Pahalgam terrorist attack: પહેલગામ હુમલા બાદ જાહેર કરાયેલા આતંકીઓના સ્કેચ ખોટા, જુઓ વીડિયો

Pahalgam terrorist Sketch False:  પહેલગામ આતંકી હુમલા બાદ ત્રણ આતંકીઓના સ્કેચ ભારતે બનાવાવ્યા હતા. જો કે હવે તે ખોટા નીકળ્યા છે. જે આતંકીઓએ હુમલો કર્યો તેમના તે સ્કેચ જ નથી. ભારતે ખોટા સ્કેચ બનાવી દીધા છે. જ્યારે ભારતના વિદેશ મંત્રી જયશંકર કહે છે અમે આતંકીઓની ઓળખ કરી લીધી છે. જો કે તેમનું પણ જુઠ્ઠાણું મોદીની જેમ બહાર આવી ગયું છે. ત્રણ મહિના થવા આવશે પણ હજુ સુધી પહેલગામ હુમલાના આતંકીને ભારત ઓળખી શક્યું નથી. તો તેમને પકડકા કેટલા અઘરા હશે. આતંકીઓનો નાશ કરવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું, તેમ છતાં હજુ સુધી અસલી આતંકી ઝડયા નથી.

 તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને કહ્યું કે હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. બે કાશ્મીરી નાગરિકો, પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ જોથરની ધરપકડ બાદ તેઓએ આ વાત કબૂલી છે.   આતંકવાદીઓને તેમના ઘરમાં રહેવા, ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાનો આરોપ છે.

એક અહેવાલમાં ઈન્ડિયન એક્સપ્રેસે NIA સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 20 એપ્રિલની રાત્રે ત્રણ આતંકવાદીઓ આ બે વ્યક્તિઓના ઘરે પહોંચ્યા હતા. સૂત્રો કહે છે કે, “આતંકવાદીઓએ જમવાનું માગ્યું, અને પૈસા આપ્યા અને કોઈને ન કહેવાની ધમકી પણ આપી.”

સ્કેચ ખોટા સાબિત થયા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસે ત્રણ શંકાસ્પદો (હાશીમ મુસા, અલી ભાઈ ઉર્ફે તલ્હા અને આદિલ હુસૈન ઠોકર) ના સ્કેચ ખોટા સાબિત થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સાચા હુમલાખોરોમાંનો એક સુલેમાન શાહ છે, જેના પર ગયા વર્ષે એક સુરંગ પર આતંકવાદી હુમલાનો પણ આરોપ છે. આ હુમલામાં સાત મજૂરો માર્યા ગયા હતા. તેના એક સાથીનું મોત થયું છે. તેના ફોન પર મળેલા ફોટાનો ઉપયોગ NIA દ્વારા શંકાસ્પદોની ઓળખ કરવા માટે કરવામાં આવ્યો હતો.

ધરપકડ કરાયેલા આરોપીઓએ કબૂલ્યું છે કે NIA અને કેન્દ્રીય એજન્સીઓએ પરવેઝ અને બશીરને હુમલા પહેલાના દિવસોના ઘણા ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા. તેમણે ઓળખી કાઢ્યું હતું કે આ લોકો હુમલાના બે દિવસ પહેલા તેમના ઘરે આવ્યા હતા. અન્ય પ્રત્યક્ષદર્શીઓએ પણ આ ફોટોગ્રાફ્સમાં દેખાતા આતંકવાદીઓની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે આ ફોટોગ્રાફ્સ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદી જુનૈદના ફોનમાંથી મળી આવ્યા હતા.

તપાસ એજન્સીઓ હવે સુલેમાન શાહની અગાઉના હુમલાઓ (ઓગસ્ટ 2023માં કુલગામમાં ત્રણ સૈનિકોની હત્યા, મે 2023માં પૂંછમાં વાયુસેનાના જવાનની હત્યા) માં સંડોવણીની પણ તપાસ કરી રહી છે.

NIA એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 ની કલમ 19 હેઠળ બંને સ્થાનિક નાગરિકોની ધરપકડ કરી છે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “પરવેઝ અને બશીરે જાણી જોઈને હુમલાખોરોને તેમના ઘરમાં આશ્રય આપ્યો હતો અને તેમને જમવાનું, આશ્રય અને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો.”

તપાસ દરમિયાન NIA એ 200 થી વધુ લોકોની પૂછપરછ કરી, જેમાં પોની ઓપરેટર, દુકાનદારો અને ફોટોગ્રાફરોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવેઝ એક પોની ઓપરેટરને ઓળખતો હતો અને તેમની બંને પત્નીઓએ આતંકવાદીના આગમન અંગે ચર્ચા કરી હતી.

વધુ રસપ્રદ વિગતો જુઓ આ વીડિયોમાં

 

 

આ પણ વાંચો:

Related Posts

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?
  • February 1, 2026

BJP: આજે જેઓ દેશના વડાપ્રધાન પદ શોભાવી રહયા છે તેવા નરેન્દ્રભાઈ મોદી પોતાના ગુરુ એવા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના અગ્રણી નેતા અને સ્થાપક સભ્ય લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદે બિરાજે…

Continue reading
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો
  • January 31, 2026

Surat News: સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન નાખવા સામે ખેડૂતોએ વિરોધ કરતા મામલો ગરમાયો છે,પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન પોતાના ખેતરોમાં નાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 7 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?