પતંગની શોધ ક્યાં દેશમાં થઈ હતી? રામાયણ-મહાભારતમાં છે પતંગનો ઉલ્લેખ પરંતુ….

  • Others
  • January 14, 2025
  • 0 Comments

પતંગની શોધ ચીનમાં થઇ હતી છે. ઇસુના જન્મ પહેલાની પાંચમી સદીમાં ચાઇનિઝ ફિલોસોફર મોઝી અને લૂ બાને કરી હોવાનું ચીનના ઇતિહાસમાં નોંધાયું છે. ભારતમાં રામાયણ,મહાભારત જેવા પ્રાચિન મહાકાવ્યોમાં પતંગનો ઉલ્લેખ મળે છે પરંતુ તેની શોધ કોને કરી તે જાણવા મળતું નથી. ચીનના પતંગ શોધક મોઝીએ બાળકોને શાળાના નિરસ ભણતરમાંથી બહાર કાઢીને ચાઇનીઝ સંસ્કૃતિ શીખવવા માટે ગમ્મત ખાતર શિલ્ક કાપડમાંથી બનાવેલી પતંગ ઉડાડી હતી.

જયારે લુબાન લાકડાના પડમાંથી પક્ષીઓ બનાવીને હવામાં ઉડાડતો હતો. ઇસ 549માં પહેલી વાર કાગળમાંથી પતંગ બનાવવામાં આવી હતી. જેનો ઉપયોગ રેસ્કયુ ઓપરેશનમાં સંદેશો પાસ કરવા માટે થતો હતો. ચીની લોકો હવામાન,પવનની ગતિ અને દિશા જાણવા માટે પણ પતંગનો પ્રાચિન સમયમાં ઉપયોગ કરતા હતા. ચીનમાંથી ભારતમાં પતંગનું આગમન થયું હોવાનું કેટલાક માને છે. ભારતમાંથી ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા, મલાયા,બોનિયો અને ન્યુઝીલેન્ડ સુધી પતંગનો શોખ વિસ્તર્યો હતો. ભારતમાં ધાર્મિક અને જયોતિષની દ્વષ્ટીએ મકરસંક્રાતિ તહેવારનું મહત્વ વધારે હતું.

13મી સદીમાં યુરોપના પ્રવાસી માર્કોપોલોએ ભારત તથા એશિયા ખંડની સમૃધ્ધિના વર્ણનો કર્યો તેમાં પતંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.16મી સદીમાં દરિયાકાંઠાના નાવિકો પાસેથી યુરોપના નાવિકો સાથે પતંગકળા શીખીને યુરોપ લઇ ગયા હતા. યુરોપમાં કુતુહલવશ 18મી સદીમાં પતંગનો ઉપયોગ હવાનું દબાણ અને વૈજ્ઞાનિક સંશોધનોમાં થવાની શરુઆત થઇ હતી

અમેરિકાના બેન્જામિન ફેન્કલિન ઉપરાંત વિમાનના શોધક રાઇટ બંધુઓએ પણ વૈજ્ઞાનિક પ્રયોગ માટે પતંગ ચગાવી હતી.ગ્લાઇડરની શોધમાં પણ પતંગનું વિજ્ઞાન સમાયેલું છે. 1860 થી 1910 સુધી થયેલો શોધ અને સંશોધનોમાં પતંગનો ઉપયોગ જોતા પતંગનો તે ગોલ્ડન સમય હતો. મિટિરીયોલોજી, એરોનોટિકસ, કમ્યુનિકેશન,વાયરલેસની શોધમાં પણ પતંગ કામ લાગી હતી. બ્રિટિશરોએ બીજા વિશ્વયુધ્ધમાં જહાજોનું રક્ષણ કરવા માટે માણસ જેવા આકારની પતંગો ઉડાડી હતી.

આ પણ વાંચો- અમરેલી લેટરકાંડની તપાસ SMCને સોંપાઈ, પોલીસ તંત્ર કેમ આવ્યું શંકાના દાયરામાં?

Related Posts

બ્રહ્માંડમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ ‘એલિયન યાન’ દેખાયું?, વૈજ્ઞાનિકોમાં વધી ચિંતા; ખાસ મિશન શરૂ થશે | 3I/ATLAS
  • November 3, 2025

3I/ATLAS: એલિયનની હાજરી વિશે વર્ષોથી એક રહસ્ય રહ્યું છે અને બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંક જીવન છે તેવી માન્યતાઓના આધારે અત્યાર સુધી અનેક પ્રયોગો થયા છે પણ હજુ સુધી નક્કર…

Continue reading
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો
  • October 29, 2025

અબજો વર્ષ પહેલાં દૂરના તારાઓની દુનિયાથી આવેલો ધૂમકેતુ હવે આપણા સૂર્ય તરફ ધસી રહ્યો છે. આ ધૂમકેતુ 3I/ATLAS છે. સૌરમંડળની બહારનો ત્રીજો પદાર્થ. વૈજ્ઞાનિકોની શોધ અન્ય તારાઓની દુનિયાના રહસ્યો ઉજાગર કરે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 9 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 7 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 8 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 18 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 16 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 11 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!