
AI: ઓરેકલે આજે સવારે, ૧ એપ્રિલે ઇમેઇલ દ્વારા તાત્કાલિક ૩૦,૦૦૦ કર્મચારીઓને છૂટા કરીને મોટા પાયે કર્મચારીઓમાં ઘટાડો શરૂ કર્યો છે. આ ૩૦,૦૦૦ કર્મચારીઓમાંથી આશરે ૧૨,૦૦૦ ભારતના છે. જે કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે તેમની જગ્યાઓ દૂર કરવામાં આવી છે. જ્યારે ઘણા લોકો છટણી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જવાબદાર ગણાવી રહ્યા છે, ત્યારે એક ભૂતપૂર્વ કર્મચારીનો દાવો છે કે કર્મચારીઓ દ્વારા વધુ કલાકો સુધી કામ કરાવવાનો વિરોધ કરવામાં આવતા હોવાથી છટણી કરવામાં આવી હતી.
ઓરેકલે વિશ્વભરમાં આશરે 30,000 નોકરીઓમાં કાપ મૂક્યો છે, જે તેના કાર્યબળના લગભગ 18% છે. આનાથી ભારત, મેક્સિકો, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સના કર્મચારીઓ પર અસર પડી છે. ઓરેકલે સત્તાવાર રીતે પુષ્ટિ આપી નથી કે 30,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે, પરંતુ છટણી કરાયેલા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર છટણી વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.
ઓરેકલના કર્મચારીઓએ રેડિટ પર શેર કર્યું કે તેમને સવારે 6 વાગ્યાની આસપાસ કંપની તરફથી નોકરીમાંથી કાઢી મૂકવાનો ઈમેલ મળ્યો. એક કર્મચારીએ એમ પણ કહ્યું કે તેઓ લગભગ 20 વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યા હતા પરંતુ અચાનક તેમને કાઢી મૂકવામાં આવ્યા ઘણા અહેવાલો અનુસાર, આ ઇમેઇલ્સ સીધા HR તરફથી આવ્યા ન હતા, પરંતુ ઓરેકલના લીડર્સ દ્વારા મોકલવામાં આવ્યા હતા. ઘણા કિસ્સાઓમાં, ઇમેઇલ્સ મોકલ્યા પછી તરત જ તે કર્મચારીઓ માટે ઇન્ટરનલ સિસ્ટમ્સ બ્લોક કરી દેવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ઓરેકલ હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ભારે રોકાણ કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કંપની આ છટણી દ્વારા પૈસા બચાવવા અને આ પૈસા AI પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપની તેના વ્યવસાયને જૂના સોફ્ટવેર મોડેલથી દૂર કરીને આધુનિક ક્લાઉડ અને AI-આધારિત મોડેલ તરફ ખસેડી રહી છે, જેણે ઘણી હાલની ભૂમિકાઓને બિનજરૂરી બનાવી દીધી છે. આ છટણી પાછળનું કારણ માનવામાં આવે છે જોકે,ઓરેકલના ભૂતપૂર્વ કર્મચારી મેરુગુ શ્રીધરનું માનવું છે કે થોડા સમય પહેલા કંપનીમાં વધારે કલાકો સુધી કામ કરાવવા મામલે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શનો થયા હતા આજ કારણોસર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








