MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

Bachu Khabad sons’s bail stay: દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ (MNREGA Scam )માં સંડોવાયેલા ગુજરાતના પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડને દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. જો કે હવે જાણવા મળ્યું છે કે તેમના જામીન પર સ્ટે આવી ગયો છે. પોલીસે જામીનને લઈ ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે સ્ટે મૂક્યો છે.

જેથી હવે બચુ ખાબડ અને તેમના બંને પુત્રો બરોબર કાયદાકીય સકંજામાં ફસાયા છે. બળવંત ખાબડ અને કિરણ ખાબડે સરકાર અને જનતાના નાણાંનો દુર્પયોગ કર્યો છે. 71 કરોડ રુપિયાનું મનરેગા યોજનામાં કૌભાંડ આચર્યું છે. બળવંત ખાબડ અને કિરણ ખાબડ પર આરોપ છે કે તેમણે સરકારી કામો ન કર્યા હોવા છતાં ખોટા બિલો રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી.

બચુ ખાબડના પુત્રોને જામીન મળતાની સાથે જ જામીન રદ થઈ ગયા છે. પોલીસે કરેલી સ્ટે રિવિઝન અરજી પર ઉપલી કોર્ટે સ્ટે મૂકતા હવે બન્ને કૌભાંડી દીકરાઓને જેલમાં જ રહેવું પડશે. આ કેસમાં વધુ સુનાવણી આવતીકાલે કોર્ટમાં હાથ ધરાશે.

જામીન મળતાં જ પોલીસે સ્ટે માંગ્યો હતો

આ પહેલા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડના મનરેગા કૌભાંડ( MNREGA Scam )માં 50 હજારના બૉન્ડ પર દાહોદની ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા, જોકે પોલીસે આ મામલે સ્ટે માંગ્યો હતો.

કૌભાંડનો પર્દાફાશ: શું છે આરોપ?

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસના કામો માટે ફાળવવામાં આવેલા નાણાંમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં 35થી વધુ એજન્સીઓએ ખોટા બિલો રજૂ કરીને સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને દેવગઢ બારિયાના કુવા અને રેઢાણા ગામો તેમજ ધાનપુરના સીમામોઈ ગામમાં કોઈ કામ ન થયું હોવા છતાં, લાખો રૂપિયાના બિલો રજૂ કરીને 71 કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી.

આ કેસમાં બચુભાઈ ખાબડના પુત્રો, બળવંત અને કિરણ, તેમની એજન્સીઓ દ્વારા આવા ખોટા બિલો રજૂ કરનારાઓમાં સામેલ હોવાનો આરોપ છે. ઉદાહરણ તરીકે, બળવંત ખાબડની એજન્સીને એકલા સીમામોઈ ગામમાં 38 કામો માટે 5.28 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે આ કામો ગામમાં થયા જ ન હતા. કિરણ ખાબડની એજન્સીને પણ આવા જ નાણાં ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે.

કેવી રીતે થયું કૌભાંડ?

મનરેગા યોજના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ લોકોને 100 દિવસની રોજગારી આપવા અને ગામડાઓમાં માળખાકીય વિકાસ માટે રચાયેલી છે. આ યોજના હેઠળ રસ્તા, તળાવો, કૂવા, અને અન્ય વિકાસના કામો માટે નાણાં ફાળવવામાં આવે છે. દાહોદમાં આ કામોનું નિરીક્ષણ અને ચુકવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા થાય છે. જોકે, આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને બિલો રજૂ કરીને એવું દર્શાવ્યું કે કામો પૂર્ણ થયા છે, જ્યારે ગામોમાં ન તો કામ થયું હતું કે ન તો રોજગારી આપવામાં આવી.

આ ગેરરીતિમાં મનરેગા શાખાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ચાર કર્મચારીઓ—બે એકાઉન્ટન્ટ અને બે ગ્રામ રોજગાર સેવક—ની ધરપકડ થઈ છે, અને અન્ય કેટલાક કર્મચારીઓ ફરાર છે, જેના કારણે મનરેગા શાખાની કચેરીઓ બંધ થઈ ગઈ છે.

ધરપકડ અને પોલીસ તપાસ

આ કૌભાંડનો પર્દાફાશ 24 એપ્રિલ 2025ના રોજ થયો, જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પટેલે દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં 35 એજન્સીઓ સામે આરોપ મૂકાયો કે તેઓએ ખોટા બિલો રજૂ કરીને 71 કરોડ રૂપિયાની ઉચાપત કરી.

પોલીસે તપાસ શરૂ કરી અને સૌપ્રથમ બળવંત ખાબડની ધરપકડ કરી. ત્યારબાદ, 19 મે 2025ના રોજ વડોદરા-કાલોલ હાઈવે પર વહેલી સવારે કિરણ ખાબડને ઝડપી લેવામાં આવ્યો. બળવંત અને કિરણ ઉપરાંત, બચુભાઈ ખાબડના પરિવારના અન્ય ત્રણ સભ્યો અને કેટલાક સરકારી અધિકારીઓની પણ ધરપકડ થઈ છે. પોલીસ હજુ બાકીના આરોપીઓની શોધખોળ કરી રહી છે, અને તપાસમાં વધુ એજન્સીઓના નામ સામે આવવાની શક્યતા છે.

રાજકીય પડઘા અને રાજીનામાની માંગ

આ કૌભાંડે રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી છે. વિપક્ષી નેતા અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે બચુભાઈ જ્યારે જિલ્લા પ્રભારી હતા, ત્યારે પણ તેમના મળતીયાઓને કામો આપવામાં આવતા હતા.

બચુભાઈ ખાબડે આ આરોપોનો ખંડન કરતાં કહ્યું કે તેમનો પરિવાર ફક્ત મટિરિયલ સપ્લાયનું કામ કરે છે અને આરોપો ખોટા છે. જોકે, વિપક્ષે આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, અને સોશિયલ મીડિયા પર પણ બચુભાઈની ટીકા થઈ રહી છે. એક એક્સ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે દાહોદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં બચુભાઈને સ્થાન આપવામાં નથી આવ્યું, જે તેમના ઘટતા રાજકીય પ્રભાવને દર્શાવે છે.

વહીવટી ખામીઓ અને ગરીબો પર અસર

આ કૌભાંડે મનરેગા યોજનાના અમલમાં ગંભીર ખામીઓ ઉજાગર કરી છે. દેવગઢ બારિયા તાલુકા પંચાયતની મનરેગા શાખાની કચેરીઓ બંધ થઈ ગઈ છે, કારણ કે ઘણા કર્મચારીઓ ફરાર છે. આના કારણે ગરીબ લોકોને રોજગારી મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

આ પણ વાંચો:

મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત

Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

 

 

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”