UP: પત્નીનો મૃતદેહ લઈ પતિ કબ્રસ્તાન પહોંચ્યો, મુસ્લીમોએ કર્યો વિરોધ, જાણો મોટું કારણ!

  • India
  • June 22, 2025
  • 0 Comments

UP News: ઉત્તર પ્રદેશના ઔરૈયાથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક હિન્દુ મહિલા છેલ્લા 30 વર્ષથી એક મુસ્લિમ પુરુષ સાથે તેની પત્ની તરીકે રહેતી હતી. મહિલાએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો ન હતો. હવે જ્યારે મહિલાનું મૃત્યુ થયું, ત્યારે તેનો પતિ તેના મૃતદેહને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લઈ ગયો તે સમયે મશ્કેલી ઉભી થઈ. જાણો સમગ્ર ઘટના.

અહીં મુસ્લિમ સમુદાયે વિરોધ કર્યો અને મહિલાના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવા દીધો નહીં. પતિએ તેના મુસ્લિમ સમુદાયને અપીલ કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. અંતે પતિએ હિન્દુ સમુદાય પાસેથી મદદ માંગી.

ભગવતી 30 વર્ષથી વોકર અલી સાથે પત્ની તરીકે રહેતી

આ આખો મામલો ઔરૈયા જિલ્લાના આસેની ગામનો છે. ગામના રહેવાસી વોકર અલીએ 30 વર્ષ પહેલા ભગવતી નામની એક મહિલાને પોતાની પત્ની તરીકે રાખી હતી. તે મહિલા માનસિક રીતે નબળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વોકર અલીએ તે મહિલા સાથે લગ્ન કર્યા ન હતા. પરંતુ તેણે તે મહિલાને પોતાની પત્ની માનીને પોતાની સાથે રાખી હતી. કારણ કે તે માનસિક રીતે નબળી હતી.

મુસ્લિમોએમૃતદેહને દફનાવવાનો વિરોધ કર્યો

ભગવતી નામની આ મહિલા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. શનિવારે(21 જૂન, 2025) 55 વર્ષની વયે આ મહિલાનું અવસાન થયું. આ પછી વોકર અલી મહિલાના મૃતદેહને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લઈ ગયા. પરંતુ ત્યાંના મુસ્લિમ સમુદાયે મૃતદેહને દફનાવવાનો વિરોધ કર્યો.

‘મહિલાએ લગ્ન કર્યા નથી, તેથી જ તે હિન્દુ’

પ્રાપ્ત માહિતી અનુસાર મૌલાનાએ કહ્યું કે મહિલાએ લગ્ન કર્યા નથી. તેથી જ તે હિન્દુ છે. આ પછી વોકર અલીએ આ મામલે હિન્દુઓ પાસે ગયા અને તેમની મદદ માટે અપીલ કરી. ત્યાર બાદ હિન્દુ સમુદાય આગળ આવ્યો અને હિન્દુ સમુદાયે મહિલાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ હિંદુ વિધિ સાથે કર્યા. તમને જણાવી દઈએ કે મહિલા ભગવતીના અંતિમ સંસ્કાર દિબિયાપુરના મુક્તિ ધામમાં કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો એકઠા થયા હતા.

આ પણ વાંચો:

Travel Advisory: ભારતમાં એકલા ન ફરો, બળત્કાર, હિંસાની ઘટનાઓ વધી, અમેરિકાએ આવું કેમ કહેવું પડ્યું?

Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં

Banaskantha: અમીરગઢમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, સામાન કાઢવામાં પણ મુશ્કેલી

Congress change president: 2027ની ચૂંટણી જીતવા કોંગ્રેસે ગુજરાતમાં 40 પ્રમુખોને બદલી નાખ્યા

Gram Panchayat Election: મોડાસા અને ગોધરમાં સરપંચ ઉમેદવારો પર હુમલા, ભાવનગરમાં બોગસ મતદાનનો દાવો

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

Iran Reaction on US Attack: અમેરિકાના હુમલા પછી ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Rain Update: ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર: સાબરકાંઠામાં જળબંબાકાર, 25 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ

Iran-Israel War: ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો

Related Posts

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ
  • August 11, 2026

Sonia Gandhi: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ અને તેમની રાજકીય છબીને લઈને વિસ્તૃત લેખ લખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર તીખો પ્રહાર કર્યો છે.…

Continue reading
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?
  • August 11, 2026

UPI Merchant Charge: સંસદે સોમવાર, 10 ઑગસ્ટે ‘કરાધાન તથા અન્ય કાયદા (સંશોધન) વિધેયક, 2026’ને અંતિમ મંજૂરી આપી દીધી છે. આ વિધેયક હેઠળ કેન્દ્ર સરકારને ભવિષ્યમાં કેટલાક યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 2 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 2 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 7 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 8 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 10 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 13 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ