BANGLADESH: ઉસ્માન હાદીના મોતથી બાંગ્લાદેશમાં હિંસા,અખબાર કાર્યાલયોમાં આગચંપી, હત્યારાઓ ભારત ભાગી ગયા હોવાનો દાવો કરાયો!

  • World
  • December 19, 2025
  • 0 Comments

BANGLADESH: બાંગ્લાદેશમાં જુલાઈમાં થયેલા બળવાના અગ્રણી નેતા શરીફ ઉસ્માન હાદીને ગોળી વાગ્યા બાદ સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયુ છે, મુહમ્મદ યુનુસે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો.૧૯ ડિસેમ્બરે વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. ઢાકામાં જાહેર આક્રોશ વચ્ચે, ઘણા વિરોધીઓએ બાંગ્લાદેશના અગ્રણી દૈનિક અખબારો અને અખબારોના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી.

ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ ‘પ્રથમ આલો’ અને ‘ડેઇલી સ્ટાર’ અખબાર કચેરીમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગ ચાંપી હતી.ટોળા ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરતા હતા.યુનુસે હાદીના હત્યારાઓને ઝડપી લેવા માટે ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું હતું અને રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો હતો.

બાંગ્લાદેશમાં જુલાઈ બળવાના અગ્રણી નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીનું છ દિવસ સુધી જીવન મરણ સુધી લડ્યા બાદ ગતરોજ ગુરુવારે રાત્રે સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હાદીને માથામાં ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાષ્ટ્રને સંબોધતા, વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું, “આજે હું તમારા માટે ખૂબ જ દુઃખદ સમાચાર લઈને આવ્યો છું. જુલાઈ બળવાના નિર્ભય યોદ્ધા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદી હવે આપણી વચ્ચે રહયા નથી.”

નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) અને બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામીએ ઉસ્માન હાદીના અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “NCPના તમામ સ્તરના નેતાઓ અને કાર્યકરો અમારા સાથી સાથીના અવસાનથી ખૂબ જ દુઃખી છે. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમના શોકગ્રસ્ત પરિવાર અને સંબંધીઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.”

ઢાકા ટ્રિબ્યુન અનુસાર,એજન્સીઓએ તપાસ દરમિયાન ફૈઝલ કરીમ મસૂદને ઓળખ કાઢ્યો છે જેણે ઉસ્માન હાદીને ગોળી મારી હતી.પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન (RAB) એ જણાવ્યું હતું કે તેનો સાથી, આલમગીર શેખ, હુમલામાં વપરાયેલી મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો તપાસ સૂત્ર દ્વારા દાવો કરાયો હતો કે બંને શંકાસ્પદ હત્યારાઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને ભારત ભાગી ગયા છે.

નોંધનીય છે કે રાજધાની ઢાકાના પોલ્ટન વિસ્તારમાં અપક્ષ સાંસદ ઉમેદવાર શરીફ ઉસ્માન હાદીને ધોળા દિવસે ગોળી મારી દેવામાં આવી હતી. બાઇક પર સવાર હુમલાખોરોએ હાદી પર ગોળીબાર કર્યો હતો

પોલીસના જણાવ્યા અનુસાર, હાદી રિક્ષામાં સવાર હતા ત્યારે બે ઈસમો મોટરસાઇકલ આવ્યા હતા જે પૈકી પાછળ બેઠેલા વ્યક્તિએ બંદૂક કાઢી અને હાદી પર ગોળીબાર કર્યો. આ સમગ્ર ઘટના થોડીક જ સેકન્ડમાં બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. બંને બાઇક સવાર હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા.આ ઘટના 12 ડિસેમ્બરે બની હતી.

હુમલા સમયે, હાદીનો મિત્ર, મોહમ્મદ રફી, જે ઇન્કલાબ મંચનો કાર્યકર પણ હતો, તે રીક્ષા પાછળ આવતો હતો. તેણે જણાવ્યું કે હાદી શુક્રવારની નમાજ પઢીને પાછા ફર્યા હતા અને હાઇકોર્ટ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા ત્યારે વિજયનગર વિસ્તારમાં હુમલો થયો હતો ગોળી વાગતાંજ હાદી રિક્ષામાંથી પડી ગયા હતા આ ઘટના 12 ડિસેમ્બરના રોજ શુક્રવારે લગભગ 2:25 વાગ્યે બની હતી.
ત્યારબાદ ઘાયલ હાદીને પહેલા ઢાકા ત્યારબાદ 15 ડિસેમ્બરે એરલીફ્ટ કરી સિંગાપોર લઈ જવાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે મૃતક શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશના તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાના વિરોધી હતા અને શેખ હસીનાના પક્ષ અવામી લીગને વિખેરી નાખવાની ઝુંબેશમાં હાદીનો ઇન્કલાબ મંચ મોખરે હતો.શરીફ ઉસ્માન હાદીના નેતૃત્વમાં 2024 માં વિદ્યાર્થીઓના થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ, શેખ હસીનાને દેશ છોડીને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?
  • June 17, 2026

China Industrial Subsidy: દાયકાઓ સુધી ભારતને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ દ્વારા એ પાઠ ભણાવવામાં આવ્યો છે કે સરકારી તિજોરી પર બોજ ઘટાડો, સબસિડીનું તર્કસંગતકરણ કરો અને મુક્ત બજારની તાકાત પર ભરોસો…

Continue reading
Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડરના પતનની પાછળની અસલી કહાની
  • June 15, 2026

Liberal World Order Crisis: લિબરલ વર્લ્ડ ઓર્ડર કે જેને આપણે આધુનિક સંસ્કારી દુનિયાનો પાયો માની રહ્યા હતા, તે આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ રહ્યું છે. આ નિષ્ફળતા માત્ર નીતિગત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 3 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 4 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 6 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 11 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 11 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ