
War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર પહેલીવાર સૌથી મોટો લાંબા અંતરની મિસાઈલ હુમલો કર્યો છે જેની ઈઝરાયેલને કલ્પના પણ નહોતી. ઈરાને પહેલીવાર ઇઝરાયેલના દક્ષિણી શહેર ડિમોના અને અરાદના રહેણાંક વિસ્તારોમાં લાંબા અંતરની મિસાઇલ્સ પ્રયોગ કર્યો, જેમાં 100 લોકોના મોત થઈ ગયા છે અને 300 લોકો ઘાયલ થયા છે. આ દાવો ઈરાને કર્યો છે અને આ હુમલા બાદ ઈઝરાયેલ અને અમેરિકા બન્ને ચોંકી ગયા છે,કારણ કે તેઓએ દુનિયા સમક્ષ દાવો કર્યો હતો કે ઈરાન પાસે હવે લડવા માટે હવે કઈ બચ્યું નથી પણ ખરેખર તો હવે જે લાંબા રેંજની મિસાઇલ અને અમેરિકાનું અદ્યતન ફાયટર જેટ તોડી શકે તેવી સંરક્ષણ પ્રણાલીની ઈરાને તાકાત બતાવી તે દર્શાવે છે કે ઈરાન પાસે મોટો શસ્ત્ર ભંડાર છે અને હવે તેનો ઉપયોગ કરી રહ્યું છે.
ઈરાનના આ હુમલા બાદ ઈઝરાયેલમાં હાહાકાર મચેલો છે અને ઇઝરાયલ હવે ઈરાન પર ન્યુક્લિયર એટેક કરી શકે છે.અગાઉ પણ વ્હાઇટ હાઉસના AI અને ક્રિપ્ટો ચીફ ડેવિડ સેક્સ એવી ચેતવણી આપી ચૂક્યા છે કે જો યુદ્ધ વખતે ઈઝરાયલને મોટું નુકસાન થશેતો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
ડેવિડે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘અત્યારે તો માત્ર બે અઠવાડિયા થયા છે. જો આ યુદ્ધ આગળ ચાલતું રહેશે, તો ઈઝરાયલ સંપૂર્ણપણે તબાહ થઈ શકે છે. તેના ખૂબ મોટા ભાગો નષ્ટ થઈ શકે છે. તેની એર ડિફેન્સ સિસ્ટમ નબળી પડી શકે છે પરિણામે ઈઝરાયલ ન્યુક્લિયર વેપન્સનો ઉપયોગ કરતા જરાપણ વિચાર નહિ કરે.દરમિયાન,ડિમોના શહેર પર ઈરાને કરેલા હુમલા બાદ ઈઝરાયલ ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરી શકે છે. જે જગ્યાએ ઈરાની મિસાઈલો પડી છે, ત્યાંથી થોડે જ દૂર ઈઝરાયલનો ડિમોના ન્યુક્લિયર સેન્ટર આવેલું છે.
ન્યૂઝ એજન્સી રોયટર્સના સમાચાર મુજબ, ઈરાને પહેલીવાર ડિમોના પર લાંબા અંતરની બે મિસાઈલો છોડી છે, જેને ઈઝરાયલ રોકવામાં નિષ્ફળ ગયું છે. ઈઝરાયલે ડિમોના રિએક્ટરની આસપાસ મજબૂત એર ડિફેન્સ તૈનાત કરી હોવાછતાં ઈરાની મિસાઈલોને રોકવામાં તે નિષ્ફળ જતા ઈઝરાયેલની ચિંતા વધી ગઈ છે.ઉલ્લેખનીય છે કે ઈરાને અગાઉ પણ ડિમોના પર હુમલાની ધમકી આપી હતી અને ત્યારે પણ ઈરાને કહ્યું હતું કે તે ઈઝરાયલના એર ડિફેન્સને ભેદીને તેના પર હુમલો કરવા માટે સક્ષમ છે અને તે ઇરાને કરી બતાવ્યું છે.
ઈરાનના સચોટ હુમલાથી ઈઝરાયલ ગુસ્સે ભરાયું છે અને તે ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરી શકે તે અંગે ઘણા નિષ્ણાતો અને મીડિયા રિપોર્ટ્સમાં સતત કહેવામાં આવી રહ્યું છે.આ યુદ્ધ દરમિયાન ઘણું બધું એવું બન્યું છે કે નેતન્યાહૂ નિર્ણય લેતા પહેલા ટ્રમ્પની સંમતિ લેતા નથી.
અમેરિકી સેનાના રિટાયર્ડ કર્નલ લોરેન્સ વિલ્કરસને એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમેરિકા-ઈઝરાયલ ભલે દાવો કરે પણ ખરેખર તેઓ ઈરાનની મિસાઈલ ક્ષમતાને વાસ્તવમાં કોઈ નુકસાન પહોંચાડી શક્યા નથી.ઈરાનથી ઈઝરાયલમાં વ્યાપક નુક્શાન થયું છે પણ નેતન્યાહૂએ પોતાના મીડિયા પર પ્રતિબંધ લાદ્યો છે, જેના કારણે ઈઝરાયલમાં કેટલું નુકશાન થયું તેનો કોઈ અંદાજો આવતો નથી.ત્યારે હવે શું આ યુદ્ધ પરમાણુ યુદ્ધમાં પરિવર્તિત થઈ જશે? અને જો એવું થયું તો તેનો અંજામ શુ હશે? અને સમગ્ર વિશ્વ પર તેની થનારી અસરો અંગે ચિંતા પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







