America Attack on Syria: સીરિયામાં ISના 70 ઠેકાણાઓ પર અમેરિકાનો હુમલો!મોટી સંખ્યામાં આતંકીઓનો સફાયો!

  • World
  • December 20, 2025
  • 0 Comments

America Attack on Syria: અમેરિકાએ સીરિયા ઉપર એર સ્ટ્રાઈક કરી આતંકીઓના અડ્ડાઓનો સફાયો કરી નાખ્યો હતો.મહત્વનું છે કે અગાઉ તા.13 ડિસેમ્બરે બે અમેરિકન સૈનિકોના મોત થયા બાદ અમેરિકાએ તેનો બદલો લેવા સિરિયામાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટ (IS)ના અડ્ડાઓ ઉપર ‘ઓપરેશન હકઆઈ સ્ટ્રાઈક’ના ભાગરૂપે હવાઈ હુમલા કર્યા હતા.

આપને જણાવી દઈએ કે તા.13 ડિસેમ્બર 2025 ના રોજ સીરિયાના પાલમાયરા નજીક થયેલા હુમલામાં આયોવા નેશનલ ગાર્ડના બે સૈનિકો, સાર્જન્ટ એડગર ટોરસ અને સાર્જન્ટ વિલિયમ હોવર્ડ સહિત એક અમેરિકી નાગરિકનું મોત થયું હતું બાદમાં આ હુમલો સીરિયન સુરક્ષા દળો સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું કે જેઓ IS પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા.

ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશથી ફાઈટર જેટ્સ અને એપાચે હેલિકોપ્ટર દ્વારા સીરિયામાં હુમલો કરી આતંકીઓના 70 જેટલા ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા છે.રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હતા.

અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથનું નિવેદન સામે આવ્યુ છે કે, આ ઓપરેશનનો હેતુ માત્ર IS ના આતંકી નેટવર્કને તોડવાનો છે, આ કોઈ નવા યુદ્ધની શરૂઆત નથી, પરંતુ અમેરિકી સૈનિકો પર થયેલા હુમલાનો આ જવાબ છે. આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સિરિયા ઉપર અમેરિકાએ કરેલી એર સ્ટ્રાઈક દરમિયાન F-15 ઈગલ ફાઈટર જેટ, A-10 થંડરબોલ્ટ ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ અને એપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી મધ્ય સીરિયાના પહાડી અને રણ વિસ્તારોમાં જ્યાં આતંકીઓ છુપાયેલા હતા તેવી જગ્યાએ અમેરિકી દળોએ બોમ્બમારો કર્યો હતો અમેરિકાના આ મિશનમાં જોર્ડનના વિમાનોએ પણ જોડાયા હતા.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ
  • March 18, 2026

■ અલી લારીજાએ કહ્યું હતું કે મારું મોત થઈ જાય ત્યારે લખજો કે”ખુદાનો બંદો,ખુદા પાસે પરત ફર્યો!” Ali Larijani: ઈઝરાયલી એરસ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ચીફ લારીજાનીનું મોત થતાં…

Continue reading
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”
  • March 18, 2026

Iran War Update: ઈરાનના ટોચના કમાન્ડર અલી લારીજાની અને સુલેમાનીની હત્યા કર્યા બાદ ઇઝરાયલે હવે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને ખુલ્લો પડકાર આપ્યો છે. IDF એ જાહેરાત કરી, “અમે તેને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 3 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 3 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 5 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”