
Rain: લોકો હાલ ઉનાળાની આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આજે કસમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. કચ્છ અને રાજકોટમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. આવતીકાલથી તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
અંબાલલા પટેલ શું કહે છે
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 11થી 14 એપ્રિલ સુધી ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનનું જોર વધી રહ્યું છે. જેથી 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે લીમખેડા, દાહોદ, વડોદરા, નડિયાદમાં હવામાન પલટો આવી શકે છે. મહત્વનું છે કે આગામી 48 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે.
આ પણ વાંચોઃ
આ હિન્દુ યુવક રડતો રહ્યો પણ કોઈ હિંદુ મદદે ન આવ્યો, આ છે એકતા! | Vridavan
આણંદ મનપાના કર્મીઓએ પશુઓને નિર્દયતાથી માર મારતાં વિરોધ, પશુ ક્રૂરતાનો કેસ નોંધવા માંગ! | Anand
