ચૈતર વસાવા પર ફરિયાદીએ આ આરોપો લગાવ્યા
FIR મુજબ, ધારાસભ્યએ ફરિયાદી પર કાચથી હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં હાજર પોલીસે તેમને તેમ કરતા અટકાવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, કાચ તૂટતાની સાથે જ ધારાસભ્યએ કાચના ટુકડા ઉપાડી લીધા અને સંજય વસાવ તરફ આગળ વધ્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી પરંતુ ફરિયાદી કોઈક રીતે ભાગી જવામાં સફળ રહ્યા. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ધારાસભ્યએ ઓફિસમાં રાખેલી ખુરશીને નુકસાન પહોંચાડ્યું હતું.
આ પછી, ડેડિયાપરા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 79 (મહિલાના નમ્રતાનું અપમાન કરતા શબ્દો, હાવભાવ), 115 (2) (સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું), 351 (3) (ગુનાહિત ધાકધમકી), 352 (ઇરાદાપૂર્વક અપમાન) અને 324 (3) (સંપત્તિને નુકસાન પહોંચાડવું) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ડેડિયાપાડામાં તણાવ વધ્યો
ચૈતર વસાવાની ધરપકડ બાદ ડેડિયાપાડામાં તણાવ વધ્યો હતો, સ્થાનિક વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં એક જગ્યાએ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે કારણ કે વિસાવદરમાં AAP સામે હાર બાદ ભાજપ ગુસ્સે છે. તેમણે તાજેતરની પેટાચૂંટણીનો ઉલ્લેખ કર્યો જેમાં તેમના પક્ષના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા હતા.
આ ઘટનાએ નર્મદા જિલ્લામાં રાજકીય તણાવ વધાર્યો છે, અને સ્થિતિ પર નજર રાખવા પોલીસે વધુ સતર્કતા દાખવી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને તેમના સમર્થકો આગળ શું પગલાં લે છે, તે જોવું રહ્યું.










