
Nepal Protest: નેપાળમાં Gen-Zએ બે દિવસમાં જે ખેલ ખેલ્યો, તે જોઈને રાજકીય નેતાઓના હોશ ઉડી ગયા! સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો વિરોધ કરવા નીકળેલા યુવાનોએ સરકારને ઘૂંટણે લાવી દીધી. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે પણ બિસ્તરા પોટલા ભરવા પડ્યાં, અને નવ મંત્રીઓએ રાજીનામા આપી દેવા પડ્યા. તેમજ રોષે ભરાયેલા યુવાનોએ નેપાળના પૂર્વ PM અને નાણામંત્રીને દોડાવી દોડાવીને માર્યા આમ સોશિયલ મીડિયાથી ઉઠેલી આગે નેતાઓનો રાજકીય ખેલ ખતમ કરી દીધો, જો કે યુવાઓએ કાયદાને હાથમાં લીધો અને તેના કારણે ઘણા લોકને જીવ પણ ગુમાવવો પડ્યો છે.
संसद में आग लगाने का मतलब है कि लोकतंत्र से मोह खत्म हो चुका है। बंदूकें केवल हाथ बदलती हैं अपना कैरेक्टर नहीं। नेपाल को समझना होगा कि हिंसक विद्रोह लोकतांत्रिक उद्देश्य के ख़िलाफ़ साबित होता है। उसे शांति की राह पर लौट आना चाहिए। आक्रोश और हिंसा के फर्क को हासिल करना होगा वरना… pic.twitter.com/YUv8tK8VKw
— ravish kumar (@ravish_journo) September 9, 2025
હિંસાના ચોંકાવનારા વીડિયો આવ્યા સામે
હાલમાં નેપાળમાં બળવાની સ્થિતિ છે. યુવાનોના આંદોલનથી શરૂ થયેલા બળવાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે અને અહીં સરકારનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. પરિસ્થિતિ એવી છે કે નેપાળના વર્તમાન વડા પ્રધાન દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. તેવામાં નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નેપાળના નાણામંત્રીને માર મારવાની ઘટના દર્શાવવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેપાળના નાણામંત્રીને વિરોધ કરી રહેલા ટોળાએ નિર્દયતાથી માર માર્યો છે. આ ઘટના કાઠમંડુની છે.
नेपाल में प्रदर्शनकारियों ने डिप्टी PM और वित्त मंत्री को दौड़ा कर पीटा#NepalProtest pic.twitter.com/7sSNEFvYx6
— NDTV India (@ndtvindia) September 9, 2025
નેપાળના નાણામંત્રીને દોડાવી દોડાવીને માર્યા
આ વીડિયોમાં, નેપાળના નાણામંત્રી ભીડમાંથી દોડી રહ્યા છે અને વિરોધીઓ તેમની પાછળ દોડી રહ્યા છે. આ દરમિયાન, નાણામંત્રી રસ્તા પર આગળ દોડતા જ એક પ્રદર્શનકારીએ તેમને લાત મારી અને તેમને પડી ગયા. આ પછી, અન્ય પ્રદર્શનકારીઓ તેમની તરફ દોડે છે પરંતુ તેમને વધુ માર મારવામાં આવે તે પહેલાં, ત્યાં હાજર કેટલાક લોકો તેમને પકડીને એક નિર્જન શેરી તરફ દોડી જાય છે.
Deputy PM and Finance Minister of Nepal Bishnu Prasad Paudel was chased and beaten by protesters during Gen Z anti-government protests in Kathmandu.
Poudel is seen running for his life in the river while protesters chasing him. pic.twitter.com/3YwbPeHkTW
— RAGHUWANSHI 🚩 (@Ranjeetraghu_) September 9, 2025
ઘણા મંત્રીઓએ પહેલાથી જ રાજીનામું આપી દીધું
તમને જણાવી દઈએ કે નેપાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે, ઓલી સરકારના ઘણા મંત્રીઓએ પહેલાથી જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સરકાર પર વધતા દબાણને જોઈને, પીએમ ઓલીએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
વચગાળાની સરકારની માંગ
એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવાનોના વિરોધનો વ્યાપ વધતા પીએમ ઓલીને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. તમને જણાવી દઈએ કે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા યુવાનો મંગળવાર સવારથી જ દેશની વર્તમાન સરકારની જગ્યાએ વચગાળાની સરકારની રચનાની માંગ કરી રહ્યા હતા.
19 લોકોના મોત
યુવાનો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ નેપાળમાં સરકારને હચમચાવી નાખી. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલું આંદોલન હિંસક બન્યું, જેમાં 19 લોકોના મોત થયા અને સેંકડો ઘાયલ થયા.
नेपाल में एक नेता ने VIP गाड़ी युवाओं पर चढ़ाई 🚗🔥
युवाओं ने सड़क पर ही VIP अहंकार का दहन कर दिया।
बेरोज़गारी + महंगाई = क्रांति ✊🔥
तानाशाही का यही अंजाम होता है।#Nepal #घोरकलजुग pic.twitter.com/0DPsfs1Zhv— अपूर्व اپوروا Apurva Bhardwaj (@grafidon) September 9, 2025
નેપાળના નેતાઓને ભાગવાનો વારો
વિરોધીઓએ વડા પ્રધાન કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને અનેક મંત્રીઓના ઘરો પર હુમલો કર્યો. ઓલીએ રાજીનામું આપ્યું અને અહેવાલો અનુસાર, હિમાલય એરલાઇન્સ દ્વારા દુબઈ ભાગી જવાની તૈયારી કરી રહ્યા હતા.આમ બાંગ્લાદેશની શેખ હસીનાની જેમ નેપાળના નેતાઓએ પણ ભાગવાનો વારો આવ્યો છે.
નેપાળની કમાન સેનાના હાથમાં
વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામા પછી, દેશમાં રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. જોકે, હવે દેશની કમાન સેનાના હાથમાં છે. હાલમાં, વચગાળાની સરકાર માટે ચહેરાઓની શોધ ચાલી રહી છે.
કેમ થયો હતો વિરોધ?
વિદ્યાર્થીઓના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે શરૂ થયા હતા. તે એક મોટા અભિયાનમાં ફેરવાઈ ગયું જેમાં ઓલી સરકાર અને દેશના રાજકીય વર્ગની કથિત ભ્રષ્ટાચાર અને સામાન્ય લોકો પ્રત્યે ઉદાસીનતા અંગે વધતી જતી જાહેર ટીકા દર્શાવવામાં આવી હતી.
नेपाल का प्रोटेस्ट :
जनता ही सर्वोपरि है, नेताओं को समझना होगा ये बात ! pic.twitter.com/OtFGf2iEFz
— ताज़ा तमाचा (@Taza_Tamacha) September 9, 2025
પ્રધાનમંત્રીના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ પૌડેલે શું કહ્યું?
ઓલીના રાજીનામા પછી પણ, રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે શાંતિ અને રાષ્ટ્રીય એકતાની અપીલ કરી હતી કારણ કે પ્રદર્શનકારીઓ કર્ફ્યુનું ઉલ્લંઘન કરીને આગચંપી અને હિંસાનો આશરો લેતા રહ્યા હતા અને સુરક્ષા દળોની ભારે તૈનાતી કરી હતી. “હું વિરોધ કરી રહેલા નાગરિકો સહિત દરેકને દેશની મુશ્કેલ પરિસ્થિતિના શાંતિપૂર્ણ ઉકેલમાં સહયોગ કરવા વિનંતી કરું છું,” પૌડેલે એક નિવેદનમાં જણાવ્યું હતું.
#WATCH | On the ongoing protests in Nepal, Former Indian Ambassador to Nepal, Ranjit Rae says, “One of the reasons for this is also that the two big parties got together to form a grand coalition, and the rumour in Nepal was that this coalition has been formed because leaders of… pic.twitter.com/eSZ3BiE0ci
— ANI (@ANI) September 9, 2025
ભારતના ભૂતપૂર્વ રાજદૂત રણજિત રાયે શું કહ્યું ?
નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પર, નેપાળમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત રણજિત રાય કહે છે, “આનું એક કારણ એ પણ છે કે બે મોટા પક્ષોએ એક મહાગઠબંધન રચવા માટે ભેગા થયા હતા, અને નેપાળમાં અફવા એ હતી કે આ ગઠબંધન એટલા માટે બનાવવામાં આવ્યું છે કારણ કે બંને પક્ષોના નેતાઓની અગાઉની સરકાર દ્વારા ભ્રષ્ટાચાર માટે તપાસ ચાલી રહી હતી. તેથી તે તપાસને રોકવા માટે, તેમણે આ ગઠબંધનની રચના કરી. અને પછી તેઓએ અન્ય પક્ષોના એક ખૂબ જ લોકપ્રિય નેતાની ધરપકડ કરી, જેમને આજે વિરોધીઓ દ્વારા આકસ્મિક રીતે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મને લાગે છે કે એવી ભાવના હતી કે નેપાળમાં હાલની સંસ્થાઓમાં કંઈ થઈ રહ્યું નથી, અને આ યુવાનોએ કાયદો પોતાના હાથમાં લીધો છે…”
નેપાળમાં ફસાયેલી એક ભારતીય મહિલાએ જણાવી આપવીતી
નેપાળના પોખરા શહેરમાં ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે, ભારતીય મહિલા પ્રવાસી ઉપાસના ગિલની દર્દનાક વાર્તા પ્રકાશમાં આવી છે. પોખરા વોલીબોલ લીગનું આયોજન કરવા આવેલી ઉપાસના હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. વિરોધીઓની હિંસાને કારણે માત્ર તેની હોટલ જ બળી ગઈ ન હતી, પરંતુ તેણીને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી પણ જવું પડ્યું હતું.
ઉપાસના ગિલ એક ભારતીય છે. તે પોખરા (નેપાળ) માં વોલીબોલ લીગનું આયોજન કરવા ગઈ છે. તે જે હોટલમાં રોકાઈ હતી તે હોટલને વિરોધીઓએ સળગાવી દીધી છે. ઉપાસના કહી રહી છે કે લોકો તેને મારવા માટે લાકડીઓ લઈને તેની તરફ દોડી ગયા હતા. વિરોધીઓ અહીંના પ્રવાસીઓને પણ બક્ષી રહ્યા નથી.
उपासना गिल भारतीय हैं। पोखरा (नेपाल) में एक वॉलीबॉल लीग होस्ट करने गई हैं। जिस होटल में ठहरी हुई थीं, उसको प्रदर्शनकारियों ने जला दिया है। उपासना बता रही हैं कि लोग डंडे लेकर उन्हें मारने के लिए दौड़े। प्रदर्शनकारी यहां टूरिस्ट को भी नहीं छोड़ रहे हैं। pic.twitter.com/mfoxqTy1UR
— Sachin Gupta (@SachinGuptaUP) September 10, 2025
નેપાળના ઇતિહાસમાં નોંધાયેલા 48 કલાક
સોમવાર અને મંગળવાર ના રોજ નેપાળમાં જે બન્યું તે ઇતિહાસમાં નોંધાયેલું છે. વિરોધીઓએ અનેક મંત્રીઓનો પીછો કર્યો અને માર માર્યો. સંસદ ભવનને આગ ચાંપી દેવામાં આવી. નેપાળની ત્રણ મોટી જેલમાંથી કેદીઓ પણ ભાગી ગયા. વિરોધીઓએ કાઠમંડુની નાખુ જેલમાંથી ભૂતપૂર્વ ગૃહમંત્રી રવિ લામિછાનેને મુક્ત કર્યા.
जब देश का प्रधानमंत्री इस तरह हवा में लटक कर भागने को मजबूर हो जाए तो सोचिए युवाओं की ताकत क्या होती है!
इस लिए युवाओं के उम्र को आंधी तूफान की काल कही गई है!
ओली नेपाल प्रधानमंत्री नेपाल छोर कर भागते हुए… युवाओं के आक्रोश के सामने किसी की नहीं चली ना नेताओं की, ना धनबल की,… pic.twitter.com/QBTxaS859E
— Sahitya Aajkal (@sahityaaajkal) September 10, 2025
સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવ્યા પછી પણ વિરોધ પ્રદર્શન ચાલુ
નેપાળી સેનાએ કટોકટીના ઉકેલ માટે શાંતિ અને વાતચીતની અપીલ કરી છે. સોમવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હોવા છતાં, મંગળવારે વિરોધ પ્રદર્શનોએ વેગ પકડ્યો અને આંદોલનનું ધ્યાન સોમવારે પોલીસ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત અને રાજકીય વર્ગના કથિત ભ્રષ્ટાચાર અને વૈભવી જીવનશૈલીના મોટા મુદ્દાઓ પર લોકોના ગુસ્સા તરફ ગયું.
નેપાળની સ્થિતિને કારણે ઉત્તરાખંડ સરહદ પર હાઇ એલર્ટ
નેપાળની તાજેતરની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મંગળવારે રાજ્યના ત્રણ સરહદી જિલ્લાઓ – ચંપાવત, પિથોરાગઢ અને ઉધમ સિંહ નગરના વહીવટીતંત્ર, પોલીસ અને સશસ્ત્ર સીમા બળ (SSB) અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાત્રે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠકમાં, ધામીએ ઉત્તરાખંડની નેપાળ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો પર સમગ્ર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ
Rajasthan: જીંદગીથી હારી ગયો જળસમાધિ લઈ રહ્યો છું, વીડિયો બનાવી યુવક નદીમાં કૂદી ગયો
સી.પી. રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા | C.P. Radhakrishnan









