MNREGA Scam: બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો, ગણતરી કલાકોમાં જ જામીન પર સ્ટે

Bachu Khabad sons’s bail stay: દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ (MNREGA Scam )માં સંડોવાયેલા ગુજરાતના પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડને દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. જો કે હવે જાણવા મળ્યું છે કે તેમના જામીન પર સ્ટે આવી ગયો છે. પોલીસે જામીનને લઈ ઉપલી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે સ્ટે મૂક્યો છે.

જેથી હવે બચુ ખાબડ અને તેમના બંને પુત્રો બરોબર કાયદાકીય સકંજામાં ફસાયા છે. બળવંત ખાબડ અને કિરણ ખાબડે સરકાર અને જનતાના નાણાંનો દુર્પયોગ કર્યો છે. 71 કરોડ રુપિયાનું મનરેગા યોજનામાં કૌભાંડ આચર્યું છે. બળવંત ખાબડ અને કિરણ ખાબડ પર આરોપ છે કે તેમણે સરકારી કામો ન કર્યા હોવા છતાં ખોટા બિલો રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી.

બચુ ખાબડના પુત્રોને જામીન મળતાની સાથે જ જામીન રદ થઈ ગયા છે. પોલીસે કરેલી સ્ટે રિવિઝન અરજી પર ઉપલી કોર્ટે સ્ટે મૂકતા હવે બન્ને કૌભાંડી દીકરાઓને જેલમાં જ રહેવું પડશે. આ કેસમાં વધુ સુનાવણી આવતીકાલે કોર્ટમાં હાથ ધરાશે.

જામીન મળતાં જ પોલીસે સ્ટે માંગ્યો હતો

આ પહેલા રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડ અને કિરણ ખાબડના મનરેગા કૌભાંડ( MNREGA Scam )માં 50 હજારના બૉન્ડ પર દાહોદની ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા, જોકે પોલીસે આ મામલે સ્ટે માંગ્યો હતો.

કૌભાંડનો પર્દાફાશ: શું છે આરોપ?

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસના કામો માટે ફાળવવામાં આવેલા નાણાંમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં 35થી વધુ એજન્સીઓએ ખોટા બિલો રજૂ કરીને સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને દેવગઢ બારિયાના કુવા અને રેઢાણા ગામો તેમજ ધાનપુરના સીમામોઈ ગામમાં કોઈ કામ ન થયું હોવા છતાં, લાખો રૂપિયાના બિલો રજૂ કરીને 71 કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી.

આ કેસમાં બચુભાઈ ખાબડના પુત્રો, બળવંત અને કિરણ, તેમની એજન્સીઓ દ્વારા આવા ખોટા બિલો રજૂ કરનારાઓમાં સામેલ હોવાનો આરોપ છે. ઉદાહરણ તરીકે, બળવંત ખાબડની એજન્સીને એકલા સીમામોઈ ગામમાં 38 કામો માટે 5.28 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે આ કામો ગામમાં થયા જ ન હતા. કિરણ ખાબડની એજન્સીને પણ આવા જ નાણાં ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે.

કેવી રીતે થયું કૌભાંડ?

મનરેગા યોજના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબ લોકોને 100 દિવસની રોજગારી આપવા અને ગામડાઓમાં માળખાકીય વિકાસ માટે રચાયેલી છે. આ યોજના હેઠળ રસ્તા, તળાવો, કૂવા, અને અન્ય વિકાસના કામો માટે નાણાં ફાળવવામાં આવે છે. દાહોદમાં આ કામોનું નિરીક્ષણ અને ચુકવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા થાય છે. જોકે, આ કેસમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને બિલો રજૂ કરીને એવું દર્શાવ્યું કે કામો પૂર્ણ થયા છે, જ્યારે ગામોમાં ન તો કામ થયું હતું કે ન તો રોજગારી આપવામાં આવી.

આ ગેરરીતિમાં મનરેગા શાખાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ચાર કર્મચારીઓ—બે એકાઉન્ટન્ટ અને બે ગ્રામ રોજગાર સેવક—ની ધરપકડ થઈ છે, અને અન્ય કેટલાક કર્મચારીઓ ફરાર છે, જેના કારણે મનરેગા શાખાની કચેરીઓ બંધ થઈ ગઈ છે.

ધરપકડ અને પોલીસ તપાસ

આ કૌભાંડનો પર્દાફાશ 24 એપ્રિલ 2025ના રોજ થયો, જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પટેલે દાહોદના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં 35 એજન્સીઓ સામે આરોપ મૂકાયો કે તેઓએ ખોટા બિલો રજૂ કરીને 71 કરોડ રૂપિયાની ઉચાપત કરી.

પોલીસે તપાસ શરૂ કરી અને સૌપ્રથમ બળવંત ખાબડની ધરપકડ કરી. ત્યારબાદ, 19 મે 2025ના રોજ વડોદરા-કાલોલ હાઈવે પર વહેલી સવારે કિરણ ખાબડને ઝડપી લેવામાં આવ્યો. બળવંત અને કિરણ ઉપરાંત, બચુભાઈ ખાબડના પરિવારના અન્ય ત્રણ સભ્યો અને કેટલાક સરકારી અધિકારીઓની પણ ધરપકડ થઈ છે. પોલીસ હજુ બાકીના આરોપીઓની શોધખોળ કરી રહી છે, અને તપાસમાં વધુ એજન્સીઓના નામ સામે આવવાની શક્યતા છે.

રાજકીય પડઘા અને રાજીનામાની માંગ

આ કૌભાંડે રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી છે. વિપક્ષી નેતા અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે બચુભાઈ જ્યારે જિલ્લા પ્રભારી હતા, ત્યારે પણ તેમના મળતીયાઓને કામો આપવામાં આવતા હતા.

બચુભાઈ ખાબડે આ આરોપોનો ખંડન કરતાં કહ્યું કે તેમનો પરિવાર ફક્ત મટિરિયલ સપ્લાયનું કામ કરે છે અને આરોપો ખોટા છે. જોકે, વિપક્ષે આ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, અને સોશિયલ મીડિયા પર પણ બચુભાઈની ટીકા થઈ રહી છે. એક એક્સ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે દાહોદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં બચુભાઈને સ્થાન આપવામાં નથી આવ્યું, જે તેમના ઘટતા રાજકીય પ્રભાવને દર્શાવે છે.

વહીવટી ખામીઓ અને ગરીબો પર અસર

આ કૌભાંડે મનરેગા યોજનાના અમલમાં ગંભીર ખામીઓ ઉજાગર કરી છે. દેવગઢ બારિયા તાલુકા પંચાયતની મનરેગા શાખાની કચેરીઓ બંધ થઈ ગઈ છે, કારણ કે ઘણા કર્મચારીઓ ફરાર છે. આના કારણે ગરીબ લોકોને રોજગારી મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

આ પણ વાંચો:

મંત્રી Vijay Shah ને સુપ્રીમમાંથી રાહત, ધરપકડ પરનો સ્ટે યથાવત

Ahmedabad: મહિલાની તેના જ ઘરમાં હત્યા, છરીથી પેટ ચીરી નાખ્યું, ઘર બદલ્યું છતાં પ્રેમી…!

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

Surat: ફેસબૂકમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપીંડી, બે શખ્સોની ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ruchi Gujjar: રૂચિ ગુજ્જરે PM મોદીના ફોટાવાળો હાર કેમ પહેર્યો?, આપ્યો ચોકાવનારો જવાબ!

 Surendranagar: મહારાણા પ્રતાપની પ્રતિમા તોડાઈ, વઢવાણમાં લોકો રોષે ભરાયા

Valsad: વાપીમાં ભયંકર હુમલો, એક શખ્સે પગ નીચે દબાવ્યો, બીજાએ ઉપરથી પથ્થર છોડ્યા

Thasra: કાલસરમાં પત્ની ભગાડી જવા બાબતે પૂર્વ પતિનો છરાથી હુમલો, બે લોકો ગંભીર

 

 

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ