Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ

અહેવાલ: ઉમંગ રાવલ

Sabarkantha Accident News: સાબરકાંઠા(Sabarkantha) જિલ્લાના પ્રાંતિજ(Prantij) તાલુકામાં આવેલા કાટવાડ ગામ પાસે અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે-48 પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત((Accident) સર્જાયો, જેમાં મુંબઈના બોરીવલીથી ઉદયપુર જઈ રહેલી ખાનગી લગ્ઝરી બસ (BR-28-P-3636) ટ્રક સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં ત્રણ મુસાફરોનાં મોત નીપજ્યાં, જ્યારે 8થી વધુ મુસાફરો ઘાયલ થયા. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક, 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

આ અકસ્માત સોમવારે(23 જાન્યુ. 2025) વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ કાઠવાડા ઓવરબ્રિજ નજીક બન્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે બસની ડાબી બાજુ ચિરાઈ ગઈ અને ઓવરબ્રિજની રેલિંગ સાથે અથડાઈને ઉભી રહી. આ ઘટનાથી બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

અડધો કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા

    

અકસ્માત એટલો ગંભીર હતો કે એક મહિલા અને એક પુરુષ મુસાફર બસની સીટ અને પતરાઓ વચ્ચે ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો. જોકે, પુરુષ મુસાફરનો મૃતદેહ સીટ અને પતરાઓ વચ્ચે ખરાબ રીતે ફસાયેલો હોવાથી, અડધો કલાકની જહેમત અને પતરાં કાપવાની કામગીરી બાદ તેને બહાર કાઢવામાં આવ્યો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગંભીર ઈજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં એક પુરુષનું સારવાર દરમિયાન મોત થયું છે.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

આઠથી વધુ ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ઘાયલોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જોકે કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરી

પ્રાંતિજ પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે. અકસ્માતનું કારણ જાણવા માટે બસ અને ટ્રકના ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, બસ ચાલકની બેદરકારી કે ઝડપી ડ્રાઈવિંગને કારણે આ અકસ્માત થયો હોવાનું મનાય છે. આ ઉપરાંત, ટ્રકની સ્થિતિ અને હાઈવેની સ્થિતિની પણ તપાસ કરવામાં આવી રહી છે.

સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી

ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ અને હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમો, ચાર 108 એમ્બ્યુલન્સ અને હાઈવે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી હાથ ધરવામાં આવ્યું, જેના કારણે ઘાયલોને તાત્કાલિક સારવાર મળી શકી. હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી.

આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. પોલીસે લોકોને હાઈવે પર સાવચેતીથી વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.

 

 

આ પણ વાંચો:

VADODARA: 3 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકીઃ સ્કૂલમાં ડોગ-બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ

મોદી G7 સમિટમાં આટલું બધુ કેમ હસી પડ્યા?, રાષ્ટ્રપતિ મેક્રોને પણ ચાલતી પકડી!

UP: લગ્નના 12 વર્ષ પછી સગી કાકી ભત્રીજા સાથે ભાગી ગઈ, કાકાએ લગાવ્યા ગંભીર આરોપ!

   UP: પત્નીનો મૃતદેહ લઈ પતિ કબ્રસ્તાન પહોંચ્યો, મુસ્લીમોએ કર્યો વિરોધ, જાણો મોટું કારણ!

Travel Advisory: ભારતમાં એકલા ન ફરો, બળત્કાર, હિંસાની ઘટનાઓ વધી, અમેરિકાએ આવું કેમ કહેવું પડ્યું?

Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 2 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 2 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 7 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 8 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 10 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 13 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ