
ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે.
સૌથી પહેલા જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ ‘વન નેશન-વન ઈલેક્શન’ સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.
સૂત્રોનું કહેવું છે કે, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.
હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના ભાગરૂપે લાવવામાં આવી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ રાજ્ય વિધાનસભાના સ્પીકરને બુદ્ધિજીવીઓ, નિષ્ણાતો અને નાગરિક સમાજના સભ્યો સાથે તેમના મંતવ્યો શેર કરવા માટે કહેવામાં આવશે. આ સિવાય સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો માંગવામાં આવશે, જેનાથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાવેશીતા અને પારદર્શિતા વધશે. બિલના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં તેના ફાયદા અને સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે જરૂરી પદ્ધતિ સામેલ છે.
સંભવિત પડકારોને સંબોધવામાં આવશે અને વિવિધ દ્રષ્ટિકોણ એકત્ર કરવામાં આવશે. ‘વન નેશન-વન ઈલેક્શન’ને વારંવાર ચૂંટણીઓ સાથે સંકળાયેલા ખર્ચ અને અવરોધોને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવે છે.
જોકે, સરકાર આ બિલને વ્યાપક સમર્થન હાંસલ કરવા માગે છે. જો કે આ પ્રસ્તાવ પર રાજકીય ચર્ચા પણ વધી શકે છે. વિરોધ પક્ષો તેની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી શકે છે.








