પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

  • India
  • May 8, 2025
  • 4 Comments

India: ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના કેટલાક વિસ્તારોમાં હુમલા કર્યા હતા. જેમાં નિર્દોષ લોકોના મોત થયા છે. ત્યારે આ બદલો લેવા હવે ભારતે ગુરુવારે પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનનું એર ડિફેન્સ ઉડાવી દેવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયે આજે લેવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયની આ પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાજર રહ્યા હતા. કર્નલ સોફિયાએ જણાવ્યું હતું કે ગુરુવારે ભારતના સરહદી રાજ્યોમાં અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓમાં ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા નથી. જ્યારે પાકિસ્તાને 7-8 મેના રોજ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લક્ષ્યો પર ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે ભારતીય સેનાએ કાર્યવાહી કરી પાકિસ્તાનના લાહોરમાં એક હવાઈ એર ડિપેન્સને નષ્ટ કરી નાખ્યું છે.

કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર સતત ગોળીબાર કરી રહ્યું છે. જેમાં 15 લોકોના મોત થયા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે તેનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. અમે પાકિસ્તાનની રડાર સિસ્ટમને નિશાન બનાવી છે. લાહોરની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ થયો છે.

પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓનો બચાવ કરે છે

વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાને આતંકવાદી સંગઠનો સાથેના તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે. તેમની છબી આતંકવાદી સમર્થકની છે. પાકિસ્તાન પહેલગામ હુમલાની તપાસની માંગ કરી રહ્યું છે, આપણે બધા પાકિસ્તાનનો ઇતિહાસ જાણીએ છીએ. અમે આતંકવાદી હુમલાઓની તપાસના તમામ પુરાવા પહેલાથી જ પૂરા પાડી દીધા છે. અમે મુંબઈ, પુલવામા અને પઠાણકોટ હુમલા અંગે પુરાવા પણ આપ્યા હતા, પરંતુ પાકિસ્તાને કોઈ પગલા લીધા નથી. પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓનો બચાવ કરે છે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે 7 મેના રોજ ફક્ત આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમે કોઈપણ લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા નથી. પાકિસ્તાને ભારતના પૂંછમાં શીખ ગુરુદ્વારા પર હુમલો કર્યો. શીખ સમુદાયના નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે. આમાં ત્રણ લોકોના મોત થયા હતા. અમે આની નિંદા કરીએ છીએ. વિદેશ સચિવે કહ્યું કે વૈશ્વિક આતંકવાદના કેન્દ્ર તરીકે પાકિસ્તાનની પ્રતિષ્ઠા અસંખ્ય કિસ્સાઓમાં મૂળ ધરાવે છે. મારે યાદ કરાવવાની જરૂર નથી કે ઓસામા બિન લાદેન ક્યાં મળી આવ્યો હતો અને કોણે તેને માર્યો હતો. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓ અને ઘણા દેશો દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓ પણ રહે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને મારી નાખ્યો હતો.

પાકિસ્તાનના જન્મ સાથે જ જૂઠાણા શરૂ થઈ ગયા

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે ભારતે તણાવ વધાર્યો નથી પરંતુ જવાબ આપ્યો છે. દરેક ધર્મના લોકોએ પાકિસ્તાનની નિંદા કરી છે. ભારત છ દાયકાથી સિંધુ જળ સંધિનું સન્માન કરે છે. આટલા તણાવ વચ્ચે પણ અમે ધીરજ અને સહિષ્ણુતા સાથે સંધિ જાળવી રાખી છે. જ્યારે પાકિસ્તાન દરેક કરારના માર્ગમાં અવરોધ રહ્યું છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિમાં ક્યારેય સહયોગ આપ્યો નથી. દરેક દુરાચાર માટે પાકિસ્તાન પોતે જવાબદાર રહેશે. પાકિસ્તાન દુષ્ટપ્રચાર ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન જન્મથી જૂઠ્ઠું બોલે છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ પણ ખોટું બોલે છે. બાદમાં તેમને અપમાનનો સામનો કરવો પડે છે.

પાકિસ્તાન આતંકીઓને રાજકીય સન્માન આપી રહી છે

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે તે વિચિત્ર છે કે પાકિસ્તાનમાં મોતને ભેટેલા આતંકવાદીઓ હોવા છતાં અંતિમ સંસ્કાર વખતે તેમના દેહને રાષ્ટ્રીય ધ્વજમાં લપેટીને કરવામાં આવી રહ્યા છે અને તેમને રાજ્ય સન્માન આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવાની પ્રથા હોઈ શકે છે, પરંતુ તેનો આપણા માટે કોઈ ખાસ અર્થ નથી.

આ પણ વાંચોઃ

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?

Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?

 

 

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

One thought on “પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ