Arvalli: ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતો સુનસર ધોધ સક્રિય, આહલાદક નજારો નિહાળવા ઉમટ્યાં સહિલાણીઓ

Arvalli: હાલ રાજ્યમાં ચોમાસાની શરુઆતરમાં સારો એવો વરસાદ વરસ્યો છે જેના કારણે નદી નાળાઓ છલકાયા છે અને ધોધ પણ જીવંત થયા છે. વરસાદને કારણે કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે જેથી સહેલાણીઓ આ કુદરતી સૌદર્યને નિહાળવા માટે ઉમટી રહ્યા છે ત્યારે આ વખતે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદને પગલે ભિલોડાનો સુનસર ધોધ જીવંત થયો છે. ત્યારે તેને જોવા માટે અને આ ધોધન મજા માણવા માટે આસપાસના જીલ્લાના યુવાનો ઉમટ્યા છે.

ભિલોડાનો સુનસર ધોધ થયો જીવંત

હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભીલોડામાં ભારે વરસાદ ખાબકતા વધુ એક વખત સુનસર ધોધ જીવંત થયો છે. ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદના કારણે સુનસરનો ધોધ ફરી એક વખત જીવંત થયો છે. અરવલ્લીમાં ભિલોડા માં 6 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે ત્યારે ભિલોડા પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ ધોધ સંપૂર્ણ જીવંત થયો છે. ભિલોડામાં ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી ધોધ વહે છે ત્યારે ધોધ સંપૂર્ણ જીવંત થતા સાહેલાણીઓની સંખ્યામાં વધારો થશે. ધોધ સોળેકળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.

ધોધનો નજારો માણવા સહેલાણીઓ ઉમટ્યા

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા સુનસરનો નજારો ખુબજ આલાહદક લાગી રહ્યો છે. દૂર દૂરથી સહેલાણીઓ ધોધનો નજારો માણવા ઉમટ્યા હતા. જેમાં મોડાસા,અમદાવાદ,હિંમતનગરથી પ્રવાસીઓ ધોધનો નજારો માણવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે, અરવલ્લીનો આ ધોધ જાણે ઈશ્વરની માણસ જાત પરની કૃપાનો સંદેશો આપી રહ્યો હોય તેવો આ “સુનસર ધોધ”નો આહલાદક નયનરમ્ય નજારો જોવા ચોમાસાની ઋતુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. અમદાવાદથી લગભગ 131 કિલોમિટર જેટલા અંતરે એટલે કે માત્ર અઢી કલાક ત્રણ કલાકના અંતરે આવેલો આ ધોધ એક દિવસ માટેનું પીકનીક સ્પોટ બની શકે તેમ છે. અહીંનો કુદરતી નજારો આપને અવશ્ય મંત્રમુગ્ધ કરી દે તેવો છે. હાલમાં અરવલ્લી અને ભિલોડામાં જ્યાં લોકો લાંબા સમયથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે પાણી માટે ઘણાઓને કિલોમીટરો કાપવા પડતા હતા ત્યારે હાલ અહીં ધોધ વહે છે. અહીં આપને ગુજરાતના અન્ય સ્થળોથી સાવ અલગ જ નજારો અને અનુભવ મળે તેમ છે.

અહેવાલ : ઉમંગ રાવલ

આ પણ વાંચો:
 
 
 
 
 
 
 

 

  • Related Posts

    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading
    AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
    • July 30, 2026

    AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 2 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 4 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 4 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

    • August 1, 2026
    • 10 views
    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

    CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

    • August 1, 2026
    • 17 views
    CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

    Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

    • August 1, 2026
    • 5 views
    Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ