Myanmar Earthquake: મૃત્યુઆંક 1600ની પાર, તબાહીના દ્રશ્યો સર્જાયા

 Myanmar Earthquake 2025: ગત શુક્રવારે 7.7 ની તીવ્રતાના ભૂકંપથી મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વિનાશ થયો છે. મ્યાનમારની સૈન્ય સરકારે શનિવારે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપમાં લોકોના મોતનો આંકડો વધી 1,600થી પાર થઈ ગયો છે. સૈન્ય સરકારે થોડા સમય પહેલા મૃત્યુઆંક 1,002 કહ્યો હતો. જો કે કાટમાળમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવતાં મૃત્યુઆંક વધીને 1,600થી પણ વધી ગયો છે. જ્યારે ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 3,408 થઈ ગઈ છે. જ્યારે ગુમ થયેલા લોકોની સંખ્યા 139 પર પહોંચી ગઈ છે.

મ્યાનમારાના મોટા ભાગના વિસ્તરો ભૂકંપથી હચમચી ગયા છે. ભૂકંપ પછી, મંડલે અને રાજધાની નાયપિતાવમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અન્ય દેશોમાંથી ટીમો અને સાધનો મોકલવામાં આવ્યા હોવા છતાં, આ શહેરોમાં એરપોર્ટ ક્ષતિગ્રસ્ત અને વિમાનના ઉતરાણ માટે અયોગ્ય હોવાથી બચાવ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. મ્યાનમારમાં મોટી મોટી ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. જેમાં લોકો દટાઈ ગયા છે.

મૃતદેહોને બહાર કાઢવાનું કામ ભૂકંપના ત્રીજા દિવસે પણ ચાલું છે. થાઈલેન્ડમાં પણ વિનાશ થયો છે. ત્યા પણ અનેક ઈમારતોને નુકસાન થયું છે. ભૂકંપની કુલ પાંચ દેશોમાં અસર થઈ છે. મ્યાનમાર, થાઈલેન્ડ, ભારત, ચીન સહિત બાગ્લાદેશને અસર થઈ છે.

મ્યાનમારને ભારતે કરી મદદ
earthquake myanmar news

ભારત દ્વારા મ્યાનમારમાં રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે. મ્યાનમારના લોકોને જરુયાત ચીજવસ્તુઓ સોંપવામાં આવી રહી છે. ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ આ રાહત સામગ્રી પહોંચાડી છે. સાથે સાથે મેડિકલ દવાઓ પણ પહોંચાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં વિનાશકારી ભૂકંપ, 5 દેશોમાં ભયનો માહોલ

આ પણ વાંચોઃ આજે ચૈત્રી નવરાત્રિનું પ્રથમ નોરતું: પાવાગઢ, અંબાજીમાં ભક્તો ઉમટ્યા | Chaitra Navratri 2025

Related Posts

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
  • April 29, 2025

Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

Continue reading
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 12 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 15 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 17 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 25 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 28 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 19 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત