
Narendramodi: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) નું નામ બદલીને “સેવા તીર્થ” રાખવામાં આવ્યું છે, જે શાસનમાં “સત્તા” થી “સેવા” માં પરિવર્તન દર્શાવે છે.
મોદી સરકાર માને છે કે નામ બદલીને “સત્તા” ને “સેવા” અને “જવાબદારી” ના પ્રતીક તરીકે સ્થાન આપવાનો હેતુ એ વહીવટી ફેરફારોની શ્રેણીનો એક ભાગ છે.આ નામ કરણ અંગે સિનિયર પત્રકાર મેહુલ ભાઈ વ્યાસ જણાવે છે કે ‘નામ બદલને સે નિયત નહિ બદલતી!!’
તેઓએ ઉમેર્યુ કે ગુજરાતમાં કલ્યાણ મેળા નામ રાખી ગરીબોને મદદરૂપ બનવાનું સપનું હતું રૂપાળા નામકરણ હેઠળ યોજના આવી ગઈ અમલમાં મુકાઈ ગઈ પણ સવાલ આખરે ત્યાંજ અટકી ગયો કે કેટલા ગરીબોનું કલ્યાણ થયું? તેઓએ નીચે આપેલા વિડીયોમાં વિસ્તૃત રીતે છણાવટ કરી છે તે જોવાનું ચૂકશો નહિ
બીજી તરફ ભાજપનું કહેવું છે કે આ નામ બદલવાનો હેતુ: “સેવા તીર્થ” નો હેતુ “સત્તા” ને “સેવા” અને “જવાબદારી” ના પ્રતીક તરીકે સ્થાન આપવાનો છે. અધિકારીઓના મતે, આ ફેરફાર “ગુલામીની માનસિકતા” ને દૂર કરવા અને “શાસનમાં સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવા” માટે છે.
અન્ય ફેરફારો: આ ફેરફાર તાજેતરના નામ ફેરફારો જેવો જ છે, જેમ કે રાજપથનું નામ બદલીને “કાર્તવ્ય પથ” કરવું અને રાજભવનનું નામ બદલીને “લોક ભવન” કરવું. પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન, જે અગાઉ 7 રેસકોર્સ રોડ પર સ્થિત હતું, તેનું નામ પણ 2016 માં “લોક કલ્યાણ માર્ગ” રાખવામાં આવ્યું હતું.
સાંસ્કૃતિક અને નૈતિક પરિવર્તન: સરકાર કહે છે કે આ પરિવર્તન ફક્ત વહીવટી જ નહીં, પણ સાંસ્કૃતિક અને નૈતિક પણ છે.
નવી ઇમારત: પ્રધાનમંત્રી કાર્યાલયનું નવું સંકુલ, જે હવે ‘સેવા તીર્થ’ નામ આપવામાં આવ્યું છે, તે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. તે આધુનિક સંકુલમાં સ્થળાંતર કરી રહ્યું છે.હવે નિહાળો સિનિયર પત્રકાર મેહુલભાઈ વ્યાસ શુ કહે છે?જુઓ વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







