Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ

  • Gujarat
  • September 10, 2025
  • 0 Comments

Nepal Gen-Z Revolution: નેપાળ તેના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બુધવારે પણ નેપાળના રસ્તાઓ પર હિંસા અને આગચંપી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે મંગળવાર રાતથી નેપાળના રસ્તાઓ પર સેના તૈનાત કરવામાં આવી છે. તેમ છતાં, પ્રદર્શનકારીઓનો ગુસ્સો ચરમસીમાએ છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડા પ્રધાન કેપી શર્મા ઓલી સહિત સમગ્ર સરકારના રાજીનામા છતાં, જનતા ગુસ્સામાં છે. ત્યારે નેપાળમાં આ હિંસાની વચ્ચે ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓએ સરકાર પાસે મદદ માંગી છે. જેમાં ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે.

ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા

મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના નારી ગામના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળની ધાર્મિક યાત્રા દરમિયાન ભારે તોફાન અને ઉથલપાથલમાં ફસાયા છે. ભાવનગર શહેરના આ યાત્રીઓ નેપાળમાં ચાલી રહેલી આફતના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાને થતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ફસાયેલા લોકોની ખબરઅંતર પૂછ્યા હતા.

જીતુ વાઘાણીએ શ્રદ્ધાળુઓ સાથે ફોન પર વાત કરી

ઉપેન્દ્રસિંહે તાત્કાલિક ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને આ અંગે જાણ કરી. જીતુભાઈએ ફસાયેલા શ્રદ્ધાળુઓ સાથે ફોન પર વાત કરી, તેમને હિંમત આપી અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન આપ્યું. તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રીને જાણ કરી અને ભારત સરકારને પણ માહિતગાર કર્યા.

શ્રદ્ધાળુઓને સલામત પરત ફરવાની આપી હૈયાધારણા

જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ફસાયેલા તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે ઝડપથી પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે શ્રદ્ધાળુઓને સલામત પરત ફરવાની હૈયાધારણા આપી.

સરકારે હાથ ધર્યા પ્રયાસો

આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા ફેલાવી છે, પરંતુ સ્થાનિક નેતાઓ અને સરકારની ઝડપી કાર્યવાહીથી આશાનું કિરણ જાગ્યું છે. ભારત સરકાર અને નેપાળના સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને બચાવ કાર્ય ચાલુ છે. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને ગુજરાતીઓ ફસાયા હોવાની જાણકારી આપી સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંગે જણાવ્યું છે.

આ પણ વાંચો:  

Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?

Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!

Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Related Posts

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત
  • May 5, 2026

Vadnagar Suicide And Murder Case: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક એવી હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકને સ્તબ્ધ કરી દીધો છે. હીરાના કારખાનામાં…

Continue reading
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા
  • May 5, 2026

Naroda Sub Registrar Bribery Case: અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર (નરોડા-6) કચેરીમાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી એક સફળ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 4 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 6 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 8 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 10 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

  • May 4, 2026
  • 11 views
Surat Varachha SBI Robbery Case: સુરત SBI બેંક લૂંટકાંડમાં મોટો ખુલાસો: ઉત્તરપ્રદેશથી બે શખ્સો ઝડપાયા, જાણો અઠવાડિયાની તપાસની વિગત

Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર

  • May 4, 2026
  • 6 views
Gosabara RDX Landing Case Verdict: પોરબંદર ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દાઉદ ઈબ્રાહિમ સહિત 12 આરોપી દોષિત જાહેર