
આજે મહાકુંભનો 7મો દિવસ છે. ત્યારે મેળામાં અનેક દેશોના ભક્તો મેળામાં આવી રહ્યા છે. આ મેળો ઉત્તરપ્રદેશના પ્રાયગરાજમાં યોજાઈ રહ્યો છે. ત્યારે આ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર-6 માં એક નવજાત બાળકનો મૃતદેહ રેતીમાં દફનાવેલી હાલતમાં મળી આવ્યો છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ, જેસીબી વડે રેતી સમતળ કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન, જ્યારે લાલ કપડામાં લપેટાયેલ કંઈક દેખાયું, ત્યારે કામદારોએ કાપડ ખોલ્યું. અંદર જોયું તો એક નવજાત બાળકનો મૃતદેહ જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નવજાતનો મૃતદેહ લગભગ 10 દિવસ જૂની લાગે છે.
સેક્ટર-6 માં એક બાળકનો મૃતદેહ રેતીમાં દટાયેલો મળી આવ્યો હતો. આ પછી રેતી સમતળ કરવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું હતુ. આ માહિતી પહેલા એમ્બ્યુલન્સને અને પછી સેક્ટરના સંબંધિત અધિકારીઓને આપવામાં આવી. કામદારોના જણાવ્યા મુજબ, લગભગ એક કલાક સુધી કોઈ અધિકારી આવ્યા નહીં. 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. લાંબા સમય પછી, જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે નવજાત શિશુના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા પોસ્ટમોર્ટમ હાઉસ મોકલી દેવામાં આવ્યો હતો.
આ અંગે એમ્બ્યુલન્સ સર્વિસ મેનેજર સત્ય સિંહ કહ્યું હતુ કે માહિતી મળતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ સ્ટાફ પોતે જ તેને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ ગયો હતો. કામદારોએ કહ્યું કે જ્યારે કોઈ બાળક મૃત્યુ પામે છે, ત્યારે લોકો અંતિમ સંસ્કાર તરીકે ગંગા કિનારે મૃતદેહને દફનાવી દે છે.
આ પણ વાંચોઃ સૈફ પર હુમલો કરનાર પોલીસથી બચવા સમાચાર જોતો, ફોન બંધ કરી સતત બદલતો લોકેશન!