CM Bhupendra patel: ગુજરાતમાં ભાજપ સરકારને ગરીબોથી શરમ આવતી હોવાનું લોકોમાં ચર્ચા ઉઠી છે, ગરીબોના આવસો કે ઝુંપડા દૂર કરવા સહિત હવે જો કોઈ નેતા આવવાના હોય તો ઝુંપડા દેખાય નહિ તે માટે આગળના ભાગે મોટા બેનર મારી ઝુંપડા ઢાંકી દેવાના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે ત્યારે આવુજ કઈક પાલનપુરમાં જોવા મળ્યું અહીં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવવાના હોય ઝપડપટ્ટી ઢાંકી દેવામાં આવી હતી.
જોકે,બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા અને પાલનપુર સહીત ડીસા માટે રૂ. 1000 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પાલનપુરની વર્ષો જૂની માંગ બાયપાસનું આજે સીએમ ભુપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત પણ કર્યું પણ ગરીબો દેખાય નહિ તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું તે વાત પણ ચર્ચાનો વિષય બની છે.પાલનપુરથી રવિ સોની નામના જાગૃત નાગરિકે The Gujarat Report સાથે વાત કરી હતી
સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તૃત ચર્ચા અને વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે જુઓ વિડીયો
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









